પોસ્ટ્સ

માર્ચ 28, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

કોરો ડાટ માણસ

જે-જે વ્યક્તિ હાલ પોતે જે શહેરમાંથી રોજી-રોટી મેળવે છે એ લોકો એ છોડી ને પોતાનાં વતને પાછાં ફરે છે એમણે ખરેખર પાછું આવવું જ ન જોઈએ...! કારણકે જે ભૂમિ તમારું અને તમારા પરિવારનું પેટ ભરે છે એ ભૂમિ માટે આ કપરા ક્ષણોમાં તમારી ભાવનાત્મકતા શૂન્ય થઇ જાય એ અમાનવીય લક્ષણો છે. તમે જે ગામ મુકીને રોટલી માટે અહી આવ્યાં તે એ ગામ અત્યારે તમને શું આપી દેવાનું છે? અને જો ત્યાં અત્યારે તમે જે પણ કરી ને ગુજરાન ચલાવશો તો આગળ એ રીતે જ ભેગું કરજો...અને શહેરો ને માફ કરજો વ્હાલા. અને ટોળે ને ટોળા નીકળી જ પડ્યા જેમકે દુનિયાનો અંત થવાનો હોય એમ. એ લોકો જ્યાં જઈ રહ્યા છે એ એમનાં વતન ની પણ ચિંતા નથી કરતા! અને હા બાપુ જે દોઢડાહ્યાંઓ આ બાબતે બિચારા લોકોનો પક્ષ લઈને અહી કમેન્ટ કરવા આવશે એમને કોઈ સ્થાન નથી કારણકે એમને ફક્ત બિચારા પણું દેખાય છે પણ એમની માનસિકતામાં બેસેલી અસ્થિરતા નહીં દેખાય. એ લા ભાઈ, અહિયાં લગભગ બધાની એક જ પરિસ્થતિ છે. દરેકની સુરક્ષા એટલી જ મહત્વની છે જેટલી એમની છે. આ વિષયે ઘણું વિરોધાત્મક બોલી શકાય છે પણ નથી બોલવું. આટલું બસ છે. આ પરિસ્થતિમાં કોઈ અમીર નથી કે કોઈ ગરીબ. સરકારનો સપોર્ટ દરેક માટે સરખો જ