ઉશ્કેરાઈ જવું અને ગુસ્સે થવાનાં કારણો?

કોઈ વ્યક્તિ ઉશ્કેરાઈ જવું કે ગુસ્સે શુકામ થાય ?

કારણ?

આ દુનિયા બે વસ્તુ પર ચાલે છે.
1. માન્યતાઓ
2. સંપુર્ણ સનાતન સત્ય

સત્ય એ સત્ય છે. સત્ય પામી ગયા બાદ તેને કોઈની માન્યતાઓની જરૂર નથી પછી સામે વાળો માને કે ન માને.

હવે જ્યારે કોઇ વ્યક્તિ સત્યને સુધી પહોંચ્યા વગર કોઈ એક સ્ટેન્ડ પર આવે છે ત્યારે એ પરિસ્થતી તેનાં માટે સત્ય છે પણ હકીકતમાં એ તેની માન્યતાઓ છે. જેમકે, જર્મન માટે યહૂદીઓ અપશુકનીયાંળ છે. એ હિટલરની માન્યતા કહેવાય. એ સત્ય જ હોય એ જરૂરી નથી.

હવે સ્વાભાવિક છે કે કોઈ તમારી માન્યતાઓ ને તોડી પાડે કે જેને તમે વર્ષોથી સત્ય સમજતા હતાં તો એ પોતાનો પક્ષ લે એ પણ સ્વાભાવિક છે.

ડાહ્યા માણસો પોતાની માન્યતાઓને કાંઇ પણ બોલ્યા ચાલ્યા વગર અપગ્રેડ કરી લેશે અને જે મિત્રો એક્સેપ્ટ નહીં કરી શકે એ  સ્વાભાવિક પણે રિએક્શન આપશે.

હિટલર હોય તો સામે વાળાને ગેસ ચેમ્બરમાં પધરાવી દેશે અને સામાન્ય વ્યક્તિ હશે તો એ ગુસ્સો કે લડવા બેસશે.

Kamal Bharakhda

બલી પ્રથા

બલી, એ માન્યતા છે. જેમ મુસ્લિમ ભાઇઓ આપે છે તેમજ પરોક્ષપણે હિંદુ ભાઇઓ પણ આ બલીમા માને જ છે.

આજે પણ માતાજીનો હવન જયાં જ્યાં થાય છે ત્યારે કોળું કાપવામાં આવે છે.

તમે જીવ કાપો કે ફ્ળ પણ તમારી દાનત તો કાપવાની જ ને! એજ ખોટી.

Kamal Bharakhda

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો