પોસ્ટ્સ

જૂન 22, 2023 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

કળાનું સ્તર?

શુભ પ્રભાત કલા અને કલાકારનું અપમાન તેની કલાનાં સ્તરથી નક્કી થાય છે. એમ જ તેના ગુણગાન અને પ્રશંશા પણ તેના સ્તરથી જ નક્કી થયેલ હોય છે. હવે સ્તર નક્કી કરે કોણ? બિલકુલ આપણે જ. પરંતુ ખરેખર તો કલાકાર પોતે જ તેનું સ્તર નક્કી કરવામાં મદદરૂપ બને છે. ઈશ્વર પ્રત્યેનો પ્રેમ જ અને ઈશ્વરને સામગ્રી રૂપે ધરાયેલ કળા જ આખરે પ્રસાદ રૂપે એક અમુલ્ય આહ્લાદ બને છે. બી.આર.ચોપડાં જી અને રામાનંદ સાગર જી એ એમની આધ્યાત્મિક મનોભાવનાનાં સ્થાનથી જ મહાન એવી महाभारत, रामायण તથા कृष्णा જેવાં ધારાવાહિકોને પદાર્પિત કર્યા હતા. જેણે ભારતનાં ઈતિહાસ ને એ સ્તરે લઇ ગયા કે તેને કોઈ આંબી શકે તેમ નથી. પ્રયત્ન કરવાવાળાને હાલ પ્રસાદી મળી જ રહી છે. છતાં આ અહેવાલ લખવા પાછળનો મૂળ ઉદ્દેશ એ હતો કે, આજે જ સવારે મહાભારતનો એક સંવાદ મને એટલો સ્પર્શી ગયો કે તેને સંભવ બનાવનારા તમામ વ્યક્તિત્વ માટે એક આભાર પ્રગટ કરવાની ઈચ્છા થઇ ગઈ. શ્રી કૃષ્ણ, વિદુરજી અને વિદુરાણીજી (વિદુરજીના પત્ની) વચ્ચે એક અત્યંત સાધારણ કહી શકાય એવો સંવાદ પરંતુ અંતે વિદુરજી સંવાદ જયારે સમાપ્ત કરે છે એ આખા સંવાદને આધ્યાત્મિક સત્ય એટલે કે બ્રહ્મ સત્યની ઝાંખી કરવી આપે છે. તો આ