પોસ્ટ્સ

એપ્રિલ 15, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

સંગીત અને માનસિકતા

છબી
ભારતીય શાસ્ત્રીય સંગીત અને વાદ્યો તરફ યુવાનોનો ઓછો થઇ રહેલો રસ અને પસંદગી એ એમની બદલાઈ રહેલી માનસિકતાનો સીધો પરિચય આપે છે. વાદ્ય એટલે કે સંગીત પીરસતું ઈન્સ્ટ્રૂમેન્ટ. આપણા પ્રાચીન ભારતીય સંગીત તરફ નજર કરીએ તો હાલ શાસ્ત્રીય સંગીત ફક્ત જુજ લોકોની પસંદગીમાં રહી ગયું છે. આખરે તે શું દર્શાવે છે? તે દર્શાવે છે સંસ્કૃતિમાં અને માનસિકતામાં આવેલ ધરખમ ફેરફાર. સંગીત એટલે કે તાલ અને રાગ સયુંકત એક ધ્વની. અને કોઈપણ પરિસ્થતિમાં દરેક પ્રકારનાં સંગીતનું સર્જન શક્ય નથી. કારણકે સંગીતનો સીધેસીધો મેળ તેના પીરસનારની માનસિકતા પર નભેલો છે. માણસ જયારે એક અવસ્થામાં સ્થિર થાય એ પછી ભલે તીવ્ર અવસ્થા હોય કે મંદ અવસ્થા પણ એ જે તે અવસ્થામાં સંપૂર્ણતઃ સ્થિરતા આવ્યાં બાદ જ જે ધ્વની ઉપજે છે એ તે પરિસ્થતિનો રાગ બને છે. અને એ રાગ ને પ્રદર્શિત કરવા જે સાધનની જરૂરીયાત ઉભી થઇ રહે એને કહેવાય સંગીતના ઉપકરણો એટલે મૃદંગ, માટલા, જાન, વીણા, જલતરંગ, વાંસળી વગેરે વગેરે. આતો જોકે સામાન્ય વિજ્ઞાન છે જે મેં હાલ જણાવ્યું જે લગભગ સંગીતમાં રૂચી ધરાવનાર દરેક વ્યક્તિને જાણ હોય જ છે. પરંતુ તેને ભારતીય શાસ્ત્રીય સંગીત અથવા પશ્ચિમી સંસ્કૃતિના