પોસ્ટ્સ

સપ્ટેમ્બર 22, 2016 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

જાહેરાત દાનની કે પછી ડોનરની?

ગઈકાલે અડ્ડામાં એક મિત્રએ સુરતનાં  સત્જન દ્વારા કરવામાં આવેલ આપણા ૧૭ શહીદ સૈનિકોના પરિવારને આર્થિક મદદની જાહેરાત બાબતે અભિનંદન અને પરોક્ષ રીતે સમાજને એક સારી શિખામણ આપતો ફોટો પોસ્ટ કર્યો હતો. આર્થિક મદદ જો સદ્કાર્યે થતી હોય તો એ “દાન” છે. એ જ પોસ્ટમાં કિરણ ત્રીવેદીજીની કમેન્ટ વાંચ્યા બાદ મને એવું લાગ્યું કે, એમનાથી પોસ્ટ જોયા પછી રહેવાયું નહીં હોય અને નિખાલસપણે એમણે પોતાની લાગણી વ્યક્ત કરી દીધી હશે, અને અમુક વ્યક્તિઓને એમનો વિરોધ પણ કર્યો. પરંતુ હું તો એમની વાત સાથે સંપૂર્ણ સહમત હતો. એમની અપીલ એ વ્યક્તિ પર ન હતી પરંતુ તેમની સહાય/દાન જાહેરાત કરવાની મેથડ પર હતી એવું મને દેખાઈ આવતું હતું અને એ સાચું પણ હતું. હવે એજ પોસ્ટમાં બીજી કમેન્ટ એવી પણ વાંચવા મળી કે, એ સત્જ્ન દ્વારા થયેલા શુભ પ્રયાસોથી સમાજમાં લોકોને સહાય બાબતે એક સારો મેસેજ પહોંચે અને લોકો પોતાની શક્તિ અનુસાર જરૂરિયાતમંદોને નાની મોટી મદદ કરવા હેતુ માનસિક બળ મળે. ટેકનીકલી એ પણ સાચી વાત છે. દાન જેવી ક્રિયાનો પણ એક પ્રોટોકોલ હોય છે અને જો તમારે તમારાં દાનથી લોકોમાં જાગૃતિ ફેલાવવાનો ઈરાદો પણ હોય તો એ પ્રોટોકોલ મુજબ જ દાનની જા