પોસ્ટ્સ

સપ્ટેમ્બર 17, 2016 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ઉશ્કેરાઈ જવું અને ગુસ્સે થવાનાં કારણો?

કોઈ વ્યક્તિ ઉશ્કેરાઈ જવું કે ગુસ્સે શુકામ થાય ? કારણ? આ દુનિયા બે વસ્તુ પર ચાલે છે. 1. માન્યતાઓ 2. સંપુર્ણ સનાતન સત્ય સત્ય એ સત્ય છે. સત્ય પામી ગયા બાદ તેને કોઈની માન્યતાઓની જરૂર નથી પછી સામે વાળો માને કે ન માને. હવે જ્યારે કોઇ વ્યક્તિ સત્યને સુધી પહોંચ્યા વગર કોઈ એક સ્ટેન્ડ પર આવે છે ત્યારે એ પરિસ્થતી તેનાં માટે સત્ય છે પણ હકીકતમાં એ તેની માન્યતાઓ છે. જેમકે, જર્મન માટે યહૂદીઓ અપશુકનીયાંળ છે. એ હિટલરની માન્યતા કહેવાય. એ સત્ય જ હોય એ જરૂરી નથી. હવે સ્વાભાવિક છે કે કોઈ તમારી માન્યતાઓ ને તોડી પાડે કે જેને તમે વર્ષોથી સત્ય સમજતા હતાં તો એ પોતાનો પક્ષ લે એ પણ સ્વાભાવિક છે. ડાહ્યા માણસો પોતાની માન્યતાઓને કાંઇ પણ બોલ્યા ચાલ્યા વગર અપગ્રેડ કરી લેશે અને જે મિત્રો એક્સેપ્ટ નહીં કરી શકે એ  સ્વાભાવિક પણે રિએક્શન આપશે. હિટલર હોય તો સામે વાળાને ગેસ ચેમ્બરમાં પધરાવી દેશે અને સામાન્ય વ્યક્તિ હશે તો એ ગુસ્સો કે લડવા બેસશે. Kamal Bharakhda

બલી પ્રથા

બલી, એ માન્યતા છે. જેમ મુસ્લિમ ભાઇઓ આપે છે તેમજ પરોક્ષપણે હિંદુ ભાઇઓ પણ આ બલીમા માને જ છે. આજે પણ માતાજીનો હવન જયાં જ્યાં થાય છે ત્યારે કોળું કાપવામાં આવે છે. તમે જીવ કાપો કે ફ્ળ પણ તમારી દાનત તો કાપવાની જ ને! એજ ખોટી. Kamal Bharakhda