પોસ્ટ્સ

જુલાઈ 2, 2017 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

દુધાળા પશુઓ અને ભારત

દુધાળા પશુઓ અને ભારત - કમલ ભરખડા ગાય ભેંસ બકરી આ બધા પાલતું દુધાળા પશુઓ છે પણ છતાય "ગાય", આ શબ્દ હિંદુઓ માટે અથવા દરેક ભારતીયો માટે એટલો મહત્વનો શું કામ બન્યો? કારણકે, ગાય એક પ્રચલિત પાલતું પ્રાણી છે. તે અન્ય પાળતું જીવ કરતા સારા પ્રમાણમાં સભ્ય અને સંવેદનશીલ છે જે માનવીય કુટુંબ શૈલીમાં ફીટ બેસે છે. આ ઉપરાંત ગાય પોતાનાં ઉછેરની સામે તેના પાલકને દૂધ જેવો વર્સેટાઈલ ખોરાક આપે છે. જેમાંથી દરેક કક્ષાના અને અનેક પ્રકારના અતિ પૌષ્ટિક ખાધ પદાર્થ મળી રહે છે. આ બધું ફક્ત ગાયમાં જ નહીં પરંતુ બકરી, ઘેંટા અને ભેંસ માંથી પણ મળી જ રહે છે. તદ ઉપરાંત ઘેંટા તેના દૂધ સાથે સાથે તેનું રૂ પણ આપે છે. તો પછી ફક્ત ગાય ને જ કેમ આટલું મહત્વ? શું ગાય અને ભેંસની વસ્તી બકરી અને ઘેંટાથી વધારે છે એટલા માટે? નાં જરાય નહીં. NATIONAL DAIRY DEVELOPMENT BOARD દ્વારા છેલ્લે ૨૦૧૨માં અપાયેલા આંકડાઓ મુજબ, ૩૦ કરોડ જેટલા ગાય-ભેંસ અને અંદાજીત ૨૦ કરોડની આસપાસ ઘેટાં-બકરા નો "લાઈવસ્ટોક" ભારતમાં મોજુદ છે.  ગાય અને ભેંસ પ્રમાણે, ઘેટાં બકરાની સરખામણીએ દૂધનું ઉત્પાદન સારી એવી માત્રામાં કરી આપે છે. માનવજ