શિક્ષણ અને માનવીય સંવેદનશીલતા

બકો: મને હમણાં જ ખબર પડી કે સુનામી આવી હતી ત્યારે કોઈપણ પ્રકારના પ્રાણીઓને નુકશાની નહોતી થઈ! એવું કેમ? એમને કેવી રીતે ખબર પડી કે આવું કઇંક થવાનું છે?

ચકો: ખબર તો માણસોને પણ પડતી હતી..પણ હવે આપણે "ભણેલાં" જ છીએ અને એ એ પ્રાણીઓ અભણ પણ સવેદનશીલ.

સાચી વાત છે. આપણા આધુનિક ભણતરનાં પાયામાં જીવમાત્રને ભેટ સ્વરૂપે મળેલી અઢળક સ્પંદન શકિત, સવેદનશીલતા અને કુદરત સાથેની ગાંઠને આપણે ગુમાવી બેસ્યા છીએ. જે પહેલા ન હતું... ભારતીય ઉપખંડનાં રહીશોમાં એ આવડતો હતી. અને એજ આપણી શિક્ષણ વ્યવસ્થા હતી.

પણ આ કારણ વગરની દુનિયાની કોમ્પીટીશનનો આંધળો ભાગ બની રહેવા માટે આપણે આ બધી ભેટોને દાનમાં આપી દીધી. અને મેળવ્યું શું? કંટોલા! હમેશાં બે સ્ટેપ પાછળ રહેવાનું પસંદ કરી લીધું..... હજુએ જંગલોમાં અને અંતરિયાળ ગામડાઓમાં બાળકોને આ રીતે શિક્ષિત કરવામાં આવે છે. પણ આવતા સમયે એ પણ નામશેષ રહી જશે.

કલાકૃતિ, કારીગરી, વિજ્ઞાનને ફળવા માટે ની તમામ ભૌગોલિક સંશાધનો ભારતમાં મોજુદ હતા અને છે. આવતા સમયમાં એ શિક્ષણ વ્યવસ્થાની માંગ ખુબ જ વધશે જે મૂળ જરૂરિયાતો પર નું શિક્ષણ આપે. જેમકે, ખેતી, પાણીનાં સ્ત્રોત, સૂર્ય ઉર્જાનો મહતમ ઉપયોગ, કાચા અન્નને સાચવવાની કળાઓ, ઔષધિઓ વગેરે વગેરે...

- કમલ ભરખડા.


"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો