પોસ્ટ્સ

એપ્રિલ 19, 2018 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

કોને જાવું છે?

"બેનનું કામ કરો ને પાસ થઇ જાઓ." આજે મમ્મી સાથે બેઠો હતો. એમણે જૂની યાદોનાં ચોપડા બહાર કાઢયાં તા. એક પત્તે આવીને ઉભા રહ્યા. જ્યાં એમણે વાત કરી નાની કક્ષાનાં ભ્રષ્ટાચારની જયારે તેઓ સાવરકુંડલામાં કન્યાશાળામાં ભણતા હતા. એમણે કહ્યું કે, ત્યારે શિક્ષકો ક્લાસ લેવા આવે એટલે એટલું જ બોલે કે, "કોને જાવું છે?" એટલે અડધો ક્લાસ હાથ ઉંચો કરે ને વાર ફરતી વારા કાઢે શિક્ષકો. પણ જવાનું ક્યાં? એમના ઘરનું કામ કરવા. વાસણ, પોતા અને ઘરની સાફસફાઈ કરવી ને બેન એમને એ વિષયમાં પાસ કરી દેતાં. જોરદાર. :D

ગ્રેવી

છબી
ગ્રેવી કોઈપણ શાકમાં એક પ્રકારની ગ્લોબલ સુવાસ લઇ આવે છે. ગ્લોબલ સુવાસ એટલે કે, કોઈપણ મેઈન કોર્ષ વ્યંજનો ગ્રેવી અથવા રસ્સા વગર નથી બનતા. દુનિયાનો કોઈપણ વ્યક્તિ ગ્રેવી સાથે ભળેલી વસ્તુને આરામથી ગ્રહણ કરી શકે છે. કારણકે, ગ્રેવી સાથે ભળનાર વસ્તુ મોસ્ટલી એવી હોય છે જે પચવામાં ભારે હોય. અને ગ્રેવીનાં મસાલા અને તેમાં રહેલા એસીડ દ્રવ્યો દ્વારા પનીર, અન્ય શાકભાજી અથવા નોનવેજનાં ટુકડાઓને પચાવવા માટે અનુકુળ માહોલ ઉભો કરે છે. ઉપરાંત ગ્રેવી એક પ્રકારે ઓઈલીંગ જેવું કાર્ય પણ કરે છે. જેથી અંતરિયાળ લાળગ્રંથીનો ઘસારો ઓછો થઇ રહે. ઉપરોક્ત કારણોસર જ ગ્રેવી સાથેનું વ્યંજન ક્યારેય ભારે નથી પડતું. એટલે જ એ ચાલે છે. ખોરાક પાછળના વિજ્ઞાનને સમજવું ખુબ જરૂરી છે. એ ફક્ત સ્વાદગ્રંથીને વ્હાલ કરવા પુરતું જ નથી. - કમલ ભરખડા