પુરુષનાં જીવનમાં સંપ્રદાયોનું મહત્વ

એક ગુજરાતી પુરુષની લાઈફ સ્ટાઈલ ઘણી સંકુચિત હોય છે. એ જ્યારથી સમજણો થાય ત્યારથી લઈને જીવનના કોઈપણ તબ્બ્ક્કામાં એની પોતાનાં વ્યવસાય તરફીની પ્રાથમિકતા સૌથી પ્રમુખ જ રહે છે.

સરેરાશ, કોઈપણ પુરુષ એકસાથે મીનીમમ ત્રણ જીવન જીવતો હોય છે.

૧. પર્સનલ જીવન
2. સામજિક જીવન
૩. વ્યાવસાયિક જીવન

ઉપરના ત્રણેય જીવન હરેકએક ક્ષણ પુરુષની સાથે રહે છે. અને એમાં પણ જો ડાયો માણસ હોય તો એને ખ્યાલ જ ન આવે કે કોને કઈ અને કેટલી પ્રાથમિકતા આપવી.
જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી કહું તો, જે વ્યક્તિ આ ત્રણેય જીવન પ્રત્યે હરહંમેશ કન્ફયુઝ/મુંઝાયેલો જ રહે એ વ્યક્તિને ડાહ્યો માનવામાં આવે છે. કારણકે એ વ્યક્તિની પ્રાથમિકતાઓ આરામથી બદલી શકાય છે એક નાના એવા લેકચરથી. Hahaha

ઉપર જણાવેલા ત્રણેય જીવનથી બહાર રહેવા માટે એક ચોથું જીવન પણ છે, જે છે અધ્યાત્મિક જીવન. જોકે એક રંગરસિયા ગુજરાતીને આધ્યાત્મિકતા સાથે કશુંજ લેવા દેવા નથી. દુર-દુર સુધી નહીં. જે આત્મજ્ઞાન ગુજરાતી રૂપિયાની ખોટ ખાઈને મેળવે એ જ્ઞાન કોઈ ગુરુની તાકાત નથી કે એને આપી શકે.

હવે જયારે માણસ આ ત્રણેય જીવન સાથે લડતો હોય અને તેને ખબર છે કે, આધુનિક સમયમાં વ્યવસાયિક જીવન જેટલું મજબુત હશે એટલા જ બીજા બે જીવન સુખી રહેશે અથવા એમ કહી શકાય કે, આર્થિકસ્થતિથી બીજા બે જીવનને સુખી રાખવાનાં રસ્તા નીકાળી શકાય છે.

એક ગુજરાતી માણસ જયારે જમ્યા પછી ઊંઘને પ્રાવધાન આપતો હોય એ એક સાથે એક કરતાંય વધારે જીવનને કઈ રીતે પ્રાથમિકતા આપી શકે? એની દ્રષ્ટી એ તો એ વર્તમાન અવસ્થા જ એના માટે સુખ છે, કે નહીં? અને એક જીવન સુખે થી ચાલતું હોય ત્યાં બીજા જીવન પર ફોકસ કરવાનું આવે ત્યારે?

એટલે જ બીજા બે જીવન સમતોલનમાં ચાલે એટલે એને જેતે કમ્યુનીટી સાથે જોડાવું પડે. જેમકે, મિત્રો પર્સનલ લેવલની કોઈપણ તકલીફમાં એનો સાથે આપે છે. 

અને જયારે સામજિક કક્ષાની તકલીફ આવે ત્યારે જો એ બધું છોડી ને એ પ્રોબ્લેમ પર ધ્યાન આપવા જાય ત્યારે બીજા બે જીવનની પત્તર ઠોકાઈ જાય. એટલે જ સામજિક પ્રોબ્લેમ્સને દુર રાખવા માટે સમાજ સુધારકો પિકચરમાં આવ્યાં.

શ્રી વલ્લભચાર્યજી ગુરુ તો છે જ પણ તેઓ સમાજસુધારક વધારે હતા.

માનો કે તમને સામજિક કે પર્સનલ કોઈ તકલીફ પડે અને તમને રસ્તો ન સુઝે તો અત્યારે તમારે કાઉન્સેલર નાં ચક્કર લગાવવા પડે છે. સાઇકોલોજિસ્ટને મોંઘી મોંઘી ફીસ આપો છો અને તેઓ સમધાનનાં નામે પોતાના નેટવર્ક અથવા જ્ઞાન થી રસ્તો જ કાઢી આપે છે ને? કે બીજું કાઈ?

એવી જ રીતે આ સંપ્રદાયો આ પ્રકારનાં એક કાઉન્સેલિંગ હાઉસીસ છે. હા દ્રષ્ટિ બદલવાની જરૂર છે સીસ્ટમ નહીં. લોકોની દ્રષ્ટિ જયારે મોટી સંખ્યામાં વિકસિત થશે ત્યારે સીસ્ટમ આપોઆપ વિકસિત થશે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી.

વૈષ્ણવો કે પછી સ્વામીનારાયણ સંપ્રદાયોનો મૂળ સ્તંભ એટલે ભક્તિમાર્ગ. જે તે સમયે ભક્તિમાર્ગ લોકોને વધારે પસંદ પડતો. હવે જેમ-જેમ મનુષ્યનું લોજીકલ માઈન્ડ વિકસિત થતું જાય છે ત્યારે જ્ઞાનવત્સલ સ્વામીજી જેવા સંપ્રદાયોનાં ચહેરાઓ લોકોને ભક્તિમાર્ગથી અલગ વ્યવસાયિક અથવા કારકિર્દી કઈ રીતે ઉજળી થાય એ બાબતે લેક્ચર્સ લેતા થયા છે. હું એ જ બદલાવની વાત અહી કરું છું.

અસ્તુત.

કમલમ

ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

સામ, દામ, દંડ અને ભેદ

પાક સોબાના

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ