લોઈ નો સબંધ
લોઈ નો સબંધ નિભાવવો અઘરો હોય છે. અને ચાલવા દો તો આસાન હોય છે. અને લોઈનું તો નસીબ જ છે વપરાઈ જવું. જ્યાં સુધી શરીર માં છે ત્યાં સુધી જીવતા છીએ. એમ જ લોઈ ના સબંધોમાં, સમજણ જ્યાં સુધી જીવતી છે ત્યાં સુધી કુટુંબ જીવતું છે. ૧૦૦૦ પારકાના સમૂહમાં ૧ લોઈના સબંધી ને જોવાનો સંતોષ સમયે જ મળે છે. અને એ સમય જરૂર આવે જ છે. જયારે હાડકા હોય છે મજબુત પણ ટાઈમે ઈ તૂટી જાય છે પણ લોઈ હમેશા કામ આવે છે. લોઈ ની કદર કરો... એ થીજી જશે તો દુનિયા નહીં ઉભી રહે પણ જો ચાલવા દીધું હોય તો આજે સમય પેલા લોઈ થીજવાના અનુભવ નહીં થાય. - કમલ ભરખડા