તક જ ક્યાં છે?

"તક ક્યાં છે જ? એટલે જ તો પીએચડી ની પદવી ધરાવનાર પટ્ટાવાળાની જોબ માટે અરજી કરે છે"

- એક મિત્ર

મારું એમને કહેવું છે કે, પીએચડી ની પદવી ધરાવનાર વ્યક્તિ ને તકની જરૂર છે? શું તેઓ તક ઉભી ન કરી શકે? અને એમને સમય જ એટલે આપવામાં આવ્યો હોય છે કે જેનાથી તેઓ દેશના અન્ય યુવાનો માટે તકો ઉભી કરી શકે  અને પોતે પણ પોતાના રિસર્ચનો ભાગ બને. જેથી ઉન્નતિ દરેક દિશામાં આગળ વધે.

સવાલ શિક્ષણ વ્યવસ્થાનો નથી પણ શિક્ષિત થયેલી વ્યક્તિની અંદર બેઠેલાં વ્યક્તિની દાનતનો છે. ગાંધીજી, આંબેડકરજી, સરદાર પટેલ અને એમના અનેક સાથીઓ પોતાની કારકિર્દીમાં યોગ્ય રીતે જ આગળ વધી રહ્યાં હતાં. તેઓ તમામ શરૂઆતમાં એકલા જ હતાં. તો આ પીએચડી વાળા મૂર્ખાઓ કે જેમણે અરજી મૂકી છે એ લોકોને સેજ પણ વિચાર નહીં આવ્યો હોય કે એ લોકો શુ કરવાં જઈ રહ્યા છે?

શબ્દો બદલ માફી પણ, કોઈપણ શિક્ષિત વ્યક્તિની જવાબદારીઓ પોતાની દાળરોટી સુધીની નથી.

- કમલ

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો