નિશાળેથી મળેલી અવર્ણનીય એવમ અમુલ્ય ભેટ
નિશાળેથી મળેલી અવર્ણનીય એવમ અમુલ્ય ભેટ પ્રભાતિયાં: પ્રાચીનથી અર્વાચીનથી અનાદી કાળ સુધી પ્રફુલ્લિત પ્રભાતિયાંમાં સંગીત અને સંસ્કાર એક સાથે ગૂંથાયેલા છે. બાળપણમાં સંગીત માનસપટમાં અંકીત થયેલું હોય એટલે સંગીત યુવાની તથા ત્યારબાદની અવસ્થા માટે ઔષધીય પુરક તત્વ બને છે. જયારે આ અવસ્થામાં, કર્ણપ્રિય સંગીતનાં મોહમાં, આ પ્રભાતિયાં સાંભળીયે એટલે તેની અંદર કોતરાયેલા અમુલ્ય શબ્દો બ્રહ્મસત્ય તથા વ્યવહારિક સત્યની ઝાંખી કરાવી જાય છે. અને એમ થાય કે, આ તો કુબેરનો ખજાનો હતો અને હજી સુધી ક્યાં હતો!!