પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ
હિન્દુત્વ (સનાતન ધર્મ) પહેલા ધર્મ નહીં હોય પણ કદાચ એ એક ડોમેઈન લેસ મીકેનીઝમ/સિસ્ટમ(તંત્ર) હશે. ( મતલબ કે, તમામ વિચારસરણીનો સમન્વય) જે વ્યક્તિ , કોઈને માને કે ન માને પરંતુ તે પ્રત્યક્ષ કે પરોક્ષપણે હિન્દૂ “સિસ્ટમ”નો જ ગણાતો અને હાલમાં પણ ગણાય જ છે. પ્રાચીન હિંદુત્વ એક સર્ટિફિકેટ લેસ સિસ્ટમ હશે. જેમકે , બાઉન્ડ્રીલેસ સ્ટ્રક્ચર એટલે કે, કોઈપણ પ્રકારના બંધન વગરની ઉદારવાદીનીતિ અને વ્યક્તિઓથી બનેલું સુઆયોજિત માળખું. માણસાઈ, સંપન્ન સમાજરચના અને સમૃદ્ધ રાષ્ટ્ર બસ એજ એમના લક્ષ્યો હતાં. હિંદુત્વ એ ત્યારની સ્થાપિત ભારતીય સંસ્કૃતિનો સંપુર્ણ ભાગ હતો, જેમાં કોઈપણ ભૌતિક , લૌકિક , સામાજીક , વૈચારિક કે પછી ધાર્મિક બંધનો અને અન્ય બંધારણો કે જે માણસને પોતાની સ્વતંત્રતા વિરૂદ્ધ બાંધી રાખે તેવી કોઈ જોગવાઇઓ જ ન હતી. એક એવી અત્યાધુનિક રેશનલ વિચારધારાની સંસ્કૃતિ કે જેણે હર-હંમેશ તમામ બીજી સંસ્કૃતિઓને અને વિચારધારાને આવકાર જ આપ્યો છે. શું તમે શરાબ પીવો છો , તમે માંસ ખાઓ છો , તમે મૂર્તિ પૂજામાં નથી માનતા , તમે મંદિરમાં નથી જતાં , તમે નિત્ય ક્રિયા નથી કરતા , ત