શિક્ષણ અને માનવીય સંવેદનશીલતા

બકો: મને હમણાં જ ખબર પડી કે સુનામી આવી હતી ત્યારે કોઈપણ પ્રકારના પ્રાણીઓને નુકશાની નહોતી થઈ! એવું કેમ? એમને કેવી રીતે ખબર પડી કે આવું કઇંક થવાનું છે?

ચકો: ખબર તો માણસોને પણ પડતી હતી..પણ હવે આપણે "ભણેલાં" જ છીએ અને એ એ પ્રાણીઓ અભણ પણ સવેદનશીલ.

સાચી વાત છે. આપણા આધુનિક ભણતરનાં પાયામાં જીવમાત્રને ભેટ સ્વરૂપે મળેલી અઢળક સ્પંદન શકિત, સવેદનશીલતા અને કુદરત સાથેની ગાંઠને આપણે ગુમાવી બેસ્યા છીએ. જે પહેલા ન હતું... ભારતીય ઉપખંડનાં રહીશોમાં એ આવડતો હતી. અને એજ આપણી શિક્ષણ વ્યવસ્થા હતી.

પણ આ કારણ વગરની દુનિયાની કોમ્પીટીશનનો આંધળો ભાગ બની રહેવા માટે આપણે આ બધી ભેટોને દાનમાં આપી દીધી. અને મેળવ્યું શું? કંટોલા! હમેશાં બે સ્ટેપ પાછળ રહેવાનું પસંદ કરી લીધું..... હજુએ જંગલોમાં અને અંતરિયાળ ગામડાઓમાં બાળકોને આ રીતે શિક્ષિત કરવામાં આવે છે. પણ આવતા સમયે એ પણ નામશેષ રહી જશે.

કલાકૃતિ, કારીગરી, વિજ્ઞાનને ફળવા માટે ની તમામ ભૌગોલિક સંશાધનો ભારતમાં મોજુદ હતા અને છે. આવતા સમયમાં એ શિક્ષણ વ્યવસ્થાની માંગ ખુબ જ વધશે જે મૂળ જરૂરિયાતો પર નું શિક્ષણ આપે. જેમકે, ખેતી, પાણીનાં સ્ત્રોત, સૂર્ય ઉર્જાનો મહતમ ઉપયોગ, કાચા અન્નને સાચવવાની કળાઓ, ઔષધિઓ વગેરે વગેરે...

- કમલ ભરખડા.


ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

સામ, દામ, દંડ અને ભેદ

પાક સોબાના

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ