પોસ્ટ્સ

સપ્ટેમ્બર 21, 2016 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

કાશ્મીરને આઝાદ કરવાનાં મુદ્દે ભારતની સમસ્યા

ડેવિડ દેવદાસ, એમણે કાશ્મીર પર ઘણા પુસ્તકો લખ્યા છે. આજે હિન્દુસ્તાન ટાઈમ્સમાં ( HT ) એમના લેખમાં શ્રીનગરમાં પ્રોટેસ્ટ કરતા યુવાનો અને બ્લ્યુ શબ્દોમાં લખેલ FREE KASHMIR જેવા પોસ્ટર્સ સાથે એક ફોટો મુક્યો છે એ જોઇને મને આ લેખ લખવાનો વિચાર આવ્યો.  કાશ્મીરી જનતા ખરેખર કાશ્મીરને આઝાદ કરાવીને શું ઈચ્છે છે એ એજ જાણે પરંતુ કાશ્મીરને આઝાદ કરાવવાના પ્રયત્નોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે! કાશ્મીરની જનતા શું સૈન્યના દબાણના લીધે પોતે આઝાદ થવા માંગે છે કે એમનો પોતાનો એક આઝાદ રાષ્ટ્ર તરીકે કોઈ ફૂલ પ્રૂફ પ્લાનીગ છે જેમાં દરેક કાશ્મીરી જનતાનાં સોનેરી ભવિષ્યની ચાવી છે જે ભારત સાથે રહીને બિલકુલ શક્ય નથી? જો એવું ખરેખર હોય તો તેઓ એ પ્લાનિંગ જણાવી શકે છે. અત્યાર સુધી તો એજ ખ્યાલ હતો કે, કાશ્મીરને સંપૂર્ણ તાબે કરવા પાકિસ્તાન ભારત સાથે રાજનીતિ રમી રહ્યું છે જે કોઈપણ કારણોસર જોવા જઈએ તો કૈંક અંશે વ્યાજબી છે. કારણ કે, ખરેખર પાકિસ્તાનને કાશ્મીર હડપવું જ હોય તો પાકિસ્તાને કરેલા તમામ પ્રયત્નો ભલે નાગળદાયી ભર્યા હોય પરંતુ પાકિસ્તાન આ પ્રયત્નો ફક્ત પોતાની માનસિકતાએ તો ન જ કરી શકે. કાશ્મીરની જનતાનો પણ સાથ સહકાર