સાઉદી આરેબિયાનાં "પ્રિન્સ મોહમ્મદ-બિન-સલમાન-અલ-સાઉદ" એ અમેરિકા સ્થિત યુનાઇટેડ નેશન્સની (UN) જનરલ મીટીંગમાં માનવતા તરફી શબ્દો કહ્યા.
એમણે કહ્યું કે,
"હું માનું છું કે પેલેસ્ટીનિયનો અને ઇઝરાયેલીઓ પાસે પોતાની જમીન હોવાનો અધિકાર છે. પરંતુ દરેક માટે સ્થિરતાને સુનિશ્ચિત કરવા અને સામાન્ય સંબંધો મેળવવા માટે અમારે શાંતિ કરાર કરવો પડશે."
ઇઝરાયલ અને તેના વિરોધી દેશો વચ્ચે ચાલી રહેલી પોતનાં વજૂદ માટેની વર્ષો જૂની તકરારો પ્રચલિત છે. અને આવા સંઘર્ષ વચ્ચે આ ઠંડા વાયરા જેવા શબ્દો કોઈ રાજનીતિ છે કે પછી સુરક્ષિત ભવિષ્યના પેઠે જૂની અપેક્ષાઓ પરનો કાપ છે, એ પછી ખ્યાલ આવશે. પણ... ત્યાં સુધી આપણે આવા સમાચાર ને એક પોઝીટીવ રીતે લઈએ.
એક નવી પેઢી પરિસ્થતિઓ ને કઈ રીતે જોઈ શકે છે તેનો ઉતમ દાખલો આપ્યો છે પ્રિન્સે. લડત ચાલુ રહેવી જરૂરી છે. પરંતુ ફક્ત અભિમાન ખાતર માનવતા ને નેવે મૂકી વર્ષોથી ચાલી રહેલી લડતો પર નવી પેઢીને કોઈ જ રસ નથી એ પ્રિન્સે એમના શબ્દોથી વર્ણવી દીધું.
લડત ચાલુ રહેવી જોઈએ..અને જયારે બંને બાજુ થી પેઢી બદલાશે ત્યારે બંને નવી પેઢી નક્કી કરશે કે આગળ શું કરવું? આપણા હાથમાં અત્યારે શું છે? અને આપણે જો આ લડત વિના લગામે ચાલુ જ રાખશું તો હાથમાં શું રહેશે? શું આપણું ભવિષ્ય યોગ્ય રહેશે આ સંઘર્ષને લીધે? જો નહીં તો યોગ્ય પગલાં લેશે આવનાર પેઢી.
અને મારા ખ્યાલથી આવું જ થશે...અને આપણે ભવિષ્યના સોનેરી દેશ તરફ આગળ વધીએ અને આપણા બાળકોને આપણે સુશિક્ષિત કરીએ તથા અન્યાય સામે લડત લડતા પણ શીખવાડીએ જેથી તેઓ નિર્ણય લેવામાં પાછા ન પડે.
- કમલ ભરખડા