મા
|
ફ કરજો, મેં શીર્ષક દ્રારા કટાક્ષ મુકવાનો પ્રયત્ન કર્યો છે.
ભારત દેશ મહાન હતો, પણ અત્યારે નથી. કારણ?
યે દેશ થા વીર જવાનો કા, અલબેલો કા, મતવાલો કા,
ઇસ દેશ કે યારો
લગ ગયે હૈ, બડે મોટે મોટે લગ ગયે હૈ!
- ટીમ, ઐસી તૈસી ડેમોક્રેસી
દેશ મહાન બને છે પણ કોના થકી? બીલકુલ એમના નાગરિકોના યોગ્ય અભિગમ થકી. આપણે અમેરિકાનો જ દાખલો લઈએ તો ખ્યાલ આવે કે, અમેરિકનો એક એવાં અભિગમ સાથે જ જન્મ લે છે કે જેના માટે દેશની ઉન્નતિ સિવાય બીજું કૈંજ વિશેષ નથી હોતું. ભારત પણ એક સમયે સોનાની ચીડિયા તરીકે ઓળખાયું હતું. દસ એક સદીઓમાં એવું તો શું થયું કે, હવે એ પરિસ્થતિ આપણે સપનામાં પણ વિચારી ન શકીએ કે, ભારત સમૃદ્ધિને ખોળે પાછું આવશે!
દેશનું સ્ટેપ બાય સ્ટેપ ઉન્નત થવું એ ખરેખર અતિમહત્વની વિભાવના(Concept)
છે જે સમજવી ખુબ જરૂરી છે. દેશની ડેટમ લેવલથી મહાન(ઉન્નત) થવાં સુધીની પદ્ધતિ છે
જેને દેશનો ઉત્ક્રાંતિવાદ કહી શકાય. હાં, દેશની ઉત્ક્રાંતિ ડાર્વિનના માણસના
ઉત્ક્રાંતિના સિધ્ધાંતની સમાંતર જ ચાલે છે. આગળ વધીએ.
દેશની મહાનતા કોઈ ઈમારત નથી કે જેને એકવાર બનાવી લીધા પછી ધ્યાનબાર
કરી દેવામાં આવે તો કોઈ તકલીફ નહીં થાય. પરંતુ ભારત સાથે એ થયું છે. ભારતના જ
નાગરિકો એ એમના દેશ સાથે એજ કર્યું છે. ભારતની ચડતીનો ખોટો ઉપયોગ કરી વર્ષો પહેલા
આધ્યાત્મિક, ધર્મવાદનાં, જાતિવાદના અને બીજા અનેક અમાનવીય દુષણોને રવાડે એવો ચડ્યો
કે પછી હજુ સુધી બહાર જ નથી નીકળી શક્યો. ચાલો દેશ એક પાયાથી લઈને ઉન્નતિની રસ્તો
કેવો હોય છે એ સમજીએ.
કોઈ પણ રાષ્ટ્રનું નવનિર્માણ થાય ત્યારે સૌ પ્રથમ રાષ્ટ્રના
દરેક વ્યક્તિએ મજૂરીને રાષ્ટ્રીય સંશાધન પુરવઠા તરીકે લેવું પડે છે. મજુરી એટલે
ખેતી, સમાજ રચના વગેરે વગેરે. ધીરે ધીરે રાષ્ટ્ર મજુરી કરી કરીને પોતાના પગ ભેર થાય
છે અને એ સમય એવો હોય છે જયારે રાષ્ટ્રએ ફક્ત પોતાના આંતરિયાળ પરિસ્થતિઓને જ પગભેર
કરવાની હોય છે અને બીજા કોઈ પરદેશી વહીવટો કરવાના હોતા નથી એટલે રાષ્ટ્ર પાસે ભંડોળ
જલ્દી ભેગું થાય છે.
ભંડોળને નવાનવા કામ અને કમાણીના રસ્તાઓ શોધવામાં ઉપયોગમાં લેવાય
છે. એ પછી યુગ આવે છે કારીગરીનો. જેમાં દરેક વ્યક્તિ ફક્ત શારીરિક નહિ પણ માનસિક
રીતે પણ રાષ્ટ્ર સાથે આગળ વધે છે અને રાષ્ટ્રને આગળ વધારે છે. જેમાં નવાનવા
વૈજ્ઞાનિક સંશોધનો, સાહિત્ય, કળા જેવી સોને પે સુહાગા જેવી પરિસ્થતિઓનું નિર્માણ થાય
છે. આ કાળમાં રહ્યા બાદ રાષ્ટ્ર સંપન્ન થાય છે.
રાષ્ટ્રના સંપન્ન થયા બાદ રાષ્ટ્રમાં એક એવો વર્ગ ઉભો થાય છે જે
એક માનસિક અને સામાજિક રીતે વડીલ હોય છે. જે પોતાના રાષ્ટ્રને પ્રગતિના પંથ પર આગળને
આગળ લઇ જવા હેતુસર પોતાની છબીને દુનિયા સામે સુધારવા માટે ધરખમ પ્રયત્નો કરે છે.
અને એ છબી એટલે લાફો મારીને ગાલ લાલ રાખવાની કળા. પણ સત્ય એ નથી. સત્ય એ છે કે એ
બધું કર્યા પછી રાષ્ટ્ર ખરેખર દુનિયાનાં તમામ રાષ્ટ્રો સાથે સ્પર્ધામાં આવે છે.
હવે જે પેલ્લી પેઢી હતી જેણે આ કાર્ય કર્યું હતું એ લગભગ ૨૦૦૦
વર્ષો પહેલાનો સમય હતો. હા સાચી વાત છે. આપણી ભારતીય સંસ્કૃતિ કઈ અત્યારની નથી પણ આદિકાળથી
સંપન્ન છે. સિંધુ ખીણની સંસ્કૃતિથી લઈને મધ્યકાળ સુધીનું ભારત કે જે આંતરરાષ્ટ્રિય
કક્ષાએ મારીમસાલા અને બીજા અનેક પ્રોડક્ટસ અને કળાને લીધે ઔદ્યોગિક કેન્દ્ર બન્યું
હતું. ભારતે એ દરેક પરિસ્થતિઓનો સામનો કર્યો કે જે એક ઉન્નત રાષ્ટ્રેને કરવું જ
પડે. અમેરિકાએ તો એ સમયે જનમ પણ નો’તો લીધો.
રાષ્ટ્ર સંપન્ન થયા પછી રાષ્ટ્રનો દરેક વ્યક્તિ તાકાતવાન અને માનસિક
ઢબે પરિપક્વ બને છે. રાષ્ટ્ર જયારે પોતાના આર્થિક સ્વચાલિત ચક્રો ફરવા લાગે ત્યારે
નાગરિકો પર દેશની જવાબદારી પર ધરખમ ઘટાડો થાય છે. પછી ઉદય થાય છે રાષ્ટ્રવહીવટ, રાજકારણ,
મૂડીવાદ અને માફીયારાજનો. કે જેઓ મહેનત નહીં પણ શોર્ટકટ લે છે. દરેકના પોતપોતાના
કારણો હોય છે પણ ક્યાંકને ક્યાંક રાષ્ટ્ર દુષિત જરૂર થાય છે. આજ લોકો પોતાની કમાણી
લોકો પાસેથી ઉઘરાવે છે અને તેના માટે સમાજ રચનાની જરૂર પડે છે. જેનો પ્રતાપે છે આ જાતિવાદ,
ધર્મની રાજનીતિ જેવા દુષણો આપણે સહન કરવા રહ્યા.
OK તમને પ્રશ્ન થવો રહ્યો કે, રાજકારણ, મૂડીવાદ અને માફિયારાજ આ
બધા તત્વો અમેરિકા અને બીજા અનેક વિકસિત દેશોમાં પણ છે છતાય આપણા બધાયને એ પાક્કા
પાયે અનુમાન છે કે, એ દેશોને એવી તકલીફ ક્યારેય નહીં પડે જે આપણે ભોગવી રહ્યા છીએ.
આ બાબતે મેં ઊંડાણમાં વધારે સમજવાનો પ્રયત્ન કર્યો તો કારણ મળ્યું ભારતીયોનાં
સામાજિક અને વ્યક્તિગત જીવનમાં હદ વગરનું અધ્યાત્મવાદ અને ધર્મવાદનું પ્રમાણ!
(કોઈપણ જાતની ગ્રંથી રાખ્યા વગર આગળ વાંચવું)
વ્યક્તિ જયારે ઉન્નત બને છે ત્યારે છેલ્લે સુખ અને શાંતિની શૈયા
ગોતવાનો પ્રયત્ન કરે છે. ત્યારે જ એ માણસનો ભેટ થાય છે આત્મજ્ઞાન સાથે. પછી આગળ
વ્યક્તિ આત્મા અને સ્વાનંદનાં ઉંડા ચક્કરમાં પડે છે. અને એ પ્રોસેસને સાધુ-સંતોએ
અધ્યાત્મ અને ઝેન જેવા નામો આપ્યા. શરૂઆતની પેઢી એ જ્ઞાનને બરાબર સમજી હતી પણ જેમ
જેમ ભાષામાં અપભ્રંસ જોવા મળે છે તેમજ પેઢી દર પેઢી જ્ઞાનની સમજણમાં પણ લોકો પોતાના
સ્વાર્થને જોડીને અપભ્રંસ ઉભો કરે છે. ત્યારબાદ બે ત્રણ સદીઓ પછી લોકો પોતાના સુખ અને
શાંતિના સ્વાર્થ ખાતર સામજિક અને પારિવારિક જવાબદારીમાંથી છૂટવા માટે અધ્યાત્મનો ખોટી
રીતે ઉપયોગ કરવા લાગ્યા. જે એક રીતે ભ્રષ્ટાચાર થયો. ધીમે ધીમે લોકોના હાડકાં તો
નબળા પડ્યા જ પણ આગળ જતા પોતાનું જમીર અને મુલ્યોને નેવે મુકીને અમાનવીય કાર્યોંમાં
લાગી ગયા.
ધર્મવાદ સારો અને ખરાબ પણ. (ધર્મવાદ સારી કઈ રીતે એ અહીં ચર્ચાનો
વિષય નથી.) ધાર્મિક મોભલાઓ એ જાતિવાદ જેવો દુષણ ઉભો કર્યો. (કેમ કર્યો એ પોતે
પોતાનામાં સ્વતંત્ર વિષય છે) અને જાતિવાદનાં લીધે જ એક જાતિના લોકો બીજી જાતીનાં
લોકો શું કરે છે, તેની સાળસંભાળ લેતા બંધ થયા. લોકો માટે પોતાનો સમાજ જ પ્રાથમિકતા
બન્યો અને દેશ ગૌણ. બસ અને એ ચાલતું રહ્યું.
લોકોમાં દંભ, પરિવારવાદ, દહેજ, કોમી ઝગડાઓ
અને ભ્રષ્ટાચાર ફળતો ફુલતો ગયો અને ભારતના લોકો ધીમે ધીમે આત્માથી નબળા બન્યા. બસ
આજ માનસિક નબળાઈઓને લીધે જેતે યુગપુરુષો લોકોની માનસિકતા અને નબળાઈનો ફાયદો ઉપાડતા
જ ગયા.
પણ જે પ્રમાણે આપણે આપણા ઈતિહાસને સમજીએ છીએ એ રીતે ભારત સોનાની
ચીડિયા તરીકે ખ્યાતનામ થયા પછી અને રાજાઓની એક પછી એક ઘણી પેઢીઓ બદલાયી પછી જે
અમેરિકા એ જે કર્યું એ આપણે ન કરી શક્યા. પણ એથી ઉલટું ઉપર સમજ્યા એમ આપણા પૂર્વજો
એ ભોગ-વિલાસમાં તાકાત, શોર્યતા અને જમીર એમ બધુ ગુમાવ્યું. (અમુક પ્રતિભાઓને
છોડીને) જેથી કરીને ચંગેઝખાન, મુઘલો અને અંગ્રજો જેવા વહવાયા વારંવાર ચડાઈ કરી ને
દેશની રીતસર પત્તર ઠોકી નાખી.
પરંતુ જેમ રસ્સી સળગે પણ વળ ન છોડે એ રીતે એ સદીઓ જુની જી-સાહેબીને
ટકાવી રાખવા માટે ઉનાળામાં કૃત્રિમ ઠંડક આપતા એ.સી.ની માફક પોતાને મહાન બનાવી
રાખવાના ભારતીયોના પેતરા જરાય પચે એમ નથી.
ફરી એક વખત આ લેખની પહેલી લાઈન વાંચો. આ દેશ મહાન નથી એ
વિચારીને નિરાશ થવાની જરૂર જરાય નથી. દેશને મહાન બનાવવું કે નહીં એ આપણો અભિગમ
નક્કી કરશે. નમાલાની જેમ બેસ્યા રહીને બીજા દેશોની વાહ વાહ કરવાથી કૈંજ નહીં મળે. અમુક
શસક્ત લોકો એ મોટા ઔદ્યોગિક જોખમ લેવાં જ પડશે જેનાથી સામાન્ય જનતા ને રોજગાર મળી
રહશે, જેથી આગળની પેઢી શિક્ષિત થશે જે ક્રમ પ્રમાણે વહીવટો સંભાળશે.
હવે ફરી વખત એજ મજુરીની જરૂર છે ભારતને અને એજ ક્રાંતિની જરૂર
છે. અને જ્યાં વિષય ક્રાંતિ અને વિકાસ પર જશે ત્યાં જ લોકોનું ધ્યાન આપોઆપ દુષણ
પરથી હટવું રહ્યું.
જય હિંદ.
Written by Kamal
Bharakhda