ગુજરાતનું ગૌરવ, વ્યક્તિશ્રેષ્ઠ શ્રી શાહબુદ્ધિન રાઠોડ સાહેબ હવે ગર્વથી કહેશે કે, "આયા થી કોઈ એ જાન કાઢવી નહીં...આ રોડ આપડો છે અને કોઈને તકલીફ હોય તો જોઈ લ્યો... આ લખ્યું નામ આપડું...." થાનગઢ નગરપાલિકાએ આજે જ આ સદ્કાર્ય હાથ ધર્યું. જોકે આ થવાનું જ હતું. પણ સાહેબ હવે વચ્ચે ખુરશીએ નાખીને બેહે ને તો ય કોઈ કાઈ નો કે. સાહેબ તમે ખુબ સ્વસ્થ રહો અને દરેકને હસાવતા રહો. Congratulations Sir.
તમે આ ક્યારેકતો આ કહેવત સાંભળી જ હશે કે, “ દીવા તળે અંધારું “. એજ રીતે શિક્ષણ દીવો છે અને દીવામાંથી નીકળતો પ્રકાશ એ આપણા સમાજમાં દેખાતી અને ઉભરતી યોગ્ય પ્રગતિ છે પરંતુ તમને પ્રશ્ન થશે કે “અંધારા”નું શું? કેમ તેના માટે મને કોઈ રૂપક ન મળ્યો! ખાનગીકરણ.....એજ તો છે અંધારું! થોડા સમય પહેલાની વાત છે. હું, મિત્ર જીગર અને મિત્ર ચેતન ગુજરાત વિદ્યાપીઠની મુલાકાતે હતા. ત્યાં ચીન દ્વારા આપેલી પરમ ભેટની ચૂસકી મારતા મારતા આ વિષય પર પ્રથમ વખત વિસ્તૃત ચર્ચાનાં અંકુર ફૂટ્યા હતા. જો કે આ અહેવાલને સંક્ષિપ્ત જ સમજવો. મૂળ વાત, કોઈપણ રાષ્ટ્રનાં નાગરિક તરીકે પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ એમ દરેક કક્ષાનું શિક્ષણ રાષ્ટ્રના તમામ નાગરિકોની પરમ જરૂરિયાતોમાં સ્થાન પામેલ છે અને સત્તા પર બેસાડવામાં આવેલ “વેપારીઓ” પોતે એ શિક્ષણ આપવા બદલ નિમાયેલા પણ છે. (માફ કરશો મારો પ્રયાસ “નેતાઓ” લખવાનો હતો) આપણે ભારતીય છીએ એટલે ભારતની જ વાત માંડુ કે, ભારત દેશ અંગ્રજોની ગુલામીમાંથી આઝાદ થયા પછી કેન્દ્રીય સત્તા પર આવનાર દરેક સરકારે પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ લોકો સુધી પહોચાડવા માટે બનતા પ્રયત્નો કર્યા છે અને કરતા રહેશે. (બનતા પ્
માર્કેટનાં ખૂણા ઉપર દેહવ્યાપાર માટે ઉભી રહેલી સ્ત્રીને જોઈને 'ચકો' માથું ઝુકાવી ચાલવા માંડ્યો... બકો: (મંદ મંદ હસીને) કેમ લ્યા કેમ શરમાઈ ગયો? ચકો: હા, શરમાઈ ગયો.. પણ મને મારી જાત ઉપર શરમ આવી. બકો: લે.....કેમ? ચકો: એ એટલા માટે કે, હું આજે જ મારી જાત પર અમુક કારણોસર ગૌરવ લઈ રહ્યો હતો...પણ આ મજબુર સ્ત્રીને જોઈને મારું ગર્વ ભાંગી પડ્યું. આપણા સમાજનું સામર્થ્ય હોવા છતાં પણ આ સ્ત્રીઓએ હજું સુધી પોતાનું પેટ ભરવા પોતાની ઈચ્છા વિરુદ્ધ કાર્યો કરવાં પડે છે. બકો: પણ ચકા, આ તો પ્રાચીન કાળથી ચાલતો આવતો વ્યવસાય છે. આમાં તું કે હું કંઈજ નથી કરી શકવાના, નહીં આપણો સમાજ. ચકો: લે...ટણપા... પ્રાચીન કાળથી શૌચાલય તો આપણે બહાર જ જતા હતાં તો હવે કેમ બંધ બારણાંની અંદર જઈએ છીએ? છે કોઈ કારણ? બસ આ સંવાદથી મારો કહેવાનો મર્મ એજ હતો કે, આપણે ભલે દેહવ્યાપાર જેવા દુષણમાં ભટકેલાં ન હોઈએ..પણ જે સ્ત્રીઓ મજબુરીથી આ દુષણમાં જકડાઈ ચુકી છે એમના માટે આપણા સમાજે અને આપણે વ્યક્તિગત ધોરણે એવી વ્યવસ્થા ઉભી કરવી જોઈએ જેથી આવનાર ભવિષ્યમાં કોઈપણ સ્ત્રીએ કોઈપણ કારણોસર આ દુષણમાં ન આવવું પડે. હ્યુમન ટ્રાફિકિંગ એટલે મજબ
સમજોતા એક્સપ્રેસ એટલે ફક્ત ટ્રેન જ નથી ઉપરાંત તે બે પાડોશી દેશો વચ્ચેનાં ભાવનાત્મક જોડાણની અનુભૂત પણ છે. એક ટી.વી. શો પ્રોગ્રામમાં ભારત અને પાકિસ્તાનને જોડતી એકમાત્ર ખુબસુરત કડી એવી " સમજોતા એક્સપ્રેસ " તથા બંને દેશોનાં લોકો સાથે જોડાયેલી ભાવનાત્મક અને રસપ્રદ માહિતીઓ જાણવા મળી. મને જે અનુભવ થયો એ એટલો બધો સંવેદનશીલ હતો કે તેને શબ્દોમાં તો હું ભાગ્યે જ ઉતારી શકું! એક કલાકનો શો જોયાં બાદ મેળવેલ અનુભવનો રસ એટલો બધો રોચક અને લાગણી સભર હતો કે ખરેખર બે અલગ અલગ દેશો પણ એક જ ભાત-સંસ્કૃતિ વાળા દેશોમાં રહેતા સામાન્ય માણસોને સરહદ સાથે કાંઇ જ લેવા-દેવાં નથી! તેઓ તો બસ પાર્ટીશન બાદ પોતાનાથી વિખુટા પડી ગયેલાં પરિવારની એક જલક મેળવવા માટે પોત-પોતાનાં ભગવાન પાસે પ્રાર્થના કરતા હોય એવું લાગ્યું અને વાસ્તવિક દુનિયામાં એ તમામને ભેગા કરવાનું કામ એટલે સમજોતા એક્સપ્રેસ. વર્ષ ૧૯૭૬માં શિમલા કરાર પછી સમજોતા એક્સપ્રેસનાં શ્રી ગણેશ સાથે કાયદેસર રેલ્વેમાર્ગ દ્વારા બે દેશો વચ્ચેમોટા પાયે “સામાન્યવ્યક્તિ વ્યવહાર” ફરી શરુ થયો. રાજકીય તકલીફોને લીધે કેટ-કેટલાય પરિવારો અને લોહીનાં સબંધીઓએ પાર્ટ
પ્રિય, ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી, રમેશ મહેતા, પી. ખરસાણી, અસરાની, કિરણ કુમાર, સ્નેહલતા, અરુણા ઈરાની, રીટા ભાદુરી મહાનુભાવો તમે ક્યાં ખોવાઈ ગયા છો? અને ગુજરાતી મુવી ને એકલા મૂકીને ક્યાં ચાલી ગયા? અહી તમારા સમયના મુવી મેકર્સ અને ટેકનીસીયનોની હાલ ખુબ જરૂર છે. હાલના સમયમાં પ્રયત્ન તો થઇ રહ્યા છે પણ મારો અણગમો હજુ એજ કક્ષા એ છે. તમારા સમયની વાર્તાઓ, પ્રદર્શનની કળા, અભિનયની ખોટ ખુબ વર્તાઈ રહી છે. શું કહેવું છે મિત્રો તમારું? તા.ક. (Edit 1) ઘણા મિત્રો એ આ પોસ્ટ વાંચી એવાં રીએક્શન આપ્યા કે, ત્યારની ગુજરાતી ફિલ્મોમાં એવું તો કશુંજ ન હતું. બધું સ્ટીરિયોટાઇપ અને ચાવી ગયેલી સ્ટોરી અને એક જ કાઠીયાવાડી લહેકા. મારે એમને એજ કહેવું છે કે, ગુજરાતમાં તમને કન્ટેન્ટ આપણી જ મોનોપોલીની ન મળે તો કોની મળે? બીજું એ કે મને ત્યારે જે કન્ટેન્ટ ઉપર ચલચિત્રો બનતા હતા તે મુદ્દે મને કોઈ ફરિયાદ નથી. મને તો જુના ગુજરાતી ફિલ્મોમાં જે ગમી ગયું એ હતું એમની ટેકનીક, ફિલ્મ પ્રદર્શનની અને સિનેમેટોગ્રાફીની આવડત. એકવાત તો આપણે બધા એ માર્ક કરવી જ રહી, કે, એ સમયમાં જે લેવલ, સ્થાન
કોઈપણ વ્યક્તિ ને આ ચાર પ્રકારની તકલીફનો સામનો કરવો પડે છે. જયારે કોઈ વ્યક્તિ તમને પોતાનો વિરોધી માનતો હોય ત્યારે એ વ્યક્તિ તમારી સાથે આ ચાર પ્રકારની નીતિનો ઉપયોગ કરે છે. સામ, દામ, દંડ અને ભેદ. સામ - એટલે વ્યવહારિક અને તમારી સાથે સ્પર્ધા કરી તમને પરાસ્ત કરવાની નીતિ દામ - તમને કોઈપણ પ્રકારની લાલચ કે રિશવત આપી લલચાવી પરાસ્ત કરવાની નીતિ દંડ - તમને શારીરિક હુમલો કરી પરાસ્ત કરવાની નીતિ ભેદ - એટલે કે તમારા પર માનસિક હુમલો જેમાં દરેક વ્યક્તિ તમારી સાથે ઓળખાણ નો સબંધ તોડી દે છે. જે સૌથી પીડા દાયક હોય છે. એટલે પહેલા સામ નીતિ નો પ્રયોગ થાય અને જો એ કામ ન લાગે તો દામ નીતિનો પ્રયોગ થાય અને જો એ કામ ન લાગે તો દંડ નીતિ નો અને જો એ પણ કામ ન લાગે એટલે અંતે ભેદ નીતિ નો પ્રયોગ કે જે સુશાંત સાથે થયો તેની જ ઇન્ડસ્ટ્રી ના લોકો દ્વારા બુદ્ધિમાન અને ચપળ વ્યક્તિ એ ચારેય નીતિના આગમનથી વાકેફ હોય છે. જે વ્યક્તિ એ ચારેય સહન કરવાની ક્ષમતા રાખે તે અજય હોય છે. #kamalam
પાક સોબાના દુનિયાના બહેતરીન શુઝ (જૂતાં) બનાવનાર માંથી એક છે. તેઓ અવ્વલ દર્જાનાં કારીગર તો છે પણ તેમના દ્વારા બનાવેલા જૂતાં ખુબ કીમતી ગણાય છે. તેઓ ઈન્ડોનેશિયાના નાગરિક છે. દુનિયાની સર્વશ્રેષ્ઠ જૂતાં બનાવતી કંપનીઓએ તેમને પોતાને ત્યાં કામ કરવા માટે આમંત્રણ આપી ચુક્યા છે. ઇટાલિયન કમ્પની એ તેમને તમામ પ્રકારની સુવિધા સાથે આમંત્રણ આપ્યું હતું. પરંતુ તેઓએ એ માન્ય ન રાખી પોતાના પરિવાર સાથે ઈન્ડોનેશિયાના એક ગામડામાં પોતાની કારીગરી ચાલુ રાખી. હાલ પણ ખુબ જ કીમતી જૂતાં બનાવવાનો ઓર્ડર જયારે એમની પાસે આવે છે. અજુગતી વાત કહું? દુનિયાના સર્વશ્રેષ્ઠ જૂતાં બનાવી શકનાર માણસનાં પગમાં સ્લીપર છે! अरे हमने दिलको संभाल लिया तो ये दुनिया कोनसी खेत की मुली है!! :D આવા તો કેટલાય ઉચ્ચતર કારીગરો અને બુદ્ધિશાળી વ્યક્તિઓ દુનિયામાં દરેક જગ્યા એ હશે. પાક સોબાના પોતાની ઈચ્છા એ ઇન્ડોનેશિયામાં રહ્યા. પણ એવા ઘણા પ્રતિભાશાળી વ્યક્તિઓ આપણા દેશમાં છે જેઓની હાલત ઘણી પણ નબળી છે. કોઈ આવા વ્યક્તિ નજરે ચડે તો આપણાથી બને એટલું એમને પ્રમોટ કરવાની ટેક રાખવી. - કમલ ભરખડા
મા ફ કરજો, મેં શીર્ષક દ્રારા કટાક્ષ મુકવાનો પ્રયત્ન કર્યો છે. ભારત દેશ મહાન હતો, પણ અત્યારે નથી. કારણ? યે દેશ થા વીર જવાનો કા, અલબેલો કા, મતવાલો કા, ઇસ દેશ કે યારો લગ ગયે હૈ, બડે મોટે મોટે લગ ગયે હૈ! - ટીમ, ઐસી તૈસી ડેમોક્રેસી દેશ મહાન બને છે પણ કોના થકી? બીલકુલ એમના નાગરિકોના યોગ્ય અભિગમ થકી. આપણે અમેરિકાનો જ દાખલો લઈએ તો ખ્યાલ આવે કે, અમેરિકનો એક એવાં અભિગમ સાથે જ જન્મ લે છે કે જેના માટે દેશની ઉન્નતિ સિવાય બીજું કૈંજ વિશેષ નથી હોતું. ભારત પણ એક સમયે સોનાની ચીડિયા તરીકે ઓળખાયું હતું. દસ એક સદીઓમાં એવું તો શું થયું કે, હવે એ પરિસ્થતિ આપણે સપનામાં પણ વિચારી ન શકીએ કે, ભારત સમૃદ્ધિને ખોળે પાછું આવશે! દેશનું સ્ટેપ બાય સ્ટેપ ઉન્નત થવું એ ખરેખર અતિમહત્વની વિભાવના(Concept) છે જે સમજવી ખુબ જરૂરી છે. દેશની ડેટમ લેવલથી મહાન(ઉન્નત) થવાં સુધીની પદ્ધતિ છે જેને દેશનો ઉત્ક્રાંતિવાદ કહી શકાય. હાં, દેશની ઉત્ક્રાંતિ ડાર્વિનના માણસના ઉત્ક્રાંતિના સિધ્ધાંતની સમાંતર જ ચાલે છે. આગળ વધીએ. દેશની મહાનતા કોઈ ઈમારત નથી કે જેને એકવાર બનાવી લીધા પછી ધ્યાનબાર કરી દેવા
દુધાળા પશુઓ અને ભારત
- કમલ ભરખડા ગાય ભેંસ બકરી આ બધા પાલતું દુધાળા પશુઓ છે પણ છતાય "ગાય", આ શબ્દ હિંદુઓ માટે અથવા દરેક ભારતીયો માટે એટલો મહત્વનો શું કામ બન્યો?
કારણકે, ગાય એક પ્રચલિત પાલતું પ્રાણી છે. તે અન્ય પાળતું જીવ કરતા સારા પ્રમાણમાં સભ્ય અને સંવેદનશીલ છે જે માનવીય કુટુંબ શૈલીમાં ફીટ બેસે છે. આ ઉપરાંત ગાય પોતાનાં ઉછેરની સામે તેના પાલકને દૂધ જેવો વર્સેટાઈલ ખોરાક આપે છે. જેમાંથી દરેક કક્ષાના અને અનેક પ્રકારના અતિ પૌષ્ટિક ખાધ પદાર્થ મળી રહે છે. આ બધું ફક્ત ગાયમાં જ નહીં પરંતુ બકરી, ઘેંટા અને ભેંસ માંથી પણ મળી જ રહે છે. તદ ઉપરાંત ઘેંટા તેના દૂધ સાથે સાથે તેનું રૂ પણ આપે છે. તો પછી ફક્ત ગાય ને જ કેમ આટલું મહત્વ?
શું ગાય અને ભેંસની વસ્તી બકરી અને ઘેંટાથી વધારે છે એટલા માટે? નાં જરાય નહીં.
NATIONAL DAIRY DEVELOPMENT BOARD દ્વારા છેલ્લે ૨૦૧૨માં અપાયેલા આંકડાઓ મુજબ, ૩૦ કરોડ જેટલા ગાય-ભેંસ અને અંદાજીત ૨૦ કરોડની આસપાસ ઘેટાં-બકરા નો "લાઈવસ્ટોક" ભારતમાં મોજુદ છે.
ગાય અને ભેંસ પ્રમાણે, ઘેટાં બકરાની સરખામણીએ દૂધનું ઉત્પાદન સારી એવી માત્રામાં કરી આપે છે. માનવજ
હિન્દુત્વ (સનાતન ધર્મ) પહેલા ધર્મ નહીં હોય પણ કદાચ એ એક ડોમેઈન લેસ મીકેનીઝમ/સિસ્ટમ(તંત્ર) હશે. ( મતલબ કે, તમામ વિચારસરણીનો સમન્વય) જે વ્યક્તિ , કોઈને માને કે ન માને પરંતુ તે પ્રત્યક્ષ કે પરોક્ષપણે હિન્દૂ “સિસ્ટમ”નો જ ગણાતો અને હાલમાં પણ ગણાય જ છે. પ્રાચીન હિંદુત્વ એક સર્ટિફિકેટ લેસ સિસ્ટમ હશે. જેમકે , બાઉન્ડ્રીલેસ સ્ટ્રક્ચર એટલે કે, કોઈપણ પ્રકારના બંધન વગરની ઉદારવાદીનીતિ અને વ્યક્તિઓથી બનેલું સુઆયોજિત માળખું. માણસાઈ, સંપન્ન સમાજરચના અને સમૃદ્ધ રાષ્ટ્ર બસ એજ એમના લક્ષ્યો હતાં. હિંદુત્વ એ ત્યારની સ્થાપિત ભારતીય સંસ્કૃતિનો સંપુર્ણ ભાગ હતો, જેમાં કોઈપણ ભૌતિક , લૌકિક , સામાજીક , વૈચારિક કે પછી ધાર્મિક બંધનો અને અન્ય બંધારણો કે જે માણસને પોતાની સ્વતંત્રતા વિરૂદ્ધ બાંધી રાખે તેવી કોઈ જોગવાઇઓ જ ન હતી. એક એવી અત્યાધુનિક રેશનલ વિચારધારાની સંસ્કૃતિ કે જેણે હર-હંમેશ તમામ બીજી સંસ્કૃતિઓને અને વિચારધારાને આવકાર જ આપ્યો છે. શું તમે શરાબ પીવો છો , તમે માંસ ખાઓ છો , તમે મૂર્તિ પૂજામાં નથી માનતા , તમે મંદિરમાં નથી જતાં , તમે નિત્ય ક્રિયા નથી કરતા , ત
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો