પોસ્ટ્સ

મે, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ચલચિત્ર(ફિલ્મ) એક માધ્યમ

જો એક પુસ્તક, કાવ્ય, નૃત્ય અને અન્ય કળાઓ સામાન્ય વ્યક્તિને જ્ઞાનીત કરી શકે તો ફિલ્મ કેમ નહીં? ફિલ્મ તો એક એવું માધ્યમ છે જ્યાં તમે અગણિત શક્યતાઓ પીરસી શકો છો. માયકાંગલા જેવા મનોરંજનની અપેક્ષા ફિલ્મો પાસેથી રાખીએ છીએ એટલે જ ફિલ્મો ક્યારેય શાળા નથી બની શકી!  ફિલ્મ જગતને જેવું તેવું ન સમજતા. એ જ્ઞાન સાથે સાથે લાખો લોકોને રોજી રોટી આપવાનું કાર્ય પર કરે છે. જ્યાં સુધી આપણે નહીં બદલીએ ત્યાં સુધી ફિલ્મ મેકરો સારું આપવાનું સાહસ નહીં કરે કારણકે ફિલ્મ એક જ એવી કળા છે જે વગર પૈસે બની જ નથી સકતી. એટલે જે પણ વ્યક્તિ પૈસા રોકે છે એનો ભાવ વ્યાપાર કરવાનો તો હોય જ છે પણ સાથે સાથે સામાજિક શિક્ષણનો પણ.  કદાચ હવે બોલીવુડ ને બદલી નહીં શકીએ પણ ગુજરાતી સિનેમા ને જરૂર બદલી શકીએ છીએ. જેમકે, હેલ્લારો ને જે રીતે લોકો એ પ્રતિસાદ આપ્યો એ રીતે જો સારી ફિલ્મો પર પ્રતિસાદ મળતો જ રહેશે તો કોને ખબર કે ગુજરાત કોન્ટેન્ટ ક્રિએટ કરવામાં નમ્બર વણ બને. અને સારી ફિલ્મો બનતી થઇ જાય. અને જો ફિલ્મો દ્વારા ચોક્કસ આવક નો અંદાજો મળે તો પછી કદાચ નિવેશકો ફિલ્મો નીવેશ કરવા બાજુ પણ વળે. ચાલ જીવી લઈએ એ ઉત્કૃષ્ટ દાખલો છે. પહેલી ગુજરાતી ફ

When criticism hurts?

Criticism hurts when you don't know the difference between constructive and destructive criticism. #kamalam

સૌથી મોટી મૂડી?

અનુભવથી મોટું ધન બીજું કશું જ નથી. મોટામાં મોટો ધનવાન જો સમુદ્રમાં વચ્ચે ફસાઈ જાય છે તો નાવિકથી વધારે અનુભવી ન હોવાને લીધે એ જીવનભર તેનો ઋણી થઈ રહે છે. એટલે જ અનુભવ સૌથી ઉચ્ચકક્ષાની મૂડી છે. #કમલમ

કિંમતી એટલે શું?

છબી
મારા કાકા સાથે સામાન્ય વાત કરતા કરતા અમે એક ઘણાં અસામાન્ય નિષ્કર્ષ પર આવ્યાં. કે કિંમતી શું? અને કોઈપણ વસ્તુ શેનાં આધારે કિંમતી બને છે? ચાલો ઉદાહરણ લઈએ સોનું. ગોલ્ડ.  સોનું કેમ કિંમતી છે? સોના કરતા પણ ઘણી વસ્તુઓ કિંમતી છે. પરંતુ સોનાને જેટલું માન છે એટલું આજ સુધી  તેનાથી  કોઈપણ વધારે કિંમતી વસ્તુને નથી. કારણકે  ૧. તેને અડવાથી કોઈ નુકશાન થતું નથી.  2. તેને ગમે તે રીતે રાખી શકાય છે.  ૩. આજથી હજારો વર્ષો પહેલા બનેલા સોનાનાં ઘરેણાંઓને અમુક દ્રવ્યોથી સાફ કરો એટલે ફરી પાછાં ચમકદાર. એટલે વર્ષોનાં વર્ષો સુધી સચવાઈ રહે તેવી ધાતુ. જેને કોઈ કાટ ન લાગે.  4. ઉપરાંત તેને તમે જોઈએ એ ઘાટ આપી શકો અને તેને જોઈએ એટલું પાતળું બનાવી શકો. સોનું મજબુત પણ ખરું જ.  5. શરીરમાં તેના કણો જવાથી પણ કોઈ ગેરફાયદો નથી.  આ બધા કરતા સૌથી મોટા અને બે મજબુત કારણો... સોનું ક્યારેય ગોતવાથી મળતું નથી.  અને બનાવવાથી બનતું નથી. 

નક્કી કરી લ્યો...

નક્કી કરી લ્યો...  #કમલમ થોડા વર્ષો પેહલાંની વાત છે.  મારા મિત્રને ત્યાં પ્રસંગ હતો એટલે આગલી રાત્રે મિત્રોએ ભેગા થઇને રસોડે બેસવાનું નક્કી કર્યું. ફ્રુટસલાડ જેવી દૂધની આઈટમ સ્વીટ તરીકે રાખી હતી. રાત્રીનાં બે થવાં આવ્યાં હતા. રસોડામાં કામ પૂરજોશમાં ચાલી રહ્યું હતું અને કામ તો ઠીક પણ મહારાજને ઓર્ડર આપવા જ કદાચ અમે ભેગા થયાં હતા એવું લાગ્યું. પેલા ભજીયા બનવડાવ્યા, પછી બટેટાની ચિપ્સ અને ચા તો દર અડધી કલાકે. ઘણાં સમયે મિત્રો ભેગા થયા હતા એટલે મોજ હતી.  સાડા ત્રણ વાગ્યે મહારાજ આવ્યાં અને મિત્રને કીધું કે, "ભાઈ દૂધ ઘટશે... ૧૦ એક લીટર મંગાવી રાખો એટલે ઘટ નો પડે."  અમે તો જેવી સવાર પડી એટલે દૂધ લેવા નીકળ્યા. હાયરે છાશ લાવવાનું કીધું તું. અમે તો દૂધ લીધું અને થેલી મૂકી દીધી રસોડામાં. અને મહારાજને કીધું કે અમે જઈએ છીએ અને તમારે જે જોતું છે ઈ બધું આ થેલી માં છે જોઈ લેજો.  અને ત્યારબાદ મહારાજે એના કોઈ હેલ્પરને કીધું કે આ બધું દૂધ એક તગારામાં ખાલી કરીદે. અને મારા બેટા એ છાશ અને દૂધ બેય ભેગા ખાલી કરી નાખ્યાં... હવે ઈ બે દેખાય તો હરખા અને તરત તો ખબર પડે નહીં એટલે મહારાજે તો દૂધ નાયખુ ફ્રુટસ

કુદરત અને તેની ક્ષમતા

#સદવિચારો જય હિન્દ કોરના પરિસ્થતિને લઈને દરેક જગ્યા એ લોકડાઉન સ્થાપિત થયું છે જે ફક્ત અને ફક્ત માણસ માટે જ તકલીફ દેહ છે અથવા નથી એ પોતાનાં વિચારો પર નિર્ભર રાખે છે. પરંતુ માણસોએ પોતાને જ્યારથી લોકડાઉનમાં રાખ્યાં છે ત્યારથી કુદરતને પોતાનું કાર્ય કરવામાં કોઈ માણસે રોક્યું નથી. જેની સીધી અસર કુદરતી પરિબળો જેમકે, જંગલ, નદી, તળાવ, અને અન્ય પરિબળોમાં આવેલી ચોખ્ખાઈ તેની સાબિતી આપી જાય છે. દરેકે હાલમાં જ ગંગાજીનાં નીર ચોખ્ખા થયેલા નિહાળ્યાં હશે. કાચ જેવું ચોખ્ખું પાણી? જોયું કુદરતની પ્રવૃતિમાં જો તમે ખલેલન પહોંચાડો તો કુદરત તેની દરેક વસ્તુને ચોખ્ખી કરવાની પ્રવૃત્તિ કરી જ રહી છે. એટલે કુદરત નક્કી એક ફોર્મુલા કે સીસ્ટમ પર ચાલે છે. કુદરતને ખબર છે કે એણે જેણે જનમ આપ્યો છે તેની સાળસંભાળ કઈ રીતે રાખવાની છે. હવે આવડી મોટી સ્થાપિત સીસ્ટમની સામે આપણા શુક્ષ્મ મગજમાંથી ઉપજેલા ઉપચારોની શું હેસિયત? પરંતુ એ વિચાર કરતા-કરતા મારું ધ્યાન હાલમાં ચાલી રહેલા ઉપવાસ કે જેને ધાર્મિક પ્રવૃત્તિ માનવામાં આવે છે તેના પર ગયું. કદાચ આપણા વડલાઓ આ બાબતે ખાસ જાણતા હશે કે, કુદરતને જો પોતાનું કાર્ય કરવાની પરવાનગી આપીએ તો તમારુ

સપનાં કે વિશ્વાસ?

સપનાઓ તો સિકંદરનાં પણ પુરા નથી થયા અને  અને વિશ્વાસ તો નરસીંહ મહેતાનાં પણ અડગ રહ્યાં છે. કારણ ખબર છે?  સપનાઓ બેજવાબદાર હોય શકે છે.  જયારે વિશ્વાસ તો જવાબદારી સાથે જ રાખવાનો અને આપવાનો હોય છે.  #કમલમ