પોસ્ટ્સ

જુલાઈ 12, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

જીવનમાં સફળતા પછી નિષ્ફળતા આવે તો એ સહન કઈ રીતે થાય?

કોઈની સાથે સારું થાય છે તો શું એને એક નવો હાથ ઉગી નીકળે છે? શું એ જ વ્યક્તિ જયારે નિષ્ફળતા પામે છે ત્યારે તેનો એક હાથ કે પગ ગાયબ થઇ જાય છે? તમારી સાથે સારું/નરસું જે પણ થાય છે તેની અસર તમારા આખા શરીરમાં ક્યાંયે નથી થતી પણ જો થાય છે તો એ ફક્ત ને ફક્ત મગજમાં!!! અને મગજ નું તો કામ છે નાની નાની વાતમાં સેન્ટી થઇ જવું... એ રાહ જોતું હોય છે કે મારી (મગજની) સાથે કઇંક ખરાબ થાય અને હું બિચારું બની ને બેસી જાઉં અને મારો માલિક મને ચાટ ચાટ કરે.... જે થાય છે સારા માટે જ થાય છે અને હું મારા અનુભવ અને અનુભૂતિ ઉપર જ કહું છું. સાંભળેલું કે વાંચેલું નહીં. કઇંક સારું હતું આપણી સાથે એટલે એનો મતલબ એ છે કે, આ સામાજિક વ્યવસ્થામાં ક્યાંક આપણે ચોક્કસ માળખું.પેટર્ન ને ફોલો કરી રહ્યા હતા અને એ મુજબ આપણે સકસેસ હતા હવે નિષ્ફળતા બે રીતે આવે 1. પ્રથમ તો સામાજિક વ્યવસ્થાની માળખા/પેટર્નની મર્યાદાને તોડી ને રિસ્ક/જોખમ લઇ કઇંક નવું કરવા નીકળીએ ત્યારે આવે ૨. બીજું કે જે કામ સારું ચાલતું હતું અને તેમાં અનાયાસે બેદરકારી, બેજવાબદારી, અસામાજિક અથવા આળસ જેવા પરિબળોની તાકાત વધતાં જ નિષ્ફળતાનો પાયો નંખાય જાય છે. પ્રથમ કેસ ને હ