પોસ્ટ્સ

એપ્રિલ 17, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

દાતાર

છબી
એક વ્યક્તિએ આખી જીંદગી લોકોને સૂચનો અને સાચાં રસ્તાઓ જ બતાવે રાખ્યાં. અને તેઓ સફળ પણ રહેતા. લોકોને કુતુહુલ અને આંશિક ઈર્ષ્યા રહેતી કે આ મારો બેટો સુચન અને શિખામણો જ આપે છે અને એને તો કોઈ દિવસ કોઈના સૂચનની જરૂર જ નથી ઉભી થતી. એમ કેમ? એટલે એક દિવસ ગામનાં લોકોએ એ ભાઈની પરીક્ષા લેવા એક સંત પુરુષને એ વ્યક્તિ પાસે મોકલ્યાં અને પછી નો સંવાદ. સાધુ : દીકરા, લોકોના કહેવા પર તારા માટે અહીં આવ્યો છું. જે આશીર્વાદ જોતા હોય એ માંગી લે. એમણે કહ્યું : સાધુને ચરણોમાં વંદન. મારે કશું જોતું તો નથી પણ તમારા માટે એક સુચન છે. સાંભળશો? સાધુ : hahaha જરૂર... સંભળાવો એમણે કહ્યું : આટલું ઉચ્ચ વ્યક્તિત્વ અને સાદાઈથી જીવવાનું બંધ કરો નહીંતર અમારા જેવા માયાની પાછળ ભાગવાનું બંધ કરી દેશે અને સાદાઈ તરફ વળી જશે તો આ દુનિયા હાલશે કેમ? આટલું બોલતા જ સાધુ અને એ ભાઈ બંને હસી પડ્યા. અને છેલ્લે જતા-જતા એટલું બોલ્યા કે, "તું ખરો દાતાર." પૂર્ણવિરામ - કમલ ભરખડા