પોસ્ટ્સ

જુલાઈ 19, 2016 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ગુજરાતમાં દલિત મુદ્દે

છબી
ગુજરાત સમાચારમાં આજની હેડલાઈનને બીજી રીતે જોવામાં આવે તો સત્ય વધારે સામે આવશે એવું મને લાગે છે. આજની હેડલાઈન નીચે પ્રમાણે હોવી જોઈએ. “ ગુજરાત રાજ્યમાં ગોંડલ – જામકંડોરણામાં સાત દલિતોને આવનાર ચુંટણી બાબતે અમુક રાજકીય પક્ષોએ પોતાના રાજકીય ફાયદાઓ માટે આત્મવિલોપનનો પ્રયાસ કરાવડાવ્યો “ ઉનામાં જે થયું એ જાણી ઘણી તકલીફ થઇ કે ગૌ-રક્ષા કરનારા મનુષ્યોને સમજવામાં સદંતર નિષ્ફળ રહે છે. પરંતુ કોઈપણ વ્યક્તિને દલિત કહેવું કેટલું ઉચિત છે? આપણી ગુજરાતી પ્રજા અને એમાં પણ સૌરાષ્ટ્રની પ્રજાની વાત કરીએ તો ખ્યાલ આવે કે ગમે તેટલી મુશ્કેલી કેમ ન હોય પરંતુ બપોરનું જમવાનું અને નીંદર જો એ નેવે ન મૂકી શકતી હોય તો એ આત્મવિલોપન જેવા પ્રયાસો ન જ કરે અગર કોઈ ઉશ્કેરણી ન હોય તો. ભારતને છોડો પણ ગુજરાતની પ્રજા એટલી પણ મૂર્ખી નથી કે શું ચાલી રહ્યું છે એ એક વખતમાં જ સમજી ન શકે. જો ખરેખર ચુંટણી લડનાર કોઈપણ પક્ષે ગુજરાતને સર કરવું હોય તો ગુજરાતને સમજવું જરૂરી છે નહીં કે ભાજપને. જેણે એ પ્રયાસ કર્યો સત્તા હંમેશા એના પક્ષે જ આવી છે. મહેરબાની કરી જાતિવાદને ઉભો ન કરવાની પ્રાર્થના છે. તેની સામે