મોદી મોદી મોદી, સીપ્લેન, અને ઉજ્જવળ ભવિષ્ય
એરોનોટિકલ એન્જિનિયરિંગમાં મેં અભ્યાસ કર્યો હોવાને લીધે આજે ઉદ્ઘાટિત થયેલ અમદાવાદ-કેવડિયા-અમદાવાદ રૂટ પરની સી-પ્લેનની ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા ખુબ જ અદ્ભૂત અને મોટિવેશનલ છે. જે-તે સમયે હું મારો અભ્યાસ પૂર્ણ નહતો કરી શક્યો કારણકે એરોનોટિક્સ એન્જીનીયર્સની ભારતમાં ટેક્નિકલ સુપરવાઈઝર કરતા વધારે કોઈ કાર્યમાં ઉપયોગીતા નહતી અને હજુ કદાચ નથી. 2014, ની આસપાસ આ વિચાર મને આવ્યો હતો. ભારતમાં જો એર ટ્રાન્સપોર્ટનું ભવિષ્ય વધારવું હોય તો એક જ ઉપાય છે સી-પ્લેન વ્યવસ્થાનો ફેલાવો. ભારતના લગભગ મહાનગરો, નગરો અને શહેરો કોઈના કોઈ જળ સ્ત્રોતની આજુ બાજુ છે. આ સી-પ્લેન જેવી વ્યવસ્થા ખુબ જ ઉપયોગી નીવડે તેમ છે. મેં મારી રીતે HAL અને NAL ને ઇમેઇલ પણ લખ્યા હતા પરંતુ કોઈ સંવાદ પાંગર્યો નહતો. પરંતુ આ સી-પ્લેનની વ્યવસ્થા ને સેજ પણ સામાન્ય કક્ષા એ ન ગણાતા. ભારતના ભવિષ્યની ટ્રાન્સપોર્ટ ફેસેલિટી સાબિત થશે. પાણી પર લેન્ડિંગ અને ટેકઓફની વ્યવસ્થા ને લેધે મોંઘા અને સમય માંગી લે તેવા રનવે બનાવવાની જરૂરી નથી. ડોનિયર-320 જેવા સ્વદેશઓ વિમાન બનાવી ને હિન્દુસ્તાન એરોનૉટિકસે સાબિત કર્યું છે કે આપણે એરક્રાફ્ટનું ઉત્પાદન કરી શકીએ છ