કમ્પની, આત્મીયતા, પ્રોડક્ટ અને સફળતા
એવું કહેવાય છે કે, કંપનીમાં કામ કરતા દરેક વ્યક્તિઓએ કુટુંબની જેમ કામ કરવું જોઈએ. ત્યારે જ કમ્પની એક વિશિષ્ટ પ્રકારનો સફળ પ્રોડક્ટ કે સર્વિસ વહેંચી શકે. અને સાચી જ વાત છે.... આખું કુટુંબ જ એક સારા એવા નર ને વરરાજો બનાવીને સરે આમ લગ્ન કરી વહેંચી નાખે છે. તમે જ કયો આ લગ્ન કુટુંબ વગર થાય ખરા...? એ મૂળ વાત પર આવું, જ્યાં સુધી કમ્પનીમાં દરેક કામ કરનાર સાથે આત્મીયતા ન જોડાય અથવા કમ્પની, તેમના કામદારો સાથે આત્મીયતા જોડવામાં નિષ્ફળ બને ત્યારે સૌથી પહેલા અસર એમનાં પ્રોડક્ટ પર પડે છે. - કમલ ભરખડા