પાક્કી ઉતરાયણ

ઉત્તરાયણ પહેલા દર વખતે લોકોને અને પક્ષીઓને પહોંચતી હાનિ વિશે ના સમાચારો અને લોકોમાં જાગૃતિ ફેલાય એ માટે અતિસંવેદનશીલ જાહેરાતો મુકવી લગભગ સામાન્ય થઈ ગયું છે.

કદાચ ગણીને 5 લોકોને ફરક પડ્યો હશે આ જાહેરાતોથી. અને કદાચ એક કે બે વ્યક્તિઓએ પતંગ ઉત્સવનો બહિષ્કાર કર્યો હશે.

હવે આ રીતે બંને વસ્તુને એક સાથે જોડીને શું લોજિક ઉભું થાય છે એ ખ્યાલ નથી આવતો.

યાતો પતંગ ઉત્સવ પર રોક લગાવો અથવા
કાચી દોરીનો વપરાશ જ કરવો એવી જાહેરાતો નહીં પણ કડક કાયદો અમલમાં લાવવો પડે.

હમણાં ગયા જ વર્ષે અમારી પોળના છોકરાનો પતંગ બાજુ વાળી પોળના છોકરા એ કાયપો તો જોર જોર થી બોલ્યો કે આવતા વર્ષે સ્ટીલનો દોરો લઈને આવું. પછી જોઈ લેજે.

હવે આ લોકો ને ક્યાં રોકવા જાવા. આ તો સ્ટીલ ને ઉડાડી ન શકો બાકી જો એ સંભવ હોય તો લોકો પોતાના ખંડિત અભિમાન ખાતર એનો ય ઉપયોગ કરવામાં પીછે હઠ ન કરે.

મૂળ મુદ્દે "પાકી દોરી" અને "પાકો માણહ" જ આ દેશની પત્તર ઠોકવા બેઠા છે.

તમતમારે બિન્દાસ પતંગ ઉત્સવ મનાવે રાખો. હાનિ જાય એના ગોમે.

પાકી દોરીએ તો બધા કાપે.... કાચી તલવારે માથા વાઢે ઇ ભડનો છોરો. બોવ દોરી નો ઘસાવતા. અને કાચ ઓછો રખાવજો.

જય હિન્દ.

- કમલ ભરખડા.

શું તમને દુઃખ લાગ્યું?

જે વાતથી આપણને મનદુઃખ થતું હોય એ વાતથી તો દુખ લગાડવું જ જોઈએ. દુઃખ લગાડવું આસન છે પરંતુ ત્યારબાદ ના પ્રયાસો જ મહત્વ ના છે.

મને દુઃખ લાગ્યા બાદ એ પરિસ્થતિ માં યાતો મારા સ્વભાવ ઉપર કાર્ય કરું અથવા સીસ્ટમ પર.

અમારા મિત્રને એ વાત થી તકલીફ થઈ કે લોકો એને વાણીયો કહીને બોલાવે છે. ;) આજે વાણીયો તો ફક્ત શબ્દ છે પરંતુ તેની પાછળ નો અર્થ એમને કોરી ખાય છે. એ એટલા માટે કે વર્ષો થી એમના વર્તુળમાં આવતા વ્યક્તિઓ એ જે માનસિકતાથી સમાજમાં કાર્ય કર્યું છે તેની છાપ ઉભી થઇ હશે. તેને લીધે આ તકલીફ રહેતી હશે.

અને આવું જ બીજા ઘણા સમાજના વ્યક્તિઓ ને થયા કરે છે.. મને પેલો ફલાણું કહે છે ને પેલો ફલાણું...!

પરંતુ તમે ક્યારેય ધ્યાન આપ્યું છે ખરી કે ફક્ત એક વ્યક્તિ આવી ને તમામ સમાજ ની કે વર્તુળની છાપ સુધારી શકે છે! 

જેમ અંગુલીમાનના એક જ નિર્ણયથી એમણે રામાયણ રચી શકે એ કક્ષાના થયા. ગાંધીજીને અંગ્રેજ દ્વારા થયેલ મનદુઃખને હિસાબે અંગ્રેજોનું ભારતમાંથી પલાયન ન થયું ત્યાં સુધી તેઓ મંડ્યા રહ્યા. બાબા સાહેબ સાથે થયેલ કોઈપણ પ્રકારના અપમાન ના જવાબ માં તેઓએ પોતાનું સામર્થ્ય સાબિત કરવા ત્યાં સુધી પહોંચ્યા કે આખરે નવનિર્મિત ભારત દેશનું બંધારણ એમણે ઘડ્યું. આ બધા કાર્યો આલોચનાથી પીડિત થઈને નહીં પણ ખરેખર કઈંક સુધારવાની દ્રષ્ટિ એ થયા હતા.

દુઃખ લાગ્યાં બાદના પ્રયાસો જ નક્કી કરે છે કે આગળ લોકો દ્વારા કરવામાં આવતાં એવા કોઈપણ પ્રયત્નોથી તકલીફ રહે કે મટે.

વિરોધ રસ્તો નથી પરંતુ માનવીય અને વૈશ્વિક ક્ષેત્રે નોંધનીય રહે એવા કાર્યો જ છાપ સુધારે છે. બાકી આલોચક અને નીંદક વધતાં વાર ન લાગે.

એક વસ્તુ નક્કી છે......સારા કર્મોનું  "જ" સારું ફળ મળે છે....!

- કમલ ભરખડા.

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો