દુનિયાનો સૌથી મોટો દંભ

"ભગવાન જે કરે છે એ સારા માટે જ કરે છે..."

આ વાક્ય લગભગ બધાજ લોકો સાંભળતા અને બોલતા હશે. (હું તો દિવસમાં લગભગ એક-બે વાર આ વાક્યનો ડોઝ આપી જ દઉં છું)

પણ જ્યારે પ્રથમ વખત મેં મારા માટે આ વાક્યનો પ્રયોગ કર્યો ત્યારે મને ખરેખર લાગ્યું કે હું મારી જાત સાથે આવું બોલી હું અન્યાય જ કરી રહ્યો છું. અન્યાય એટલા માટે કે, આપણા કરેલ કર્મોની સીધે સીધી છટકબારી રૂપે આ વાક્યપ્રયોગ થઈ શકે છે.

જે કર્યું છે એ તમે કર્યું છે
જે નિર્ણયો લીધા એ તમે લીધા છે.
જે થશે એ પણ તમારા નિર્ણયોને લીધે જ થશે
તો કુદરત કેવી રીતે વચ્ચે આવ્યું?

ઘણા લોકો અત્યાચાર કરીને પશ્ચાતાપ હેતું માફી માંગવા જગ્યાએ પોતે પોતાના મનમાં જ આવું બોલીને ધારી લે છે કે ગમે ત્યાં કુદરતની જ પરવાનગી હશે. અને પોતે આ કર્મોથી છટકવાનો રસ્તો ગોતી લે છે.

બીજું એ કે જે પરિસ્થતિવશ મજબુર લોકો પર અત્યાચાર થાય છે તેઓને સામે પ્રહાર કે લડવાની જગ્યાએ આવું મનમાં બોલીને બેસી જાય છે.

હું માનું છું કે, સમયની રાહ જોવી યોગ્ય છે પણ આવુ બોલી મૌન ધારણ કરી લેવું એ સેજેય યોગ્ય મને નથી લાગતું.

જે ઈચ્છો છો તેના માટે એ લેવલ જેટલી મહેનત કરવી જ રહી. અને જે થયું છે તેની સંપૂર્ણપણે ચોકસાઈ રાખવી એ પણ આપણી જ જવાબદારી
થઈ.

કમલ

દેવીપુજક સમાજની સ્ત્રીઓ અને સમાનતા

ભારતમાં સ્ત્રી-પુરુષ વચ્ચે જો તમામ પ્રકારની સમાનતા અને માનસિક-શારીરિક દબાણની સમાન વહેંચણી જો ક્યાંય હોય તો એ છે દેવીપૂજક/પટની સમાજનાં લોકોમાં. અને તકલીફની વાત એ છે કે લોકો તેઓને સામાજિક દ્રષ્ટિએ નીચલી નજરે જોવે છે.

ભાષાવ્યવહાર અને રહેણીકરણીને જો બાદ કરવામાં આવે તો તેમનામાં સ્ત્રી અને પુરુષ વચ્ચે કોઈ જ પ્રકારનો ભેદ જોવા મળતો નથી.

જેટલો હક પુરુષનો તેની સ્ત્રી પર હોય એટલો જ હક સ્ત્રીનો પુરુષ પર. અને મોટેભાગે તેઓ લગ્ન બાદ અલગ રહી ગુજરાન ચલાવવાનો પ્રયત્ન કરે છે જેમાં સ્ત્રી પુરુષ બંને સરખો ભાગ ભજવે છે.

દેવીપુજક સમાજની સ્ત્રીઓનું જીવન જોવાનું જે જીગર હોય છે એ મુજબ જો તેઓ કોઈ  "વાદ" ના શિકાર ન થયા હોત તો છતાં પણ એમના વીલ પાવર, લડવાની ક્ષમતા અને વ્યવસાયિક સુઝબૂઝમાં કોઈ જાજો ફેર ન પડ્યો હોત.

ઘણી વખતતો શાક ભાજી લઈને પતિ પત્ની બેઠા હોય ત્યારે એ સ્ત્રી મેનેજ પણ કરે, છોકરો પણ સાચવે અને વેપાર પણ કરે...અને એનો વર જો કામના ટાઈમ પર કામ ન કરે તો એક-બે ગાળો પણ આપે. પણ તેનો પતિ તેની સામે થોડી ધડ કરે પણ છેલ્લે મારું બૈરું કે ઇજ હાંચુ કૈને વાત પતાવી નાખે. :D એક અનોખી પ્રકારની રિસ્પેક્ટ એ પુરુષોની એમની સ્ત્રીઓ માટે જોવા મળે છે.

એ લોકો વર્તમાનમાં જીવનાર લોકો છે. એટલે જ એમને એકબીજાની કદર છે. સાચી કદર.

દેવીપુજક સમાજની સ્ત્રીઓની ભાષા વ્યવહારમાંથી ગાળોનાં સંવાદ બાદ કરીએ તો તેઓ તમને એમના જ વિષયની ધારદાર અને અતિ સંશોધનાત્મક દલીલો રજુ કરી શકે છે.

હવે એજ સ્ત્રીઓ જો શિક્ષિત બને તો મારું માનવું રહ્યું કે એ સ્ત્રીઓ નવો ચીલો ચાતરી શકે છે.

કમલ

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો