ચલચિત્ર(ફિલ્મ) એક માધ્યમ

જો એક પુસ્તક, કાવ્ય, નૃત્ય અને અન્ય કળાઓ સામાન્ય વ્યક્તિને જ્ઞાનીત કરી શકે તો ફિલ્મ કેમ નહીં?

ફિલ્મ તો એક એવું માધ્યમ છે જ્યાં તમે અગણિત શક્યતાઓ પીરસી શકો છો. માયકાંગલા જેવા મનોરંજનની અપેક્ષા ફિલ્મો પાસેથી રાખીએ છીએ એટલે જ ફિલ્મો ક્યારેય શાળા નથી બની શકી! 

ફિલ્મ જગતને જેવું તેવું ન સમજતા. એ જ્ઞાન સાથે સાથે લાખો લોકોને રોજી રોટી આપવાનું કાર્ય પર કરે છે. જ્યાં સુધી આપણે નહીં બદલીએ ત્યાં સુધી ફિલ્મ મેકરો સારું આપવાનું સાહસ નહીં કરે કારણકે ફિલ્મ એક જ એવી કળા છે જે વગર પૈસે બની જ નથી સકતી. એટલે જે પણ વ્યક્તિ પૈસા રોકે છે એનો ભાવ વ્યાપાર કરવાનો તો હોય જ છે પણ સાથે સાથે સામાજિક શિક્ષણનો પણ. 

કદાચ હવે બોલીવુડ ને બદલી નહીં શકીએ પણ ગુજરાતી સિનેમા ને જરૂર બદલી શકીએ છીએ. જેમકે, હેલ્લારો ને જે રીતે લોકો એ પ્રતિસાદ આપ્યો એ રીતે જો સારી ફિલ્મો પર પ્રતિસાદ મળતો જ રહેશે તો કોને ખબર કે ગુજરાત કોન્ટેન્ટ ક્રિએટ કરવામાં નમ્બર વણ બને. અને સારી ફિલ્મો બનતી થઇ જાય. અને જો ફિલ્મો દ્વારા ચોક્કસ આવક નો અંદાજો મળે તો પછી કદાચ નિવેશકો ફિલ્મો નીવેશ કરવા બાજુ પણ વળે. ચાલ જીવી લઈએ એ ઉત્કૃષ્ટ દાખલો છે. પહેલી ગુજરાતી ફિલ્મ કે જેણે ૫૦ કરોડનો વ્યાપાર કર્યો. અને કેમ ન કરે જો વિષય અને સંદેશો સારો ન હોય તો? અને સૌથી વધારે મહત્વનું તો છે ફિલ્મ મેકિંગ. એ ટેકનીકલ બાબત છે. જેમ મારુતિ અને મર્સીડીસ ગાડીમાં જે ફર્ક છે એજ ફર્ક ટેકનીકલ લેવલ પર ફિલ્મ મેકિંગ માં જોવા મળે છે. 

એમ ફિલ્મ જગત એ ખુબ જ આવશ્યક અને પ્રગતિશીલ માધ્યમ છે. ચાલો આપણે ગુજરાતી સિનેમાને બિરદાવતા થઈએ. 

મને ગમતી ગુજરાતી ફિલ્મો:
  1. ચાલ જીવી લઈએ 
  2. બે યાર
  3. કેવી રીતે જઈશ
  4. લવની ભવાઈ

તમને ગમતી ફિલ્મો જણાવો

#કમલમ

When criticism hurts?

Criticism hurts when you don't know the difference between constructive and destructive criticism.

#kamalam

સૌથી મોટી મૂડી?

અનુભવથી મોટું ધન બીજું કશું જ નથી. મોટામાં મોટો ધનવાન જો સમુદ્રમાં વચ્ચે ફસાઈ જાય છે તો નાવિકથી વધારે અનુભવી ન હોવાને લીધે એ જીવનભર તેનો ઋણી થઈ રહે છે. એટલે જ અનુભવ સૌથી ઉચ્ચકક્ષાની મૂડી છે.

#કમલમ

કિંમતી એટલે શું?

મારા કાકા સાથે સામાન્ય વાત કરતા કરતા અમે એક ઘણાં અસામાન્ય નિષ્કર્ષ પર આવ્યાં. કે કિંમતી શું? અને કોઈપણ વસ્તુ શેનાં આધારે કિંમતી બને છે? ચાલો ઉદાહરણ લઈએ સોનું. ગોલ્ડ. 



સોનું કેમ કિંમતી છે? સોના કરતા પણ ઘણી વસ્તુઓ કિંમતી છે. પરંતુ સોનાને જેટલું માન છે એટલું આજ સુધી તેનાથી કોઈપણ વધારે કિંમતી વસ્તુને નથી. કારણકે 

૧. તેને અડવાથી કોઈ નુકશાન થતું નથી. 
2. તેને ગમે તે રીતે રાખી શકાય છે. 
૩. આજથી હજારો વર્ષો પહેલા બનેલા સોનાનાં ઘરેણાંઓને અમુક દ્રવ્યોથી સાફ કરો એટલે ફરી પાછાં ચમકદાર. એટલે વર્ષોનાં વર્ષો સુધી સચવાઈ રહે તેવી ધાતુ. જેને કોઈ કાટ ન લાગે. 
4. ઉપરાંત તેને તમે જોઈએ એ ઘાટ આપી શકો અને તેને જોઈએ એટલું પાતળું બનાવી શકો. સોનું મજબુત પણ ખરું જ. 
5. શરીરમાં તેના કણો જવાથી પણ કોઈ ગેરફાયદો નથી. 

આ બધા કરતા સૌથી મોટા અને બે મજબુત કારણો...

સોનું ક્યારેય ગોતવાથી મળતું નથી. 
અને બનાવવાથી બનતું નથી. 

નક્કી કરી લ્યો...

નક્કી કરી લ્યો... 
#કમલમ

થોડા વર્ષો પેહલાંની વાત છે. 

મારા મિત્રને ત્યાં પ્રસંગ હતો એટલે આગલી રાત્રે મિત્રોએ ભેગા થઇને રસોડે બેસવાનું નક્કી કર્યું. ફ્રુટસલાડ જેવી દૂધની આઈટમ સ્વીટ તરીકે રાખી હતી.

રાત્રીનાં બે થવાં આવ્યાં હતા. રસોડામાં કામ પૂરજોશમાં ચાલી રહ્યું હતું અને કામ તો ઠીક પણ મહારાજને ઓર્ડર આપવા જ કદાચ અમે ભેગા થયાં હતા એવું લાગ્યું. પેલા ભજીયા બનવડાવ્યા, પછી બટેટાની ચિપ્સ અને ચા તો દર અડધી કલાકે. ઘણાં સમયે મિત્રો ભેગા થયા હતા એટલે મોજ હતી. 

સાડા ત્રણ વાગ્યે મહારાજ આવ્યાં અને મિત્રને કીધું કે, "ભાઈ દૂધ ઘટશે... ૧૦ એક લીટર મંગાવી રાખો એટલે ઘટ નો પડે." 

અમે તો જેવી સવાર પડી એટલે દૂધ લેવા નીકળ્યા. હાયરે છાશ લાવવાનું કીધું તું. અમે તો દૂધ લીધું અને થેલી મૂકી દીધી રસોડામાં. અને મહારાજને કીધું કે અમે જઈએ છીએ અને તમારે જે જોતું છે ઈ બધું આ થેલી માં છે જોઈ લેજો. 

અને ત્યારબાદ મહારાજે એના કોઈ હેલ્પરને કીધું કે આ બધું દૂધ એક તગારામાં ખાલી કરીદે. અને મારા બેટા એ છાશ અને દૂધ બેય ભેગા ખાલી કરી નાખ્યાં... હવે ઈ બે દેખાય તો હરખા અને તરત તો ખબર પડે નહીં એટલે મહારાજે તો દૂધ નાયખુ ફ્રુટસલાડમાં અને સવારનાં દસ વાયગે ખબર પયડી કે ફ્રુટસલાડની તો લસ્સી બની ગઈ છે. 

ભાયરે કરી. પછી બાસુંદી મંગાવી અને પ્રસંગ હેમખેમ પૂરો કર્યો અને મહેમાનોને સાંજ સુધી રોકીને ફ્રુટ વાળી લસ્સી પીવડાવીને જ મોકલ્યાં. hahaha. હવે ભૂલ અમારી હતી કે પેલા હેલ્પરની એ ચર્ચા કરવાની જરૂર નથી. 

કહેવાનો તાત્પર્ય એ કે, ત્યારે અમારી પાસે બાસુંદી અથવા અન્ય મીઠાઈ ખરીદી કરવાનો વિકલ્પ હતો પણ જો અત્યારે આ કોરોનાનાં સમયમાં આપણામાંથી કોઈ આ ફ્રુટ સલાડ જેવાં ૪૦ દિવસનાં સંઘર્ષમાં ઘરની બહાર નીકળી ને છાશનું કામ કરશે તો આપણા માટે બીજો વિકલ્પ નથી એ ધ્યાન રાખજો. 

જો આવનાર એક મહિનો ઘરમાં નહીં બેસો તો આખું વર્ષ ઘરમાં બેસવાનો વારો આવશે. 

નક્કી કરી લ્યો... 

#કમલમ

કુદરત અને તેની ક્ષમતા

#સદવિચારો

જય હિન્દ

કોરના પરિસ્થતિને લઈને દરેક જગ્યા એ લોકડાઉન સ્થાપિત થયું છે જે ફક્ત અને ફક્ત માણસ માટે જ તકલીફ દેહ છે અથવા નથી એ પોતાનાં વિચારો પર નિર્ભર રાખે છે. પરંતુ માણસોએ પોતાને જ્યારથી લોકડાઉનમાં રાખ્યાં છે ત્યારથી કુદરતને પોતાનું કાર્ય કરવામાં કોઈ માણસે રોક્યું નથી. જેની સીધી અસર કુદરતી પરિબળો જેમકે, જંગલ, નદી, તળાવ, અને અન્ય પરિબળોમાં આવેલી ચોખ્ખાઈ તેની સાબિતી આપી જાય છે.

દરેકે હાલમાં જ ગંગાજીનાં નીર ચોખ્ખા થયેલા નિહાળ્યાં હશે. કાચ જેવું ચોખ્ખું પાણી? જોયું કુદરતની પ્રવૃતિમાં જો તમે ખલેલન પહોંચાડો તો કુદરત તેની દરેક વસ્તુને ચોખ્ખી કરવાની પ્રવૃત્તિ કરી જ રહી છે. એટલે કુદરત નક્કી એક ફોર્મુલા કે સીસ્ટમ પર ચાલે છે. કુદરતને ખબર છે કે એણે જેણે જનમ આપ્યો છે તેની સાળસંભાળ કઈ રીતે રાખવાની છે. હવે આવડી મોટી સ્થાપિત સીસ્ટમની સામે આપણા શુક્ષ્મ મગજમાંથી ઉપજેલા ઉપચારોની શું હેસિયત?

પરંતુ એ વિચાર કરતા-કરતા મારું ધ્યાન હાલમાં ચાલી રહેલા ઉપવાસ કે જેને ધાર્મિક પ્રવૃત્તિ માનવામાં આવે છે તેના પર ગયું. કદાચ આપણા વડલાઓ આ બાબતે ખાસ જાણતા હશે કે, કુદરતને જો પોતાનું કાર્ય કરવાની પરવાનગી આપીએ તો તમારું શરીર જ તમારો ડોક્ટર છે. તેના અંગો જ તમારા ઉપચાર છે. પણ એ કઈ રીતે?

જવાબ છે, ઉપવાસ!

ઉપવાસને ધાર્મિક પ્રવૃતિમાં માનીને આપણે પોતાનાં જ સાથે ઘણો અન્યાય કરી રહ્યા છીએ. આપણામાં શ્રાવણ મહિનો કરતા લોકો તેનું ઉદાહરણ છે ઉપરાંત મહિનામાં બે દિવસ ઉપવાસ કરતા લોકો પણ કુદરતની નજીક છે એ કહી શકાય. પરંતુ ભોગી પ્રવૃતિના માણસોએ ઉપવાસને પણ પોતાની વ્યાખ્યા આપી દીધી છે. ઉપવાસમાં ફક્ત અન્નન ખવાય બાકી તળેલું, દુધની વસ્તુ અને બધું ખવાય. અરે વ્હાલા એ બધું ભલે અન્ન ન હોય પણ તેને પ્રોસેસ કરવા માટે શરીર ને મહેનત તો કરવાની જ ને?

અને શરીરની પોતાનું એક ઓટોમેશન છે. એ જઠરને હમેશાં પ્રાથમિકતા આપે. એટલે શરીર જયારે પોતાની સીસ્ટમને રીસ્ટોર કરવા માટે કામ કરતું હોય અને ત્યાં જ આપણે જઠરમાં કઇંક પધરાવીએ એટલે શરીર તેની સંપૂર્ણ ઉર્જા તેના પર લગાવે છે અને સીસ્ટમનું કાર્ય ત્યાંથી અટકે છે જેણે લઈને જ હાલમાં કેન્સર અને અન્ય બીમારીઓ ઘણી સામાન્ય થઇ છે.

ઉપવાસ ખુબ જરૂરી છે. હું સળંગ એક મહિનો ઉપવાસ ન કરી શકું પરંતુ રોજ નાના નાના પ્રયત્નો કરી શકું. ગઈ દિવાળીથી મેં નિર્ણય લીધો કે, સાંજે 6 વાગ્યાં પછી ભોજનનો ત્યાગ કરવો અથવા ફક્ત પાણી પ્રયોગનો ઉપવાસ કરવો. અને હાલ આટલા મહિના પછી હું એ પ્રવૃતિમાં ઘણો સફળ રહ્યો છું. આ મારો જાત અનુભવ છે એટલે જ અહીં આ સદવિચારો મેં લખવાનાં પ્રયત્ન કર્યા છે.

દર વર્ષે ઉનાળાની શરૂઆતમાં મને ફીવર, શરદી અને ઉધરસ રહેતા જ. પરંતુ આ વખતે મારા આ સાંજે 6 વાગ્યાં પછી ન જમવાના પ્રયોગે મને કૈંજ ન થવા દીધું જેની સીધી અસર એ થઇ કે મારી ઈમ્યુંનીટી કદાચ વધી છે. એવી જ રીતે જેમ આપણે હાલ ગંગા નદી અને જંગલોમાં ફરીથી આવી રહેલા ફળદ્રુપ ફેરફારો જોયા છે.

ઉપવાસ કઈ રીતે કરવા એ હું તમને નહીં કહું પરંતુ આયુર્વેદમાં કહેવાય છે કે શરીર જો દિવસમાં ઓછામાં-ઓછાં 16 કલાક સુધી અન્ન ત્યાગ થાય તો એ દૈનિક ઉપવાસ કહી શકાય છે જે ખુબ જરૂરી છે. જેને લીધે આપણા શરીર ને પોતાની ખામીઓ પર કાર્ય કરવાનો પુરતો સમય મળી રહે છે. કુદરત પાસે એ તમામ યોજનાઓ છે એ બાબતે તો હવે કોઈને શંકા જ નહીં હોય. હાલ હું 6 વાગ્યે મારું વાળું પતાવી લઉં છું અને પછી સવારે થોડું પ્રવાહી અને બપોરે જ જમવાનું લઉં છું જેથી મને 16 થી ૧૮ કલાકનો ઉપવાસ મળી રહે છે. જો આ ન થાય તો વર્ષમાં એક મહિનો સળંગ ઉપવાસ રાખવાની પ્રથા પણ સારી જ છે.

આશા છે કે દરેક વ્યક્તિ આ વિચારને પોતાના જીવનમાં સ્થાન આપશે.

જય હિન્દ.

#કમલમ

સપનાં કે વિશ્વાસ?

સપનાઓ તો સિકંદરનાં પણ પુરા નથી થયા અને 

અને વિશ્વાસ તો નરસીંહ મહેતાનાં પણ અડગ રહ્યાં છે.


કારણ ખબર છે? 


સપનાઓ બેજવાબદાર હોય શકે છે. 

જયારે વિશ્વાસ તો જવાબદારી સાથે જ રાખવાનો અને આપવાનો હોય છે. 

#કમલમ

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો