જાતિવાદનો એકમ

લંબાઈનો એકમ મીટર
સમયનો એકમ સેકન્ડ
એવી જ રીતે જાતિવાદનો એકમ શું?

મારા મતે, જાતિવાદનો એકમ વ્યક્તિની એ પરિસ્થતી જવાબદાર છે જ્યારે એ પોતાની મોરલ વેંલ્યુઝને માણસાઈ કરતાં વધારે મહત્વ આપે.

- કમલ ભરખડા

લોકશાહીમાં જનતાની ફરજ

અપના અડ્ડા, હેમંતભાઈની રવિવાર, ૨૮ ઓગસ્ટ, ૨૦૧૬ની પોસ્ટ રોચક અને માણસાઈ પ્રત્યે પ્રાથમિક વ્યક્તિની જવાબદારી અને ગૌરવ લેવા જેવી પ્રવુત્તિઓ બાબતે આંખ ઉઘાડી જાય છે. પરંતુ એ પોસ્ટ એવાં ઘણાં મુદ્દાઓ ઉખેડી જાય છે જે ભારત જેવા વિશાળ જન ધરાવતો દેશ જો આગળ સમજ ચૂક કરશે તો દેશની અધોગતિ નિશ્ચિત છે. હું અહિયાં હેમંતભાઈની પોસ્ટ મુકું છું. 

“બ્રાઝીલના સૌથી શ્રીમંત તેમજ સૌથી શક્તિશાળી લોકોમાંથી એક એવા....Chiquinho Scarpa....એ સનસની ફેલાવી દીધી જ્યારે એમણે પોતાની દસ લાખ ડોલર (7 કરોડ) ની બેન્ટલે (Bentley) કાર ને દફનાવવાની ઘોષણા કરી અને કારણ જણાવ્યું કે, "હું આવું એટલા માટે કરી રહ્યો છું કારણકે મરણ પામ્યા બાદ હું આમા ફરી શકું. આ પ્રસંગ માટેનો દિવસ પણ તેમણે નક્કી કરી નાંખ્યો.

આ કાર્યની ત્યાંના મિડિયાએ ખૂબ આલોચના કરી તેમજ ખબરને ઘણી નેગેટીવ લીધી, એમને પાગલ ઘોષિત કરી દીધા. મિડિયાએ કહ્યું....આટલી કિંમતી વસ્તુને દફનાવવું એ પૈસાની બરબાદી સિવાય બીજું કંઇજ નથી. આ કેવો માણસ છે? કારને દફનાવવા કરતાં દાન કેમ નથી કરતો? પરંતુ આ બધી બાબતોને અવગણી એ વ્યક્તિ પોતાના કાર્યમાં લાગી રહ્યો.

પરંતુ હવે વાર્તામાં ટ્વીસ્ટ આવે છે....સીટ બેલ્ટ બાંધી લો....(અગર ટ્વીસ્ટ ના હોત તો અહીં ચર્ચા કરવાની કોઇ જરૂરિયાત જ ન હોત) નક્કી કરેલ દિવસે જ્યારે લોકટોળુ તેમજ ઘણા મિડિયાકર્મીઓ એકઠા થયાં ત્યારે પોતાની Bentley કારની અંત્યેષ્ટી પહેલાં એમણે ઘોષણા કરી કે, તેઓ કારને દફનાવશે નહીં પરંતુ લોકોનું ધ્યાન “અંગદાન” કરવા બાબત તેમજ જાગરૂકતા ફેલાવવા માટે એમણે આ ડ્રામા કર્યો.

એમણે પોતાના ભાષણમાં કહ્યું કે, “લોકોએ મારી નિંદા કરી કેમકે હું મારી મૂલ્યવાન 7 કરોડની કારને દફનાવવા જઇ રહ્યો હતો. પરંતુ મારી મૂલ્યવાન કારની તુલનાએ તમે તમારા બહુમૂલ્યવાન hearts, livers, lungs, eyes, kidneys વગેરે અંગો રોજ દફનાવો છો જે ખરેખર ખોટું છે. ઘણાં લોકો આપના સ્વસ્થ અંગોના પ્રત્યારોપણ માટે ઇન્તેજાર કરી રહ્યાં છે જેના થકી એમની જીદંગી બચી શકે એમ છે. મેં પ્રણ કર્યું છે તમે પણ પ્રણ કરો કે પોતાના અંગોનું દાન કરશો જેથી આપણાં અંગો જીદંગીની સાથે પણ તેમજ જીદંગી પછી પણ કામ કરતા રહે અને લોકોને નવજીવન બક્ષતા રહે.”

ઉપરની પોસ્ટ બાબતે મારું થોડું એનાલીસીસ હું અહીં મુકવા માંગુ છું. હેમંતભાઈ ની દરેક પોસ્ટ જ્ઞાનરસ અને સનાતન સત્યથી ભરપુર હોય છે. આ વખતની પોસ્ટ પણ જ્ઞાનરસ અને સનાતન સત્યથી ભરપુર છે. દરેક કમેન્ટ વાંચ્યા પછી એવું લાગ્યું કે દરેક એ જ્ઞાનરસ લઈને જ તૃપ્ત થઇ ગયા. પરંતુ આ પોસ્ટમાં સનાતન સત્ય ઘણું વિચિત્ર છે. (માફ કરશો મારી કોઈ વ્યંગબાજી કરવાની ઈચ્છા નથી)

બ્રાઝીલની જનતા એક નાના એવા વિષય પર પોતાનાં મોરલ વિચારો પ્રગટ કરવા લાગી પરંતુ હેમંતભાઈ ની પોસ્ટથી સાબિત થયું છે કે, ખરેખરા વિષયો પર ક્યારેય મોટાભાગની લોકશાહી રાષ્ટ્રની જનતા એમની ચાંચ ડૂબાડતા જ નથી કે નથી એમની મીડિયા એવું વિચારતી.

જનતા પોતાનો મત લોકશાહી સિસ્ટમમાં જ આપી શકે. પરંતુ લોકશાહી અતિ લોકશાહી બનતા સેજ પણ વાર નથી લાગતી. અતીલોક્શાહીમાં પ્રજા મુર્ખ બને છે અને કોઈપણ શક્તિશાળી વ્યક્તિ એ તમામને જે પણ વિષય કે સમસ્યા પર વાળે તેના પર જ આગળ જનતા પોતાનો માર્ગ બનાવે છે જે દેશને કે પોતાને હિતકારક ત્યારે જ હોઈ શકે જયારે એમનો લીડર ઈચ્છે ત્યારે.

આવી લોકશાહી કરતા સ્ક્યુલરીઝમ યોગ્ય છે. હેમંતભાઈ ની પોસ્ટમાં એ ધનિક શક્તિશાળી વ્યક્તિનો વિષય અને વિચાર લીમીટેડ કક્ષા એ હતો. એ ફક્ત એક સારા કાર્યને મદદરૂપ થવા અપીલ કરી રહ્યું હતું. હવે વિચારો કે જો આ પરિસ્થતિમાં એ વ્યક્તિએ પાવરમાં આવીને લોકો પાસે કૈંક વધારે સ્વાર્થી કાર્યો કરાવે તો ? કે જે દેશ વિરોધી પણ હોઈ શકે!

જરૂરી છે શિક્ષિત થવાની પૂર્ણ પણે અને નૈતિક પણે. ફક્ત પેટનો ખાડો ભરવા માટે જ શિક્ષણની જરૂરિયાત નથી. આત્માને અને પોતાની પોસિટીવ મોરલ વેલ્યુઝને ટકાવી રાખવા પણ એ જ નૈતિકતાથી પૂર્ણ કરેલું શિક્ષણ જ છેલ્લે કામ આવે છે.

જેમકે, બ્રિટેન એ હાલમાં યુરોપિયન યુનિયનમાંથી નીકળવાનો જે નિર્ણય લીધો એ એમના મેજોરીટી લોકશાહી શિક્ષિત અને સમજુ જનતાને આભારી છે. બ્રિટેનનાં દરેક વ્યક્તિને એ નિર્ણય બાબતે થતા ફાયદા અને ગેરફાયદાઓ મન મગજમાં છે. આને કહેવાય લોકશાહી.

શિક્ષણ નહીં સુધરે ત્યાં સુધી યોગ્ય લોકશાહીની અપેક્ષા આપણે કરીએ એ વાતમાં પણ માલ નથી.

જય હિન્દ.

- કમલ ભરખડા 


ભારત-પાક સંબંધો નીચલી સપાટીએ શા માટે?




લડત

બની શકે આપણી લડવાની રીત ખોટી હોય...
પરંતુ!
લડવા માટે પાયારૂપ બનેલી "તકલીફ" ક્યારે ખોટી ન જ હોય!
- કમલ ભરખડા

ગુજરાતી લોકશાહી

ગુજરાત રાજ્ય પોતાની જનતા સાથે પાક્કા પાયાની લોકશાહી તરફ વળી રહ્યુ છે. તકલીફ બધે છે પણ હાલમાં તકલીફો વિરૂદ્ધ ગુજરાતની જનતા સતત લડી રહી છે. 

હાં, અમુક લડત, લડવાની ગરિમા ક્યાંક ચૂકી ગઇ પરંતુ ગુજરાતની જનતા એ ભારતનાં  લોકશાહીપણા નો બરાબર ઉપયોગ કર્યો છે અને થવો પણ જોઈએ. યુવાન નેતાઓ સમસ્ત લડતના આગેવાન બની રહ્યાં છે. 

ગુજરાત 100 ટચનું લોકશાહી રાજય બનવા તરફ આગળ વધી રહ્યુ છે. 

શુભેચ્છા.

જય હિન્દ.
Kamal Bharakhda

જાતિવાદ નાબુદી તરફ પાયાનાં પ્રયાસો અને આઈડીયાઝ

જ્યાં સુધી કોઈપણ રાષ્ટ્રમાં જાતિવાદ કેન્દ્રમાં રહેશે ત્યાં સુધી રાજકીય પક્ષો પોતાના નીજી અને રાજનૈતિક ફાયદાઓ માટે જાતિવાદ જેવા ઝેરનો ઉપયોગ કરતાં જ રહેશે. જાતિવાદ જો ખરેખર વીંછીનાં ઝેરની જેમ એક જ વખતમાં રીઝલ્ટ આપતું હોત તો સારું હતું પરંતુ ભારતમાં જાતિવાદ ધીમાં ઝેરની જેમ પ્રસરે છે. એ રાષ્ટ્રને કોઈપણ ક્ષેત્રે ઉર્ધ્વગતી ગતિ અપાવે એના ચાન્સીસ લગભગ અશક્ય છે. 

હાલના સમયમાં દરેક રાષ્ટ્રો એકબીજા પર અવલંબિત થવા માંગે છે. ગ્લોબલાઇઝેશનનો સુવર્ણ કાળ શરુ થઇ ચુક્યો છે. ચીન એક પછી એક પોતાની જ જનતાનો ઉપયોગ ઔદ્યોગિક ક્ષેત્રે કરીને ગ્લોબલ માર્કેટમાં ભારત જેવા પ્રગતિ તરફ જનાર રાષ્ટ્રોની રીતસર બેન્ડ વગાડી રહ્યું છે. 

રાજનીતિમાં સીધો નિયમ છે. જનતાની દુખતી નસોમાં જે સૌથી વધારે પીડા આપે એને જ દબાવીને પોતાના રાજનૈતિક તખ્તા તૈયાર કરવામાં આવે છે. આપણા રાષ્ટ્રની અધોગતિ માટે આપણે દોષ હંમેશા આપણા જ નેતાઓ અને રાજકીય વ્યક્તિઓને આપીએ છીએ પરંતુ એક વાત સમજવી ખુબજ જરૂરી છે કે દરેક દ્રષ્ટિએ એમનો વાંક કાઢવો ઉચિત નથી. જેમ સિંહની સામે બકરી લાવીને મુકો તો સ્વાભાવિક છે સિંહને એ બકરી માટે હમદર્દી ઉભી તો નહીં થાય. એવી જ રીતે આપણે લોકો જ એમને આપણી દુખતી નસો બતાવી આપીએ છીએ અને પછી ભલે ને એ લોકો દબાવે રાખે અને રીઝલ્ટ તમારા બધાની સામે જ છે. 

આપણે બધાએ આપણી પ્રાથમિકતાઓમાં સુધારા કરવા પડશે. પોતાની જાતીને બાજુ પર મૂકી પોતાના આર્થિક, શારીરિક અને સર્વાંગી વિકાસ માટે વિચારતા થવું પડશે. હવે હાલની પેઢી માટે તો આ બદલાવ અઘરા છે પરંતુ આજથી વીસ વર્ષ પછી જે પેઢી આવવાની છે એજ આપણા દેશનું ભવિષ્ય છે. 

ગ્લોબલાઇઝેશન જ દરેક સમસ્યાઓનો હલ છે. પોતાના સર્વાંગી વિકાસ માટે અને પોતાની પ્રાથમિક જરૂરિયાતોની પ્રાપ્તિ માટે દરેક રાષ્ટ્રને દરેક રાષ્ટ્રોની જરૂરિયાત છે. આ બધો વહીવટ આજથી ૨૦ વર્ષ પછી કોણ ચલાવશે? એ જ અત્યારનાં ભૂલકાઓ. પરંતુ પ્રશ્ન એ છે કે શરૂઆત કેવી રીતે થવી જોઈએ? 

મારા પોતાના વિચારો એ છે કે, જો શાળાથી શરૂઆત કરવામાં આવે તો પરિણામ સારું આવી શકે છે. કોઈપણ વિદ્યાર્થીને શાળામાં “અટક” કે “સરનેમ”ની જરૂરિયાત જ ન હોવી જોઈએ. વિદ્યાર્થી ફક્ત એમનાં માતૃશ્રી/પિતાશ્રી/પાલકગણથી જ ઓળખવા જોઈએ. આ ખુબજ ચોટદાર વિચાર સાબિત થઇ શકે છે. 

જ્યાં સુધી જરૂરિયાતો અને પ્રાથમિકતાઓ બદલશે નહીં ત્યાં સુધી આમને આમ જ ચાલતું રહેવાનું. જરૂરી નથી સમય વધતા રાષ્ટ્રની પ્રગતિ જ થાય દુર્ગતિ પણ થાય જ છે જોઈલો ઝીમ્બાબ્વે જેવા દેશનો કેસ. 

ટૂંકમાં દુનિયાનું એવું કોઈપણ કાર્ય બચવું ન જોઈએ કે જે ભારતીયો ન કરી શકે. તેના માટે શિક્ષણ વ્યવસ્થામાં ધરખમ સુધારા લાવવા રહ્યા. જેમ દલિત મુદ્દે અને બીજા ઘણા મુદ્દે લોકોને રોષ ચડી આવે છે તો ક્યારેક શિક્ષણ વ્યવસ્થા અને ગ્લોબલાઇઝેશન જેવા વિષયો પર પણ લડી જોવો. આપોઆપ જરૂરિયાતો બદલાશે. દુખતી નસો પણ બદલાશે અને નેતા ઓ પણ બદલાશે. 

આ હતા મારા વિચારો. તમારા બધાના આઈડીયાઝને આવકાર્ય છે. 

જય હિન્દ. 





બકો અને બકી

બકો : ચો ગઇ?
બકી : ચો જવાની મું!
બકો : અલી મગજમારી ના કરને...જલ્દી આય!
બકી : હે મેલડી.... આ લોય લુહાણ કેમ થઈ જ્યા?
બકો : આ મોદીજીનું ભાષણ સાંભળતા સાંભળતા પવન આયો ને બ્લેડ મય ધરી જઇ  :(
બકી : અલ્યા તને હત્તર વાર ચૉળ્યું કે દાઢી કરતાં કરતાં ઝી ન્યૂઝ નઈ જોવાનું...!
બકો : હોવ શિખામણ ના આલ, આ સાફ કર ને જોરદાર ભુખ લાગી સ પેલી 200 વાળી દાળ બનાય આજે....
બકી : ચમ દિવાળી સ ? રોટલા ખાવ રોટલા. :p

- કમલ

Quotes That'll Make You Look At Life More Logically And Less Emotionally

"The road to power is paved with hypocrisy, and casualties."

"People respect power. Not honesty."

"In politics, you either eat a baby or you are the baby."

"We have to do the things people won't like."

~ HOUSE OF CARDS

"ગ" સે ગુજરાતી ઔર "ગ" સે ગાંઠિયા

ગુજરાતી અને ગાંઠિયા બન્ને એકબીજાના સમાનાર્થી છે. અહીં પ્રસ્તુત ચિત્ર જામનગરના ગાંઠિયાનું છે. પાણી પાણી થઈ ગ્યું ને મોં. ! 

ગુજરાતમાં દરેક જગ્યા એ ગાંઠિયાને અલગ અલગ રીતે ખવાય છે. જેમ કે, ચિત્રમાં બતાવ્યા પ્રમાણે જામનગરમાં પપૈયાનું છીણ અને ત્યાના મરચા સાથે લેવાય છે. એવી જ રીતે અમદાવાદમાં કઢી અને ચટણી સાથે લેવાય છે. રાજકોટમાં એમની પોતાની લીલી ચટણી અને ગાજર પપૈયાનાં છીણ સાથે પીરસવામાં આવે છે. ચટણી ગમે તે હોય ગાંઠિયા જો ગરમ અને પોચા રૂ જેવા હોવાજ જોઈએ. 

તો આ ભીના ભીના વાતાવરણમાં તમે બધા ગરમ ગરમ ગાંઠિયાની મજા માણો!



સલામત જીવન

ખોટાનાં ધમપછાડા ને
સાચાની સલામત ચુપ્પી

ગાંડાના વિચારો ને
ડાહ્યાની સલામત રીત

ડાકુના ચાબખા ને
સંતની સલામત શીખ

મરેલાની શાંતિ ને
જીવતાની સલામત અશાંતિ

મારા શબ્દો ને
તમારું સલામત વાંચન

આ બધાય પર ભરોસો ન કરવો ;)

- કમલ

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો