પોસ્ટ્સ

જૂન 9, 2017 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

વાસ્તવિકતાવાદી અને આદર્શવાદી

આદર્શવાદી લોકો એ સૈનિક જેવા હોય છે જેઓ બંકરમાં બેસીને ફ્રન્ટ પર જનાર સૈનિકોની સાળસંભાળ રાખવાનું કાર્ય કરતા હોય! અને ફ્રન્ટ પર જનાર સૈનિક એક વાસ્તવિકતા વાદ પર નભતો વ્યક્તિ હોય છે. જે ને દરેક પરિસ્થતિ પર કાર્ય કરવાનું હોય છે અને ફરજ પર ચાલવાનું હોય છે. અને બંકરમાં બેસેલો સૈનિક જયારે ફ્રન્ટમાં જંગ લડીને આવેલા સૈનિકને તમામ સલાહ આપે..અને સૂચનો આપે કે, આમ નહીં પણ આમ કરવું જોઈતું હતું...! અરે યાર, બસ આટલો જ ફરક છે. પણ ધ્યાનથી સમજીએ તો ફરક ઘણો મોટો છે. એ આદર્શવાદીઓ ને ફ્રન્ટ પર મોકલીએ તો એમને ખ્યાલ આવે કે, આદર્શો ક્યાં છું થઇ જાય છે. ફક્ત મોરલ તોડવા માટે જ ઉપયોગમાં લેવાતા આદર્શવાદ ઝેર સમાન હોય છે. - કમલ ભરખડા