બાળક ને માસ્ટર બનાવવા પર ધય્ન આપીએ નહીં કે તેની માર્ક્સ પર તોલીએ.

શિક્ષણ પર શું વાત કહી છે સાલ ખાન એ. સાલ ખાન એટલે "ખાન એકેડમીનો ઘડનાર". જે વિશ્વભરમાં ઓળખાય છે એમની પોતાની એક શિક્ષણ પધ્ધતીના લીધે.

તેઓ નું કહેવું છે કે, જ્યાં સુધી તમે કોઈ એક વસ્તુ પર મહારત ન મેળવો ત્યાં સુધી એજ વિષયનો એડવાન્સ પોઈન્ટ તમને સમજાશે જ કઈ રીતે?

એમણે ખુબ સારો દાખલો આપ્યો કે, માની લો કે તમારી જમીન છે અને તમારે ત્યાં રહેવા માટે 3 માળનું મકાન બનાવવું છે. હવે તમે કોન્ટ્રકટર ને બોલાવ્યાં અને એમને કહ્યું કે, તમારે આ ફાઉન્ડેશનનું કામ ૨ અઠવાડિયામાં જ પૂરું કરવાનું છે. અને બે અઠવાડિયા પછી તમે એક એન્જીનીયરને સાથે લઈને જોવા આવો છો કે કેટલું કામ પત્યું છે. અને એન્જીનીયર જોઇને કહે છે કે, હજી કોન્ક્રીટ સુકાણી નથી. અને કામ ફક્ત ૮૦% જ પૂરું થયું છે. ચાલો વાંધો નહીં તમે પાસ થઇ ગયા છો અને પહેલો માળ બનાવવાનું શરુ કરી દો. આમ આ રીતે બીજો અને ત્રીજો માલ વ્બ્નાવી દિધો...પણ ફાઉન્ડેશન તો હજુ બરાબર હતું જ નહીં. આખરે 3 માળની બિલ્ડીંગ ધ્વસ્ત થાય છે.


આવું જ થાય છે દરેક બાળકના જીવનમાં. જયારે એને કઇંક શીખવાડવામાં આવે ત્યારે તેની બુદ્ધિમત્તા પ્રમાણે એ ગ્રહણ કરે છે. અને એ જ્યાં સુધી સંપૂર્ણ ન થયા ત્યાં સુધી એ એનાથી આગળ નું ભણતર પચાવી જ નાં શકે. અને આ અધુરી શિક્ષણ થી પછી થાય એમ કે, એને શિક્ષણ પ્રત્યે અણગમો ઉભો થતો જાય છે. અને આખરે એ બાળક ને કેમ્સ્ત્રી, ગણિત, એકાઉન્ટ, ઇકોનોમિકસ, ફીજીક્સ, જેવા વિષયોમાં રસ હોય તો પણ તેમાં આગળ વધી શકતો નથી. આવું જ થાય છે.

આજથી ૧૦૦ વર્ષ પહેલા જયારે મોર્ડન ભણતરનો પાયો નંખાયો ત્યારે દરેક વિદ્યાર્થી ને અલગ અલગ ભણતર પહોંચાડવું અઘરું હતું. કારણકે ટુલ્સ જ ન હતા. પણ હવે એવું નથી. તમે દરેક વિધાર્થી ને એવા ટુલ્સ આપી શકો છો જેમાં તેઓ ન સમજી શકેલા કન્સેપ્ટ ને ફરીથી સમજી શકે છે. અને શિક્ષક ને એની પાછળ પણ રહેવાની જરૂર નથી. બસ એને ત્યાં સુધી પહોંચાડવાની જરૂર છે.

અને જગતમાં માસ્ટરીની જ જરૂર છે. એ પણ યાદ રાખવું જરૂરી છે.

- કમલ ભરખડા

https://www.youtube.com/watch?v=-MTRxRO5SRA

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો