લોકો શું કહેશે?

"લોકો શું કહેશે?" કદાચ એવા પ્રતીકારો ના ભય ને લીધે જ ઘણાંય કલાકારો એ પોતાની કલ્પના અને વાસ્તવિકતાને પોતાનું ગમતું સ્વરૂપ નહીં આપી શક્યા હોય! એટલે જ વિશ્વમાં સારા લેખકો. અભિનેતા, નેતા, અને અન્ય ક્ષેત્રોના કલાકારો ખુબ જ જુજ છે.

લોકો તો ઘણુય સંભાળીને જ ચાલે છે એટલે જ અલગ ચાલવાવાળાને પોતાનો રસ્તો ગોતવો નથી પડતો.... જ્યાં કોઈ ન હોય એ દેખાઈ જ આવે છે. પરંતુ ત્યાં ચાલવાની હિમ્મત.......

શુભ રાત્રી વડીલોને અને મિત્રોને

- કમલ.

કોઈન જેણે બીટ કરી દીધા બધાને

#બીટકોઈન

બાપ રે શું માયા છે. લોકો ને કાગળના કમાવવામાં ફાંફાં છે ને વાતો વર્ચ્યુલ કરન્સી ની કરે છે.

ભારતની લગભગ 80% પબ્લિક મિનિમમ આવક પર પહોંચે ત્યારે આ સંદર્ભ વિચારવું રહે.

નોંધ: જ્યાં સુધી ગણિત ન સમજાય ત્યાં સુધી દાખલા ગણી જ ન શકો... આવું અમારા સાહેબ કે'તા..

કમલ ભરખડા

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો