ગુજરાતીઓ ફક્ત વ્યપાર જ કરી શકે એવી છાપ શેના માટે? કેમ એક ગુજરાતી કલાકાર સાહિત્ય કે પછી કળા ક્ષેત્રે વૈશ્વિક નામનાં ન મેળવી શકે? ગુજરાતી સાહિત્ય ક્ષેત્રમાં રાજુ પટેલ ઘણું સારું કવર કરી રહ્યા છે. તેઓ એ આજે ઉપર મુકેલા પ્રશ્ન સાથે એક અહેવાલ રજુ કર્યો. જો કે, એ અહેવાલમાં ગુજરાતી પ્રજા "સાહિત્ય" તરફ પણ ધ્યાન આપે એવી એમની ઈચ્છા વ્યક્ત કરતો અભિગમ જણાતો હતો. પરંતુ પ્રશ્ન વ્યાજબી તો છે જ કે, ગુજરાતીઓને વ્યપાર અથવા “અર્થ” પાછળ આટલી બધી રૂચી કેમ ધરાવે છે? શું ગુજરાતી પ્રજા ખરેખર દરિદ્ર છે કે તેઓ હજુ અર્થ પાછળ જ ભાગે છે? કળા ક્ષેત્રે કેમ ૧ ટકા પ્રજાનું પણ યોગદાન નથી? ત્યારબાદ મેં મારી રીતે, આ પ્રશ્નનો, મારી દ્રષ્ટિ, સમજણ મુજબ જવાબ આપવાનો પ્રયત્ન કર્યો જે નીચે મુજબનો છે. “પણ જ્યાં સુધી મટે નહીં અંતરનો વિખવાદ, કબીર કહે કડછા કંદોઈનાં, કોઈ દી ના પામે સ્વાદ” હું ગુજરાતી છું એટલે હું શું છું, એ તો મને ખબર જ છે ને બીજા શું છે અને કેમ છે એ મારી જિજ્ઞાસા પણ છે. પરંતુ જ્યાં સુધી જે વસ્તુ મારા જીવનનો એક ભાગ હોવી જોઈએ, અને એ હવે નથી તો એ મારે ચકાસવાનું રહ્યું કે, આપણા ગુજરાતીઓની ઉત્ક્રાંતિ (