બાળકમાં સંસ્કાર સિંચન

રોટલી ચવડ થાય એટલે કે, જલ્દી સુકાઈ જતી હોય, તો મમ્મી રોટલીનો લોટ બાંધતી વખતે મોણ (એટલે કે ધી કે તેલ) ગુંથણ વખતે જ ઉમેરી દે છે. જેથી રોટલી ખાસ્સા સમય સુધી નરમ રહે! અને પછી ઉપરથી ગમે તેટલું ચોપડો, તેની કોઈ અસર રોટલી સુધી પહોંચતી નથી.


આવું જ થતું હોય છે બાળકો સાથે. બાળક મોટું થાય અને પછી તેની રીત-ભાત, આવડત, સંસ્કાર ઉપર ટીપ્પણીઓ કરીએ તેના કરતા તેમની અંદર બાળપણ થી જ સદગુણોનું મોણ ભેળવવું જરૂરી છે.

પણ મોણ ભેળવવું જ પડે એ જરૂરિયાત નથી. એટલે જ મેં રોટલી નું ઉદાહરણ લીધું. એ નભે છે ઘઉં ક્યાંના છે એના પર. ઘણી વખત બાળક સાંભળી અને જોઇને શીખતા હોય છે એટલે ઘઉં (પરિવાર જનો) પોતાનું માનસિક અને વ્યવહારિક સ્વાસ્થ્ય જાળવી રાખે એ પણ ખુબ જ જરૂરી છે.

સંસ્કાર જો કોઈ દિશમાં આપવા જ પડે તો જ! અને આપવાનું મુલ્ય અને ગુણવત્તા પણ ખુબ જરૂરી થઇ રહે છે.

મૂળ મુદ્દે સમજી ગયા હશો.

પૂર્ણ વિરામ

#કમલમ

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો