કોઈની સાથે સારું થાય છે તો શું એને એક નવો હાથ ઉગી નીકળે છે? શું એ જ વ્યક્તિ જયારે નિષ્ફળતા પામે છે ત્યારે તેનો એક હાથ કે પગ ગાયબ થઇ જાય છે?
તમારી સાથે સારું/નરસું જે પણ થાય છે તેની અસર તમારા આખા શરીરમાં ક્યાંયે નથી થતી પણ જો થાય છે તો એ ફક્ત ને ફક્ત મગજમાં!!!
અને મગજ નું તો કામ છે નાની નાની વાતમાં સેન્ટી થઇ જવું...
એ રાહ જોતું હોય છે કે મારી (મગજની) સાથે કઇંક ખરાબ થાય અને હું બિચારું બની ને બેસી જાઉં અને મારો માલિક મને ચાટ ચાટ કરે....
જે થાય છે સારા માટે જ થાય છે અને હું મારા અનુભવ અને અનુભૂતિ ઉપર જ કહું છું. સાંભળેલું કે વાંચેલું નહીં.
કઇંક સારું હતું આપણી સાથે એટલે એનો મતલબ એ છે કે, આ સામાજિક વ્યવસ્થામાં ક્યાંક આપણે ચોક્કસ માળખું.પેટર્ન ને ફોલો કરી રહ્યા હતા અને એ મુજબ આપણે સકસેસ હતા
હવે નિષ્ફળતા બે રીતે આવે
1. પ્રથમ તો સામાજિક વ્યવસ્થાની માળખા/પેટર્નની મર્યાદાને તોડી ને રિસ્ક/જોખમ લઇ કઇંક નવું કરવા નીકળીએ ત્યારે આવે
૨. બીજું કે જે કામ સારું ચાલતું હતું અને તેમાં અનાયાસે બેદરકારી, બેજવાબદારી, અસામાજિક અથવા આળસ જેવા પરિબળોની તાકાત વધતાં જ નિષ્ફળતાનો પાયો નંખાય જાય છે.
પ્રથમ કેસ ને હું તો નિષ્ફળતા ગણતો જ નથી પરંતુ ઉત્ક્રાંતિ સાથે સરખાવું છું. અને જો એ ન થતું હોત તો આ દુનિયા આ ક્ષમતાએ પહોંચી જ ન હોત અને હું આ રીતે આ જ્ઞાન પીરસતો પણ ન હોત!! પ્રયત્ન કરવાવાળા ક્યારેય નિષ્ફળ નથી હોતા.
બીજા કેસ બાબતે તો મારે કાઈ બોલવા જેવું જ નથી ....
છેલ્લે છેલ્લે
જો મૂળ મુદ્દે પરિણામ લક્ષી કાર્ય કરીએ ત્યારે તકલીફ આવે એ સહન ન થાય
પણ જો કાર્ય લક્ષી કાર્ય હોય તો એ પરિણામ તરફી નથી હોતું... કારણકે એ કાર્ય કરવું તમને ગમે છે. અને એ કાર્ય જ તમારૂ જીવન છે અને સત્ય તરફ જવાનો માર્ગ પણ છે. તો પછી એનું પરિણામ કદાચ ખરાબ પણ આવે તો એ કાર્યની ક્ષમતામાં વધારો કરવો તમને ગમશે જ અને અંતે સમાજના માળખા મુજબ તમને સફળતા પણ મળશે.... અને ગમતા કાર્યમાં માનવીય મગજના એકપણ દુષણ હેરાન કરતાં નથી.
ફક્ત ને ફક્ત પોતાને ગમતું કાર્ય કરવાથી જ તમે ઈશ્વરીય અલૌકિકતા પામો છો જે તમને આ જગતની અગણિતતાની ઝાંખી કરાવે છે.
#કમલમ
આ ઓટલો એટલે દુનિયા, કે જે ઘણી સમજણ આપે છે અને જે સમયસર ન સમજે તેનો ઓટલો તુટવો જ રહ્યો. એક શ્રોતા બનીને ઓટલા પર બેસ્યો છું એટલે કહેવા માટે ઘણું બધુ છે.
જીવનમાં સફળતા પછી નિષ્ફળતા આવે તો એ સહન કઈ રીતે થાય?

આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)
"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.
જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો
-
ગુજરાતનું ગૌરવ, વ્યક્તિશ્રેષ્ઠ શ્રી શાહબુદ્ધિન રાઠોડ સાહેબ હવે ગર્વથી કહેશે કે, "આયા થી કોઈ એ જાન કાઢવી નહીં...આ રોડ આપડો છે અન...
-
તમે આ ક્યારેકતો આ કહેવત સાંભળી જ હશે કે, “ દીવા તળે અંધારું “. એજ રીતે શિક્ષણ દીવો છે અને દીવામાંથી નીકળતો પ્રકાશ એ આપણા સમાજમાં દેખાતી ...
-
માર્કેટનાં ખૂણા ઉપર દેહવ્યાપાર માટે ઉભી રહેલી સ્ત્રીને જોઈને 'ચકો' માથું ઝુકાવી ચાલવા માંડ્યો... બકો: (મંદ મંદ હસીને) કેમ લ્યા કેમ ...
-
કોઈપણ વ્યક્તિ ને આ ચાર પ્રકારની તકલીફનો સામનો કરવો પડે છે. જયારે કોઈ વ્યક્તિ તમને પોતાનો વિરોધી માનતો હોય ત્યારે એ વ્યક્તિ તમારી સાથે આ ચાર...
-
સમજોતા એક્સપ્રેસ એટલે ફક્ત ટ્રેન જ નથી ઉપરાંત તે બે પાડોશી દેશો વચ્ચેનાં ભાવનાત્મક જોડાણની અનુભૂત પણ છે. એક ટી.વી. શો પ્રોગ્રામમાં ભારત અન...
-
પાક સોબાના દુનિયાના બહેતરીન શુઝ (જૂતાં) બનાવનાર માંથી એક છે. તેઓ અવ્વલ દર્જાનાં કારીગર તો છે પણ તેમના દ્વારા બનાવેલા જૂતાં ખુબ કીમતી ગણાય છે...
-
પ્રિય, ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી, રમેશ મહેતા, પી. ખરસાણી, અસરાની, કિરણ કુમાર, સ્નેહલતા, અરુણા ઈરાની, રીટા ભાદુરી મહાનુભ...
-
મા ફ કરજો, મેં શીર્ષક દ્રારા કટાક્ષ મુકવાનો પ્રયત્ન કર્યો છે. ભારત દેશ મહાન હતો, પણ અત્યારે નથી. કારણ? યે દેશ થા વીર જવા...
-
દુધાળા પશુઓ અને ભારત - કમલ ભરખડા ગાય ભેંસ બકરી આ બધા પાલતું દુધાળા પશુઓ છે પણ છતાય "ગાય", આ શબ્દ હિંદુઓ માટે અથવા દરેક ભારતીયો ...
-
હિન્દુત્વ (સનાતન ધર્મ) પહેલા ધર્મ નહીં હોય પણ કદાચ એ એક ડોમેઈન લેસ મીકેનીઝમ/સિસ્ટમ(તંત્ર) હશે. ( મતલબ કે, તમામ વિચારસરણીનો સમન...