એક વ્યક્તિએ આખી જીંદગી લોકોને સૂચનો અને સાચાં રસ્તાઓ જ બતાવે રાખ્યાં. અને તેઓ સફળ પણ રહેતા. લોકોને કુતુહુલ અને આંશિક ઈર્ષ્યા રહેતી કે આ મારો બેટો સુચન અને શિખામણો જ આપે છે અને એને તો કોઈ દિવસ કોઈના સૂચનની જરૂર જ નથી ઉભી થતી. એમ કેમ?
એટલે એક દિવસ ગામનાં લોકોએ એ ભાઈની પરીક્ષા લેવા એક સંત પુરુષને એ વ્યક્તિ પાસે મોકલ્યાં અને પછી નો સંવાદ.
સાધુ: દીકરા, લોકોના કહેવા પર તારા માટે અહીં આવ્યો છું. જે આશીર્વાદ જોતા હોય એ માંગી લે.
એમણે કહ્યું: સાધુને ચરણોમાં વંદન. મારે કશું જોતું તો નથી પણ તમારા માટે એક સુચન છે. સાંભળશો?
સાધુ: hahaha જરૂર... સંભળાવો
એમણે કહ્યું: આટલું ઉચ્ચ વ્યક્તિત્વ અને સાદાઈથી જીવવાનું બંધ કરો નહીંતર અમારા જેવા માયાની પાછળ ભાગવાનું બંધ કરી દેશે અને સાદાઈ તરફ વળી જશે તો આ દુનિયા હાલશે કેમ?
આટલું બોલતા જ સાધુ અને એ ભાઈ બંને હસી પડ્યા. અને છેલ્લે જતા-જતા એટલું બોલ્યા કે, "તું ખરો દાતાર."
પૂર્ણવિરામ
- કમલ ભરખડા