મેક ઇન ઇન્ડિયા!

મેક ઇન ઇન્ડિયા નો મતલબ એ નથી થતો કે દરેક વ્યક્તિ પ્રોજેકટ સાથે જોડાયેલી હોય એ ભારતીય જ હોય...! આપણે ઉત્પાદન ક્ષેત્રે ઘણાં વિભાગમાં પાછળ છીએ...એટલે મેનેજમેન્ટ, રિસ્ક, મટિરિયલ, એન્જીનીયરીંગ અને એપ્લિકેશન બાબતોએ જો નિષ્ણાંતો ને બોલાવવા પડે તો એમાં કોઈ જ નીચું જોવાની વાત નથી. એમ જ તો આપણી જનરેશન તૈયાર થશે અનુભવ લઈને.

આખરે અમેરિકા પણ એજ કરતું આવ્યું છે અત્યાર સુધી અને એજ કરે છે. દેશદેશવર માંથી નિષ્ણાંતો ને બોલાવે છે.

- કમલ ભરખડા

બૌદ્ધિક સ્થળાંતર

ગણીને ભારતથી 7 ગણું નાનું ભૌગોલિક અને લગભગ 10 એક ગણી નાની વસ્તી ધરાવતું  પાકિસ્તાન ભારતને ઉશ્કેરે તેમાં કોઈ મોટી વાત નથી.
આપણું 50% ઉપરનું સાચું બુદ્ધિ ધન તો એ જગ્યાએ વિદેશમાં બેસેલા છે જ્યાં તેઓ જેતે દેશની પૂરતી જરૂરિયાતનો સ્ત્રોત ઘણો ખરો ભારતીય ભેજા બાજોની જ ઉપજ છે.
અને એ દેશો પોતાની અર્થ વ્યવસ્થા અને જગત આધિપત્ય જળવાઈ રહે એટલે આંતકવાદ જેવા સંગઠનો ઉભા કરીને મૂકી દીધાં છે.
એટલે દોષરોપણ કરવાનો કોઈ ભારતીયો પાસે સ્પેસ જ નથી.
જો બંધ જ કરવું હોય તો સ્થળાંતર બંધ કરવું.! આ હાલ તો અતિશયોક્તિ ભર્યું લાગે પણ મૂળ મુદ્દે તકલીફ આ જ છે.

- કમલ ભરખડા.

પેટ્રોલિયમ, વાહનવ્યવહાર, વાસ્તવિકતા અને ભારતનું ભવિષ્ય

Jay Pathak જી ની બેટરીથી ચાલતાં વાહનો પરની પોસ્ટ ખૂબ જ વાઇબ્રન્ટ હતી. એ પોસ્ટ બદલ ધન્યવાદ.

એમણે એ પોસ્ટમાં બેટરી થી ચાલતા વાહનોનું ભવિષ્યમાં સ્થાન અને તેની માંગ બાબતે ઘણી સારી બાબતો સામે મૂકી.

પરંતુ આ બાબતે મારે થોડું વિશેષ પણ પડદા પાછળની રિયાલિટી વિશે કઈંક કહેવું છે.

- ઓરિસ્સાના એક વ્યક્તિ એવાં બાયો ડીઝલની શોધ કરી હતી જેની કિંમત જ 5 રૂપિયા પ્રતિ લીટર આવતી હતી. એ ભાઈ એ પ્રોજેકટ લઈને જે ઓફિસમાં ગયાં હતાં એ ભાઈ હજુ એ ઓફિસની બહાર જ નથી નીકળ્યા. એમનું શુ થયું એ ભગવાન જાણે અમે એ ઓફીસ વાળા.

- ભારતનાં જ ખેડૂતે એ બેટરીથી પણ ઇફએક્ટિવ ચાલી શકે એવી પાણીથી ચાલતા એન્જીનની શોધ કરી હતી. ગણીને TRP માટે એક વખત મીડિયા વાળાઓએ ડોક્યુમેન્ટરી બનાવી પછી રામ રામ.

- બેટરી જ નહીં પણ સૌર ઊર્જાથી ચાલતી અતિ ઇફએક્ટિવ કારની શોધ મારા મિત્ર દિલ્લીના અભિષેક પાંડે એ જ કરી છે. એમના કહેવા પ્રમાણે ગાડી એક વખત ચાર્જ થયાં બાદ લગભગ સોલાર પેનલને લીધે ફરી ચાર્જ કરવાની જરૂર નહીં પડે એવી ડિઝાઇન તૈયાર કરી હતી.

વગેરે વગેરે... આવા સંશોધનો તો એક મુકો ને બીજા 10 મળે એ હાલતમાં છે. કોલેજો અને સંસ્થાઓ ગ્રાન્ટ મેળવવા માટે પ્રોજેકટ ડેવલોપ પણ કરે છે પરંતુ યોગ્ય પ્લેટફોર્મ ક્યારેય નથી મળતું.

કારણ...?

વર્લ્ડ પોલિટિક્સ ઓન પેટ્રોલિયમ
પેટ્રોલિયમ પરનું આંતરરાષ્ટ્રીય રાજકારણ.

- દુનિયાની ઘણીય મૂડીવાદી પ્રજાનો ધંધો પેટ્રોલિયમ પેદાશો પર ચાલે છે. અને અંદરખાને તેમની રાજનીતિક તાકાત પણ.

-પેટ્રોલિયમ પેદાશોથી ચાલતા વાહનનો પણ વ્યવસાય બિલિયન્સ ઓફ ડોલરનો છે

- કોઈપણ તંત્ર પોતાનાં જ પગ પર કુલ્હાડી ન મારવા દે એ વ્યાજબી છે એટલે બેટરી થી ચાલતી વાહન વ્યવસ્થા કે જેનો ઉકેલ લગભગ 20 વર્ષ પહેલાથી જ આવી ગયો હતો તેને યોગ્ય પ્લેટફોર્મ ન મળે એ મૂડીવાદીઓના અનુસાર વ્યાજબી હતું. 

- હવે સુપરપાવર અને વિકસિત રાષ્ટ્રો મળીને ગ્લોબલ વોર્મિંગ જેવો કન્સેપ્ટ ઉભો કરે છે જેમાં એ લોકો સાબિત કરે છે કે, દુનિયામાં કાર્બનની વધતી જતી માત્રા ને ધ્યાનમાં રાખીને હવેથી પેટ્રોલિયમ પેદાશો પર રોક લગાવવાની ફરજ પાડવામાં આવે. જેથી વિકાસશીલ દેશોની પ્રગતિ પર રોક લાગે અને વિકસિત દેશોનુ આધિપત્ય જામ્યું જ રહે.

- પેટ્રોલિયમ ફક્ત પેટ્રોલ અને ડીઝલનું જ ઉત્પાદન કરે છે એવું નથી. તેમાંથી ઘણાં પ્રકારના પ્રોડક્ટ્સ બને છે જે ગણાય એમ નથી. પરંતુ પેટ્રોલીયમના બેફામ વપરાશને લીધે ઘટી રહેલા સ્ત્રોત પર સૌથી વધારે પ્રમાણમાં નીકળતાં ડીઝલ અને પેટ્રોલની માત્ર ઓછી કરીને પેટ્રોલીયમની માંગ ઓછી કરવા પાછળ હેતુ પણ મૂડીવાદીઓનો મોટો લાગે છે. એ હેતુ એટલે જેતે પેટ્રોલીયમના પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરી વિકસિત દેશો પોતાની ઇકોનોમી અથવા અર્થ વ્યવસ્થા નીચે લાવવા માંગતા નથી.

- હવે આ બધામાં આગળ જતાં એવાં કાયદાઓ પણ આવશે કે ફક્ત બેટરીથી જ ચાલતા વાહનોનો ઉપયોગ કરવો એવી જોગવાઈઓ પણ નીકળશે. અને જયભાઈ એ કહ્યું એ પ્રમાણે આપણે જેમ અત્યારે પેટ્રોલિયમ ઈમ્પોર્ટ કરવું પડે છે તેમ પછી બેટરીઓ અને અન્ય વાહન વ્યવહારના સંસાધનોને ઈમ્પોર્ટ કરવા પડશે. એટલે મૂળ મુદ્દે વિકસિત દેશો ઓર વિકસિત થશે અને વિકાસશીલ દેશો ફરી ત્યાં ના ત્યાં.

- આપનો બુદ્ધિશાળી વર્ગ ભણીને વિદેશ જશે ત્યાં ઉપર બતાવેલ ભવિષ્યને સાચું પાડવામાં લાગી પડશે

હાલ નરેન્દ્ર મોદીજી મેક ઇન ઇન્ડિયના કન્સેપટથી આ વિકસિત રાષ્ટ્રોની ભારત માટે ઘડાયેલી રમતોને તોડવાનું જ કાર્ય છે.

હાલ બની શકીએ તો આપણે એજ કરી શકીએ કે, ભણેલો વર્ગ વિદેશ જવાના સપના ન જુએ... અને એમના આઈડિયાઝ ને મેક ઇન ઇન્ડિયાના સુમેળ થી સિદ્ધ કરીએ.

જય હિન્દ.

કમલ ભરખડા.

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો