હેમંતકુમાર શાહ નામે સત્જને ભારતીય નાણાનો વૈશ્વિક અવમુલ્યન બાબતે એક સચોટ લેખ પ્રદર્શિત કર્યો. (લીંક નીચે પોસ્ટ કરેલ છે ) જેમાં એમણે કારણો બતાવ્યા કે અવમુલ્યન શેના લીધે થાય છે અને તેને સુધારવાનાં રસ્તા ક્યાં. આગળ એમણે બે રસ્તાઓ બતાવ્યા એક તો ટૂંકા ગાળાના અને લાંબા ગાળાનાં. જો રૂપિયાનું અવમુલ્યન થતાં અટકાવવું હોય તો નિકાસ વધારવી પડે અને આયાત ઘટાડવી પડે એ સિમ્પલ નિયમ છે. પણ ભારત એક એવો દેશ છે ય ખોટી આશાઓ અને નિરાધાર અપેક્ષાઓને આયાતમાં ક્યારેય ઘટાડો લાવવા નથી દેતાં.
ત્યાર બાદ એમણે એક ખુબ જ પ્રભાવશાળી શબ્દ વાપર્યો... કે "વેપાર અથવા વિકાસ". જી હા, વેપાર કદાચ જો જનલક્ષી ન હોય તો એ મુડીવાદી વિચારધારા થઇ જાય છે. હાલ એવું જ છે. આ બાબતો પર મેં થુડું મારું એનાલીસીસ આપ્યું છે જે નીચે મુજબ છે.
હું અત્યારે એક અમેરિકન ટીવી શો Suits જોઈ રહ્યો છું. પણ મારો મારી જાતને જ એક પ્રશ્ન! હું શું કામ જોઈ રહ્યો છું? મારે એ શો જોવા માટે યાતો netflix અથવા એમેજોન પ્રાઈમ પર સબસ્ક્રાઈબ થવું પડશે. અને જો એ નહીં કરું તો ટોરેન્ટ પરથી ડાઉનલોડ કરીને જોઈશ. પણ જોઇશ. શું કામ કારણકે જ ભણતર એ મને એવી શિખામણો આપી છે કે અમેરિકા આમ યુરોપ આમ ઢીકનું આમ અને ફલાણું તેમ.
એક આદિવાસી વ્યક્તિ જયારે જંગલ છોડી ને શહેર કે નજીકની કોઈ નાના નગરમાં આવે તો એ તેને આકર્ષિત કરશે. પણ એ તેની વાસ્તવિકતા નથી. તેની વાસ્તવિકતા છે કે, એણે જે જગ્યા એ જન્મ લીધો છે શું ત્યાં એ વ્યવસ્થા મળી શકે એવી કોઈ શક્યતાઓ છે? જો નહીં તો સાત સારું કેમ ન હોય પણ એ વ્યર્થ છે.
શાહ સાહેબે અહિયાં એક વાત ખરી કીધી કે, વેપાર અથવા વિકાસ. એકદમ પરફેક્ટ. શિક્ષણ જ જયારે વેપાર થઇ ગયું છે ત્યારે બાળકો અને એમના પાલકોને લોભાવવા માર્કેટિંગ વિભાગ ઉભો થશે જ. અને એ આંબા જ બતાવશે. અને આંબા ભારતનાં તો નહીં જ હોય એટલે હાલનું શિક્ષણ એક જ્ઞાનસાગર કે જે આપણી ધરા ને પોષતું હતું એ હવે પશ્ચિમની ધરાને પોષતું બની ગયું છે. એટલે વ્યવહારિક છે કે આપણી ધર પાણી વગર સુકાવવાની છે.
ગાંધીજી એ કહ્યું હતું કે તેઓ જયારે ભારત છોડીને આફ્રિકા જઈ રહ્યા હતા ત્યારે લોકો એ તેમનો વિરોધ કર્યો હતો. ત્યારે લોકોની દ્રષ્ટિ એ હતી કે, બાહ્ય સંસ્કૃતિ સાથે જોડાઈને તમામનો સંઘર્ષ ઓછો થતો હોય તો સારું પણ અહિયાં તો માણસ વધારે સંકુચિત થતો જાય છે. બસ પોતાનું અને પોતાના બે.
એટલે શિક્ષણની જે પદ્ધતિ છે એ જ ખરી ભુલામણી છે. એ જ દ્રષ્ટિભરમ ઉભો કરી રહી છે. એટલે જ વેપારનો વિકાસ થઇ રહ્યો છે અને વેપાર સારી રીતે નવી પેઢી દ્વારા પ્રોડક્ટ તૈયાર કરી રહ્યી છે જે ડોલરમાં જ વેચાઈ જવાની છે.
- કમલ
http://opinionmagazine.co.uk/details/3929/bharatno-rupiyo-vaishvik-bajaarno-veth-majoor--
આ ઓટલો એટલે દુનિયા, કે જે ઘણી સમજણ આપે છે અને જે સમયસર ન સમજે તેનો ઓટલો તુટવો જ રહ્યો. એક શ્રોતા બનીને ઓટલા પર બેસ્યો છું એટલે કહેવા માટે ઘણું બધુ છે.
ભારતીય નાણાનું અવમુલ્યન?

આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)
"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.
જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો
-
ગુજરાતનું ગૌરવ, વ્યક્તિશ્રેષ્ઠ શ્રી શાહબુદ્ધિન રાઠોડ સાહેબ હવે ગર્વથી કહેશે કે, "આયા થી કોઈ એ જાન કાઢવી નહીં...આ રોડ આપડો છે અન...
-
તમે આ ક્યારેકતો આ કહેવત સાંભળી જ હશે કે, “ દીવા તળે અંધારું “. એજ રીતે શિક્ષણ દીવો છે અને દીવામાંથી નીકળતો પ્રકાશ એ આપણા સમાજમાં દેખાતી ...
-
માર્કેટનાં ખૂણા ઉપર દેહવ્યાપાર માટે ઉભી રહેલી સ્ત્રીને જોઈને 'ચકો' માથું ઝુકાવી ચાલવા માંડ્યો... બકો: (મંદ મંદ હસીને) કેમ લ્યા કેમ ...
-
કોઈપણ વ્યક્તિ ને આ ચાર પ્રકારની તકલીફનો સામનો કરવો પડે છે. જયારે કોઈ વ્યક્તિ તમને પોતાનો વિરોધી માનતો હોય ત્યારે એ વ્યક્તિ તમારી સાથે આ ચાર...
-
સમજોતા એક્સપ્રેસ એટલે ફક્ત ટ્રેન જ નથી ઉપરાંત તે બે પાડોશી દેશો વચ્ચેનાં ભાવનાત્મક જોડાણની અનુભૂત પણ છે. એક ટી.વી. શો પ્રોગ્રામમાં ભારત અન...
-
પાક સોબાના દુનિયાના બહેતરીન શુઝ (જૂતાં) બનાવનાર માંથી એક છે. તેઓ અવ્વલ દર્જાનાં કારીગર તો છે પણ તેમના દ્વારા બનાવેલા જૂતાં ખુબ કીમતી ગણાય છે...
-
પ્રિય, ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી, રમેશ મહેતા, પી. ખરસાણી, અસરાની, કિરણ કુમાર, સ્નેહલતા, અરુણા ઈરાની, રીટા ભાદુરી મહાનુભ...
-
મા ફ કરજો, મેં શીર્ષક દ્રારા કટાક્ષ મુકવાનો પ્રયત્ન કર્યો છે. ભારત દેશ મહાન હતો, પણ અત્યારે નથી. કારણ? યે દેશ થા વીર જવા...
-
દુધાળા પશુઓ અને ભારત - કમલ ભરખડા ગાય ભેંસ બકરી આ બધા પાલતું દુધાળા પશુઓ છે પણ છતાય "ગાય", આ શબ્દ હિંદુઓ માટે અથવા દરેક ભારતીયો ...
-
હિન્દુત્વ (સનાતન ધર્મ) પહેલા ધર્મ નહીં હોય પણ કદાચ એ એક ડોમેઈન લેસ મીકેનીઝમ/સિસ્ટમ(તંત્ર) હશે. ( મતલબ કે, તમામ વિચારસરણીનો સમન...