ભારત ગ્લોબલ થવાં જઇ રહ્યું છે ત્યારે
કોઈક હિન્દૂ થઈ રહ્યું છે
તો કોઈક મુસલમાન
તો કોઈક બુદ્ધીષ્ટ
તો કોઈક સવર્ણ તો કોઈક દલિત થવા જઈ રહ્યું છે.
અહીંયા પૈસા અને કામ હશે તો ધર્મ અને જાતિ ટકશે...
હવે ફક્ત ભારતની જ ખપત પૂરતું કામ નથી કરવાનું પરંતુ ઔદ્યોગિક ક્ષેત્રે આગળ વધી ગયેલા રાષ્ટ્રો માટે ઉત્પાદન કેન્દ્ર બનવાનું છે. ત્યારે આપણાં દેશને હાલમાં એક ભારતીયની જરૂર વધારે રહેશે.
તમારી પ્રાથમિક જરૂરિયાતો પૂર્ણ થાય છે એટલે ગૌણ દલીલો શિકાર ન બનો અને ભારત ને હાલ સંપૂર્ણ સમૃદ્ધ બનાવવાનો વિચાર કરીએ.
તમે જો સાચાં જ હોય તો પોતાને સાબિત કરવું એ તમારી જવાબદારી નથી..પરંતુ એ જાણવુ આસાન છે તમારા દ્વારા થયેલા કર્મો દ્વારા.
કાર્ય બધું જ કહી દે છે કોણ કેટલું પાણીમાં.
કમલ ભરખડા.