પોસ્ટ્સ

ઑક્ટોબર 14, 2014 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ધાર્મિક સ્થળો અને સ્ટ્રેસ મેનેજમેન્ટ

ખરેખર તો આ વિષય પર લખવા માટે ઉંમર અને અનુભવ બંને ઓછા પડે પણ હાલમાં જે અનુભવ મને થયો એ વિષે જરૂર લખવાની ઇચ્છા છે. મંદિરો અને બીજા ધાર્મિક સ્થળોમાં અમુક લોકો નિયમિત ધોરણે કેમ હાજરી પુરાવતા હશે અને ત્યાં બેસી ને કરતા શું હશે અને તેમને મળતું શું હશે એવા એવા નાહકનાં પણ સહજ વિચારોને વશ હતો. પરંતુ હાલ જ ખાનગી કે પછી અમુક ધંધાકીય મુંજવણોને લઇને થોડો માનસિક રીતે તણાવમાં હતો. ક્યાં બેસવું, કોની સાથે બેસવું અને કોની સાથે બેસીને સમસ્યા હાલ કરું એ બાબતે દ્વિધામાં હતો. જો કે મારી પોતાની ફિલોસોફી પણ એવી છે કે, બની શકે તો હું મારી સમસ્યાઓ જાતે જ મારા અંતર આત્માનાં ઈશારે ઈશારે પાર પાડવાનો પ્રયત્ન કરું છું. તો થયું એમ કે, એ દિવસે વિચારોને વિચારોમાં ગંભીર મુદ્રા સાથે કાલુપુરનાં શ્રી સ્વામીનારાયણ મંદિરે જઇ ચડ્યો જો કે મંદિરમાં જવાનું કારણ એ હતું કે હજી સુધી આટલો સમય અમદાવાદમાં રહ્યા છતાં એ પવિત્ર સ્થળની મુલાકાત લઇ ન શક્યો અને બીજી કોઈ એવી બેઠક પણ નો'તી કે જ્યાં સમય પસાર કરી શકું. (હવે ખબર નહિ કે ત્યારે ઈશ્વરીય તત્વની પણ એવીજ ઈચ્છા હશે કે મને મારા ઉચિત સમયેજ બોલાવવો હોય, બરાબર ને ? )  હવે મંદ