પૈસાનું તંત્ર

પૈસાનું તંત્ર એ ખુબ જ જૂની સ્ટ્રેટેજી છે. પહેલા દરેક વ્યક્તિ સિંહ હતો. એ પોતાના એરિયામાં રહેતો - ત્યાં જ પોતાનું જીવન વિતાવતો. - અને કુદરત જે આપે એ ચલાવતો. એનો દેશ એટલે એ વિસ્તાર એટલો જ જેટલો તે ફરી-ચરી શકે. 

પણ દુનિયા જેમ જેમ આગળ વધતી ગઈ તેમ તેમ શાશકો વધતાં ગયાં. અને તેમના સલાહકારો પણ. આ માણસનો ખોરાક અન્નજળ અને આ શાશકોનો ખોરાક એટલે ગુલામી અને વિસ્તાર.

કોઈ એક સિહ બીજા સિંહનાં તાબે ન રહી શકે. હા, સિંહ ને મંજુર છે પોતાના વિસ્તાર ને નાનો કરી શકે જો સ્થતિ ન હોય તો. પણ સિંહ ને એ ક્યારેય મંજુર ન હોય કે એ કોઈનાં દબાણમાં પોતાના નિર્ણયો લે.

એટલે શાશકોને જો પોતાની લાલચને સંતોષવી હોય તો આ તેને વિસ્તાર વધારવો જ રહ્યો એ નક્કી છે. હવે વધેલા વિસ્તારમાં બની શકે ત્યારે દરેક સિંહનાં જ રાજ હતા. અને સિંહ તેના સ્વાભાવ અનુસાર જ વર્તન કરવાનો છે.

હવે જ્યાં સુધી સિંહ, સિંહ રહેશે ત્યાં સુધી શાશક શાશક નહીં બને. એટલે એ સિંહને ઘેટું બનાવવા પડે. જે એક ગાજર અથવા ટોળામાં એક જ દ્રવ્યની પાછળ ચાલતા રહે. તેમનું જીવન જ એ કે, બસ એ ગાજરને પામો એટલે જીવન જીવી લીધું. અને શાશકોને એજ જોતું હતું.

શાશકો આપણને લડાવશે કે, જો ફલાણા દેશના લોકો આપણે ત્યાં આવશે તો આપનું ગાજર લઇ જશે... એટલે થોડીક વાર ઘેંટાઓ ને કુતરા બનાવી દે. પણ એ કુતરાઓને હાડકા પાછો એ શાશક જ નાખે. એટલે વધી ઘટી ને પરિસ્થતિ અહીં આવી ગઈ કે, દરેકનું મૂળ ગાજર જ રહી ગયું.

એટલે હવે એ ગાજરને આપણે પૈસા તરીકે સ્વીકારીએ એટલે કાઈ ખોટું નથી. અને માણસની માનસિકતા એવી રીતે બેસાડી દીધી છે કે એને ગાજર વગર ચાલશે જ નહીં. પણ એને સિંહ બનતા એની ફાટે છે એટલે જ ગાજરમાં ખુશ છે.

- કમલ ભરખડા

ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

સામ, દામ, દંડ અને ભેદ

પાક સોબાના

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ