પોસ્ટ્સ

ઑક્ટોબર, 2016 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

બ્રેઈન ડેવલોપમેન્ટ કે પછી ડિમોલિશન?

આજકાલ બાળકો માટે બ્રેઈન પાવર અને માઈન્ડ ડેવલોપમેન્ટને ઝડપી કરવાં માટે જે જે પ્રાઇવેટ ક્લાસીસ અથવા વર્ગો ચાલી રહ્યાં છે એ મુદ્દે આપ સૌનો શું અભિપ્રાય છે? મારૂં તો એજ માનવું છે કે, એ પ્રકારની પ્રવૃત્તિ અકુદરતી ગણી શકાય. બાળકોને મુકત પણે પોતાની ક્ષમતા મુજબ જ આગળ વધવા દેવા જોઈએ. આ પ્રકારનો બાહ્ય માનસિક દબાવ આગળ જતાં વિદ્યાર્થી પર પરફોર્મન્સને લઇને આવતાં નેગેટિવ દબાણો ઘણાં વધી શકે છે જેનાં ઘણાં નેગેટિવ પરિણામો આવી શકે છે. બાળકની વૈચારિક ક્ષમતા પર પણ નેગેટિવ પ્રભાવ પડે. Kamal Bharakhda

ગુજરાતી મૂવીઝ .... બાપ રે.....

હમણાં જ એક ગુજરાતી મુવી લોન્ચ થયું....એનું નામ સાંભળશો!!! ( પોળમાંજ રહું છું એટલે રિલીફ રોડ પર આવાં પોસ્ટરો ઢગલો જોવા મળે રોજ) " પટેલની પટલાઇ અને ઠાકોરની ખાનદાની " અને પોસ્ટરમાં બન્ને હીરોની આંખમાંથી લોહી નીકળી રહ્યાં છે એવું દ્રશ્ય. બાપ રે. #GujaratiMovies #zindabaad :p આવા મુવીઝ ગુજરાતમાં ઢગલો બની રહ્યાં છે. અને એ વાત પણ માનવી જ રહી કે જોનાર વર્ગ નાની સંખ્યામાં તો નહીં જ હોય... આ મૂવીઝ જોનાર દરેક ભાઇઓ બહેનોને પહેલાં શિક્ષિત કરવાં જરુરી. શું કહેવું છે ? Kamal Bharakhda

तुर्किश कहावत

એક કહેવત મને ઘણી ગમી તો થયું કે, આપ બધાં સાથે શેર કરૂં. વ્યક્તિગત રૂપે એ કહેવતનાં શબ્દો ઘણાં કામ આવી શકે છે. જો લેવાય તો. ''अक्कल अगर भटक जाए तो उसका जमीर उसे वापस सीधे रास्ते पर ले आता है। जबतक आदमी का जमीर जिन्दा रहेता है तबतक आदमी हारता नहीं है।" - तुर्किश कहावत

સાચી દિવાળી ?

કહેવાય છે કે, ભગવાન શ્રી રામ એ જ્યારે રાવણનું વધ કરીને અયોધ્યા પાછા ફર્યા હતાં એ સમય દિવાળી તરીકે ઉજવાયો હતો. લોકોએ પોતાના ઘરોને દિવાઓથી જગમગાવ્યુ, જેથી લોકોમાં એવો મેસેજ પહોચે કે, જ્યારે જ્યારે રામ કામ કરે છે ત્યારે ત્યારે સમસ્ત અંધકાર માત્ર એક દિવાથી નાશ પામે છે. એવી જ રીતે આપણી અંદરનો રામ જ્યારે જાગૃત થસે ત્યારે એ આપણી અંદર બેઠેલા અંધારા રૂપી રાવણનો ફક્ત એક સમજણ રૂપી દિવાથી નાશ કરશે. ત્યારે જ તો સાચી દિવાળી મનાવી કહેવાશે. Kamal Bharakhda

હોમોફોબિયા એટલે?

છબી
જે પણ મનોવૈજ્ઞાનિકે આ " હોમોફોબિયા " નામની માનસિક બીમારી શોધી હશે એમને તો નમન છે જ પરંતુ એમના દ્વારા થયેલી બીમારીની સાદી સમજણને પણ દાદ દેવી પડે તેમ છે. પ્રસ્તુત ચિત્રના શબ્દોને જો ખરેખર સમજી લઈએ તો પુરુષ કોઈપણ સ્ત્રી પ્રત્યેનો "પ્રત્યક્ષ" વ્યવહાર સીધે સીધો કરી નાખે ખરો (ભલે આમાં બધા પુરુષો નથી આવતા પણ જે સ્ત્રીઓને એ પરિસ્થતિમાંથી પસાર થવું પડે છે એ તો એમનું મન જ જાણે. )  ગુજરાતીમાં ભાષાંતર  " હોમોફોબિયા" એટલે પુરુષોને લાગતો ડર, કે જયારે કોઈ સમલૈંગિક પુરુષ તેની સાથે એવી હરકતો કરશે, જે પુરુષ સ્ત્રીઓ તરફ કરતો હોય"

What to choose!

Time says walk with me Heart says stay with me Mind says play with me Eyes says see with me Ears says listen with me Tongue says speak with me yup, all these orders arrives at the same time and we get result according to what we will gonna choose of them. Kamal Bharakhda

હાર્લિ એન્ડ ડેવિડસન્સ

આ વાત છે ત્યારની જ્યારે હાર્લિ એન્ડ ડેવિડસન્સ ફકત અટક હતી ત્રણ ચાર લોકોની, કે જેઓ સપનું જોઇ રહ્યાં હતાં એક અનોખી બાઇક બનાવવાનું. એ હજુ કંપની નહોતી બની. પરંતુ એ હાર્લિ એન્ડ ડેવિડસન્સ મિત્રો એ વિચાર્યું કે હવે દુનિયાની સૌથી અલગ બાઇકને જમીન પર ઉતારવી જ છે ત્યારે તેઓ કંપની સ્થાપે છે અને તેનુ નામ રાખવામાં આવે છે, હાર્લિ એન્ડ ડેવિડસન્સ. હાર્લિ એન્ડ ડેવિડસન્સ મિત્રોએ કેટ-કેટલી બાધાઓ ઓળંગીને દુનિયાની સૌથી લોકપ્રિય અને સફળ બાઇકસ બનાવનાર કંપની બની તેની ગાથા તો ઘણી મોટી છે જે આ લેખમાં સમાવેશ કરવો ઘણો જ અઘરો છે. પરંતુ મારે એક હાર્લિ એન્ડ ડેવિડસન્સ મિત્રો વચ્ચે શરૂઆતમાં બનેલો સંવાદ રજુ કરવો છે. વોલ્ટર ડેવિડસન્સ બાઇકની ડિઝાઇન જોતાં જોતાં કહે છે કે, " અમેરિકામાં હાલમાં (1901) માં પણ 50થી વધું મોટરસાઇકલ બનાવનાર કંપની છે પણ આપણે સૌથી બેસ્ટ મોટરસાઇકલ બનાવવી છે અને દુનિયાની શ્રેષ્ઠતમ મોટર સાઇકલ બનાવનારી કંપની બનાવવી છે." આ સંવાદ એટલો બધો પ્રેરણાદાયી છે, એ લોકો માટે કે, જેઓને ભીડમાં પણ દુનિયાને શ્રેષ્ઠ આપવાની ઘેલછા છે. આ સંવાદ હાર્લિ એન્ડ ડેવિડસન્સ મિત્રો વચ્ચે વાતચીત ન હતી પણ એમનો બાઇક પ્રત્યે

ગામની પંચાત હવે કાયદેસર શિક્ષણનો વિષય!

છબી
એક બાજુ ભારતીય શિક્ષણને આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવવાના પ્રયાસો ચાલે છે જેથી વિદ્યાર્થી કઇંક માનવીય, વૈચારિક, વૈજ્ઞાનિક, કલાત્મકતા અને સારા નાગરિક બની રહે એવા મૂલ્યો શીખે, પણ ત્યાં મુંબઇ થાણે પાસે એક શાળામાં પરીક્ષા દરમ્યાન રમત ગમતની પ્રશ્નોત્તરીમાં એ મહાનુભાવ શાળા સંચાલન પરીક્ષામાં વિરાટ કોહલીની ગર્લફ્રેન્ડનું નામ પૂછી બેઠા! છે ને મહાન લોકો! Times of India | 18th October  હવે તો કહી શકીએે કે, ગામની પંચાત બન્યો શિક્ષણનો મુદ્દો. એ પેપર સેટરે શું સમજીને આ પ્રશ્ન રાખ્યો હશે? એ ભગવાન જાણે.  હવે એ શાળા પ્રોપર શહેર વિસ્તારમાં નથી આવે એટલે ગામડું જ કહી શકીએ અને જયાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી અર્બન વિસ્તારની શાળાઓમા આ પ્રકારની ભૂલો ભાગ્યે જ જોવા મળે. પરંતુ ગામડાઓની શાળાઓમાં આ પરિસ્થતી જોતાં જ ત્યાંની શિક્ષણ વ્યવસ્થા સમજાઈ છે. એક નાનકડી ભુલ ઘણી મોટી ખામી કહો કે સમસ્યાઓની બાતમી આપી જાય છે.  હાલની સરકાર ઘણાં પ્રોજેક્ટો લોન્ચ કરી રહી છે જ્યારે ગામડાઓમાં શિક્ષણની આવી કથળેલિ સ્થિતી જોતાં એ જ વિચાર આવે છે કે સરકાર એ મોટાં મોટાં પ્રોજેક્ટો કરે કે ન કરે..પણ ગ્રામ વાસીઓ યોગ્ય ઢબે શિ

સ્વતંત્રતા એટલે?

સ્વતંત્રતા એટલે? એવું નહીં કે મને બધાય વગર ચાલશે..... પણ મને મારા વગર તો નહીં જ ચાલે. Kamal Bharakhda

Born Leader DHONI

;) Sunday Special ;)  Born Leader Dhoni =============== હમણાં ધોની સાહેબ, તેમની આવેલી બાયોપિક બદલ ચર્ચામાં છે એટલે કેપ્ટન ધોનીને લઈને જે જે વિચારો છે એ રજુ કરવાની ઈચ્છા છે. (હું એમનો ફેન છું...એ અલગ વાત છે.) કોઈપણ વ્યક્ત જો કલાકાર હોય તો તેની કલાકારી અને માઈન્ડ સેટ જન્મજાત જ હોય છે. કઈ કળાનાં દાવેદાર છો એ ગૌણ છે પરંતુ કલાકારનું માઈન્ડ સેટ એટલે કે માનસિકતા જ મહત્વની હોય છે જે દરેક વ્યક્તિમાં નથી હોતી અને લગભગ પેદા પણ ન થઇ શકે. લીડરશીપ પણ એક કળા છે અને લીડર પોતે એક કલાકાર. લીડરનું પણ એક પોતાનું જ માઈન્ડ સેટ હોય છે જે સમય કરતા દસ કદમ આગળ જ ચાલે છે. ધોની તેમાંના એક છે. હવે એ કેમ છે એ આગળ ખ્યાલ આવશે. લીડર ફક્ત તેના કાર્યક્ષેત્ર પૂરતાં જ કેપ્ટન કે લીડર નથી હોતા પરંતુ જીવનકાળનાં દરેક પાસમાં આવનાર દરેક પરિસ્થતિને તેઓ એક લીડરની જેમ જ ઉચિત સમાધાન તરફ લઇ જાય છે.  હા જી, મહેન્દ્રસિંહ ધોની ઉર્ફે કેપ્ટન કુલ, ઉર્ફે માહી જે ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના તમામ સ્પોર્ટ્સ પસંદી લોકોનાં વખાણ મેળવી ચુક્યા છે એવા કેપ્ટન કુલ એક સફળ સ્પોર્ટ્સમેન જ નહીં સાથે એક સફળ લીડર પણ છે.  ૨૦૦૭, T૨૦ વર્લ્ડ

સુધારો અને વિકાસ, આખરે કોનાં હાથમા?

ક્યારેક એવો વિચાર આવી જાય કે, કોઈ ત્રીજો વ્યક્તિ કે જે ભારત પર કઇંક નેગેટિવ કરવા ઇચ્છે છે અને એને જો આપણી ચર્ચાઓ બતાવી આપો તો એને આસાનીથી દુઃખતી રગ મળી જાય. એના જ પ્રતાપે અંગ્રેજો ને હજુ પણ પાકિસ્તાનના ઓરીજીનલ બાપ કહીં શકાય. નીતિતો આખરે એમની જ હતી. માણસ આજે છે કાલે નહીં હોય અને દેશમાં જો ખરેખર સુધારો અને વિકાસ એમ બંનેની મદાર કોઇના હાથમા હોય તો એ છે દેશની જ જનતા. જય હિંદ. Kamal Bharakhda

નવો શબ્દ : ચર્ચાવાત

નવો શબ્દ " ચર્ચાવાત " અર્થ: શાબ્દિક ચર્ચાઓનું વાવાઝોડું ;)  એ ચર્ચા ખરાં અર્થે સાચી જ્યારે છેલ્લે એક્શન લેવાય, બાકી વાવાઝોડાં.... Kamal Bharakhda

તલાક... તલાક... તલાક.....?

તલાક જેવા મુદ્દા પર જો મુસ્લિમ બહેનોના જીવનને ગંભીર અસર કરતી સમસ્યાનો ઉકેલ જો ભારતના તમામ સમાજો ભેગા મળીને ન કરી શકે તો તલાકનો મુદ્દો એ મુસ્લિમ સંપ્રદાયનો પર્સનલ થયો......! જો આપણે ભેગા મળીને સમસ્યા સોલ્વ ન કરી શકીએ તો સામે વાળાને એકલા પાડીને સમસ્યાનું સમાધાન ક્યારેય નહીં મળે.....! જો ખરેખર મુસ્લિમ બહેનોને તકલીફ હોય એમની પોતાની જ સીસ્ટમથી તો એ સર્વોચ્ચ ન્યાયલય જવા કરતા તમામ ભારતીય સમાજને અપીલ કરે....! અને જો, છતાં પણ જે તે સમાજોના મોભીઓ અને જનગણ દ્વારા સોલ્યુશન ન આવે તો સમજી લેવું કે પરીસ્થ્તી બધે જ સરખી છે. કોઈને બદલાવમાં ઈચ્છા નથી. બસ વાતો કરવી છે.

મોજનું મીટર

લાગે છે "મોજ" કેટલી છે, એનાં મીટર બનાવવા પડશે... ;) જેને પૂછો, કેમ છે! એટલે એ ધડ દઇ ને કહે કે, " આજે તો મોજમાં!" મીટર આવ્યાં બાદ લોકો એક બીજાને એમ પૂછશે કે, " હું બાપુ, આજે કેટલા પોઇન્ટ છે" બાપુ કહેશે, " અલ્યા આજે મોજ એ તો બોવ કરી...200 પોઈંટનો રેકોર્ડ તોડી નાખ્યો, ભાઈ ભાઈ " Hahahahah મોજમાં રહો. Kamal Bharakhda

ચર્ચામાં ભદ્રતાંનું મહત્વ

કોઈ વસ્તુનો ઉપહાસ કરવો અને તેની સમજણ આપવી એ લગભગ એક જ વસ્તું છે. એક ટીકા તરીકે લેવાય અને એક જ્ઞાન તરીકે લેવાય. બન્ને વચ્ચેની જે પાતળી લાઇન છે અને એ છે ભદ્ર ભાષાની. ભાષા જેટલી વ્યવહારિક વાપરો....રિએક્શન એટલાં જ સારા આવશે પછી ભલેને કહેનારનો ઈરાદો કેવો પણ કેમ ન હોય. Kamal Bharakhda તા. ક. બુદ્ધિશાળી અને સમજુ વ્યક્તિ તેની ભાષાનો ગુલામ હોય છે જ્ઞાનનો નહીં.

સ્ત્રી, મહાશક્તિ અને બંધન

હું = માતાજીના ઘણા મોટા ભગત લાગો છો તમે? એક ભાઈ (વડીલ મિત્ર) = જી હા! ખુબ શ્રદ્ધા છે. હું = કેમ, તમને એક સ્ત્રી તત્વમાં એટલી બધી શ્રદ્ધા છે? એક ભાઈ = જી, માતાજીમાં પરમ શક્તિ છે. એ તમામનાં દુઃખ દુર કરશે. હું = હા એ વાત બરાબર. પણ, તમને ખબર છે તમે જે માતાજીના ભગત છો એ સ્વતંત્ર નથી અને એક પુરુષ તત્વના ભગવાને એમને બાંધી લીધા છે. એટલે હવે એ કોઈનીયે મદદ કરી શકે એટલા પણ સ્વતંત્ર નથી રહ્યા. એક ભાઈ = આ શું ધડ મુળ વગરની વાત કરો છો કમલ ભાઈ તમે. એ શક્તિ છે. એ કોઈના બંધાયે બંધાઈ શકે? હું = હા, કેમ નહીં જેમ તમે બાંધીને રાખો છો એમ. એક ભાઈ = (મારી નાખવાના મુડમાં) તમે તમારું કામ કરો! અમારી ઈજ્જત અમારા હાથમાં જ છે. તમારે જે કરવું હોય એ કરો. હું = અરે હું તહેવારમાં આનંદ લેવાની વાત કરું છું. આતો મારા મમ્મી કહેતા હતા કે તમારા ઘરની સ્ત્રીઓને ગરબામાં આવવાની ઈચ્છા ઘણી થતી હોય તમે આવવા નથી દેતા. તમારા કારણો જે પણ હશે એ ચોક્કસ અને યોગ્ય જ હશે, પણ એ નિયમો જ્યાં ચાલતા હોય ત્યાં જ રાખવા. એ ભાઈ = હું સમજ્યો નહીં? જ્યાં ચાલતા હોય ત્યાં જ રાખવા એટલે? હું = તમે અહિયાં મુંબઈમાં પોતાની સંસ્કૃતિનાં પ્રચાર માટે

ચમત્કાર એટલે આંતરિક શક્તિઓ કે પછી ધતિંગ?

થોડી જૂની થઈ ગયેલી વાતને ફરી લાવવાનો પ્રયાસ કરૂ છું. જોકે મારી આ પોસ્ટ પહેલા એક કમેન્ટ જ હતી પણ રાજુજી એ મને સ્વતંત્ર પોસ્ટનો વિષય કહ્યો એટલે આ પોસ્ટ તૈયાર કરીને અહિં મુકું છું. મધર ટેરેસાને સંતનુ બિરુદ જે સ્ટેન્ડ પર મળ્યું એ બાબતે અડ્ડામાં ઘણી ચર્ચા થઇ અને છેલ્લે સામે આવ્યું કે, "ચમત્કાર" એ ફક્ત આડંબર અથવા લોકોને મૂરખ બનાવનાર ધતિંગ જેવું છે. બની શકે લોકો આડંબરને જોઇને જ સમજી જતા હશે પરંતુ તે વિષયમાં દરેક વિદ્યા આડંબર નથી હોતી. વ્યક્તિની દાનત ધતિંગ કરવાની હોય શકે પણ વિદ્યા પોતે ધતિંગ તો ન જ હોય! જે પણ ધાર્મિક સમુદાયે મધર ટેરેસાને સંતનું બિરુદ આપ્યું તેઓનું એવું માનવું હશે કે, પોતાની આંતરિકશક્તિઓનાં બળે જે વ્યક્તિ "માણસાઈ "માટે અસામાન્ય કાર્યો કરી શકે એ ખરેખર પૂજનીય અને વંદનીય ''અસામાન્ય'' વ્યક્તિ જ હોઇ શકે જેને તેઓ સંત તરીકે ગણે છે. આપણી માન્યતાઓ અને એમની માન્યતાઓ સંત શબ્દનાં બંધારણે સરખી જ હોય એ માની લેવું પણ એક માન્યતા જ છે. આપણી માન્યતાઓ મુજબ, ભારતમાં સંત એટલે ફક્ત આધ્યાત્મ અને ધર્મ, જોકે એ સત્ય પણ છે કારણ કે, સદીઓ પહેલા આપણાં સંતો એ વિજ્ઞાનને સ

સ્ત્રી, દેશ અને અભિપ્રાય

એક સ્ત્રી વગર જો ઘર ઉન્નતિ ન પામી શકે તો, લગભગ 50% સ્ત્રીઓની વસ્તી ધરાવતાં આપણાં દેશમાં સ્ત્રીઓની માનસિકતાનો, એમની દીર્ઘ દ્રષ્ટિનો, એમની નૈતિક માંગ અને એમનાં અભિપ્રાય આધારિત નીતિઓ નહીં બને ત્યાં સુધી એમને તો ન્યાય નહીં જ મળે અને દેશને પણ કોંક્રિટ ઉન્નતિ નહીં જ મળે. એક તમામ વર્ગનો અસંતોષ પૈડાં વગરની ગાડી જેવો જ છે, જેમાં ભલેને ગમે તેવી વ્યવસ્થા કેમ ન હોય પણ દેશની ગાડી ક્યારેય આગળ ન વધે. Kamal Bharakhda

પેરેન્ટ, બાળક અને ભવિષ્ય

મેં એવું સાંભળ્યું છે કે, ડેવલપ દેશોમાં 18 વર્ષ પછી પેરેન્ટ્સ તેનાં બાળકોને પોકેટમની આપવાનું બંધ કરે છે. ખરૂં કે ખોટું? ચાલો જે પણ હોય પણ એ પ્રથાના ફાયદા ઘણાં છે. જેમકે પોતાની પોકેટમની માટે બાળક જે પણ પાર્ટ ટાઈમ જોબ કરે છે તેનાં પરથી તેને એ ફાઉન્ડેશન વાળી ઉંમરમાંજ તેને ઘણીખરી દુનિયાદારી સમજાઈ જાય છે. મોટા ભાગે તો તેને ખ્યાલ આવી જાય કે આ બધામાં મહેનત કરવાં કરતા આપબળે ભણી લેવું સારૂં. એટલે એ છોકરો સીધો એ પ્રયત્ન કરશે કે, મને ગમે છે શું અને હું કેમ કરીને જલ્દીથી જલ્દી મારૂં ભણતર પુરું કરીને મારી તમામ જવાબદારીઓ હું પોતે જ લઇ શકું એટલી સક્ષમતા આવે. આ ખરેખર વ્યક્તિગત રીતે એપ્લાય કરવા જેવો મજબૂત આઈડિયા હોઇ શકે. એ બાળક તેની જાતે જ પ્રોબ્લમ સોલ્વ કરતા શીખશે...અને જે વસ્તું અત્યારે ભારતમાં ગ્રેજ્યુએટ થયાં પછી વિચારવાનું ચાલુ કરે અને અંતે લાઇન બદલે એ લાઇન લીધાં પહેલાં જ થસે. આવું મારૂં માનવું છે. તમારાં બધાનાં વિચારો જાણવા છે. Kamal Bharakhda

સ્વચ્છ ભારત

સ્વચ્છતા તરફ નીકળવાના અમુક નિયમો 1. રસ્તો , કચરા પેટી નથી કે થૂંકદાની 2. જે ભાઇઓ બહેનો સાફ સફાઇ ના દિવ્ય કાર્ય મા લાગ્યા છે એમને આપણાં મા બાપ જેવું સ્થાન આપવું જોઈએ.. કારણ કે બાળપણમાં જ્યારે આપણે અસમર્થ હતાં તયારે આપણાં મા બાપ જ કચરો ઉપાડતા હતાં. 3. સરકારને અપીલ કરીએ કે એમને તકલીફ ન પડે એટ્લે એમને મદદ લાગતી પિટિશન પર સાઈન કરીએ જેથી સરકાર તુરંત જ એક્શન લે.

ગાંધીજી, આંબેડકરજી અને દલિત મુદ્દો

ગાંધીજીની દલિત વર્ગ માટેની વિચારધારા જે સમજવા મળી અને એ જાણી દુઃખ થયુ. પરંતુ મારે એક વાત કરવી છે. મને સમજવાનો પ્રયત્ન કરશો. જો પૂજ્ય બાબા સાહેબ આંબેડકરજી પોતે "દલિત" ન હોત તો શું એમને દલિત વર્ગ માટે ઝુંબેશ ચલાવી હોત ? જો તમારી પાસે મારા ઉપરના પ્રશ્નનો જવાબ ન હોય તો.... તો.... તો...... આપણાં માંથી કોઈને હક નથી એ બોલવાનો કે, ગાંધીજી એ દલિતો સાથે ત્યારે અન્યાય કર્યો. જય હિંદ. Kamal Bharakhda

Cleanness

Cleanness brings Emotions Emotions brings Discipline Discipline brings Accuracy Accuracy brings Success Success brings Nation Ahead. Cleanness is not a small step it's a key. Let's be with it. Kamal Bharakhda

પાકિસ્તાની કલાકારો મુદ્દે ભારતની રોક કેટલી વ્યાજબી ?

છબી
જયારે હું ૭માં ધોરણમાં હતો ત્યારે અમે ૩ વર્ષ પૂરતા સુરત શિફ્ટ થયા હતા. આજે સવારે Hindustan Timesમાં પાકિસ્તાન કલાકારો પર સૈફ અલી ખાનની કમેન્ટ વાંચ્યા બાદ એકાએક સુરત રહેતા હતા ત્યારનો એક સંવાદ યાદ આવી ગયો.  Page No. 14, Hindustan Times, Mumbai Saturday, October 01, 2016 મારી મમ્મીને ત્યાંથી કોઈ એમના સ્નેહીજન અમારા ઘરે આવ્યા હતા. સુરત એમને કઇંક બે-ત્રણ દિવસનું કામ હશે એટલે અમારે ઘરે જ રોકાયા હતા. અમારે અમારા પડોસનાં પટેલ અંકલ સાથે ખુબ બનતું. એમના બાળકો પણ અમારા જ જેવડા હતા. ક્યારેક આખો આખો દિવસ અમે એમના ઘરે હોઈએ અને ક્યારેક એ લોકો અમારા ઘરે આખો દિવસ પસાર કરે. મહેમાન હતા ત્યારે જ એક વખત અંકલે તેમને ત્યાં જમવાનું રાખ્યું. જમીને પાછા ફરતી વખતે એમણે મારા મામીને કહ્યું કે, તમારા જેવા પડોશના વ્યવહાર મેં હજી સુધી નથી જોયો. કેટલી બધી આત્મીયતા! અમારી પટેલ અંકલ સાથે સારા સબંધોની શરૂઆત પણ અમે બધા બાળકો એ જ કરી હતી. અમે શરૂઆતમાં ભણવાના લીધે એક બીજાના ઘરે જવાનું શરુ કર્યું. અને સબંધો પછી ધીમે ધીમે આગળ વધ્યા. વ્યવહારમાં ન મારા પરિવારને કઈ કહેવું પડે કે ન તે અંકલની ફેમેલીને. દંભ વગરનો