નવી કહેવત

" કાનના પડદા ખોલી નાખે એવો તાવ "

Hahahahah આવુ જ બન્યું જ્યારે મને તાવ આવ્યો અને આવ્યો ત્યારે એવો આવ્યો કે કાનના પડદા ખોલી નાખ્યા! ;)

ભેજ અને વરસાદી માહોલને લીધે ઘણી વખત કાનમાં બચી રહેલો ભેજ અંદર જ રહી જાય છે અને સમય જતાં સુકાઈ જાય છે અને જો એ ભેજ કાનના પડદા અને તેની બાજુની અડેલી જ ચામડીની વચ્ચે હોય તો વખત જતા એ ભેજ સુકાઈ જતાં ચામડી અને પડદા ને ચોંટાડી રાખે છે જેથી પડદાની થિકનેસ એટલે કે જાડાઈ વધી જાય છે અને કાનની અંદર આવતા ધ્વનિ તરંગોનું ઓરીજીનલ ક્વોલિટી સાથે વિશ્લેષણ થઈ શકે નહીં જેથી અવાજ ગૂંગણો અને દબાયેલો વધારે લાગે.

પણ એ દિવસે અને તાવ આવ્યો કે જનરલી આવતો જ હોય છે થોડા મહિનાઓમાં પણ આ વખતે કઈંક વધારે હતો.. અને જેવો કાનના પડદાને મચક આપી ત્યાં જ એ ખુલી ગયાં અને અવાજ એકદમ ક્લીઅર કટ આવવા લાગ્યો. :D

આ તો થઈ વિજ્ઞાન ની વાત પરંતુ જીવનમાં પણ આવું ઘણી વખત થતું રહે છે, કઈંક વધારે અનુચિત/
અનપેક્ષિત થઈ જતું હોય ત્યારે એ દરમ્યાન એક કાર્ય એવું પાર પડી જતું હોય જ છે જે આપણી અમુક સમસ્યાઓનો અજાણતાં જ રસ્તો કરી આપે છે. અને એવું થાય જ છે.

જેમકે, એક પછી એક આવતી સમસ્યાઓ માણસમાં તેની કાર્ય ક્ષમતામાં અજાણતાં જ વધારો કરી આપે છે. પણ શરત એ કે લડવું પડે! :)

એટલે હવેથી આ કહેવત તમારે વાપરવાની છૂટ પણ ક્રેડિટ ભૂલ્યા વગર આપી દેવી. :D

- કમલ ભરખડા

If you respect someone! Then?

If you respect a someone,

Do one thing...

Don't go near to them or to their reality.
Otherwise you will lossen yourself from faith.

So respect a person based on their qualities and charectereistics. Don't confuse yourself by asking yourself that, how they have approaches the quality they had. If you love the qualities, make your own path to get them.

Thank you.

Good Time Ahead. 

- Kamal BHARAKHDA

ઉમળખા, મહ્ત્વકાંક્ષાઓ અને જરૂરિયાત

વિચારોના "ઉમળખાં" જ્વાળામુખી જેવા હોય છે. એવા વિચારો કે જે, શરૂઆત સ્ફોટક કરે પરંતુ શાંત થતાં વાર નથી લાગતી.

"મહ્ત્વકાંક્ષાઓ" ગરમ પાણીના જળા જેવા હોય છે. જે નિરંતર એક નાના એવા બખોલમાંથી નીકળ્યાં જ કરે છે. હા, તેને માણી શકો પરંતુ તેને ઉપયોગમાં ન લઈ શકો.

જ્યારે "જરૂરિયાત" સૂર્ય જેવી હોય છે. જે રોજ સવારે જન્મ લે અને અસ્ત થતાં શમી જાય! અને એ ચાલ્યાં જ કરે.

- કમલ ભરખડા

દૂધનાં ધોયેલા અને મજબુરીનાં તૂટેલા



આ અહેવાલનાં અંતમાં જરૂર ખ્યાલ આવી જશે કે, દૂધનાં ધોયેલાં કોઈ નથી અને મજબુરીથી કોઈ તૂટતું પણ નથી. આખરે તો અસલામતી, ફક્ત બોલવામાં અને લખવામાં ક્રાંતિકારત્વ, અંધવિશ્વાસ, રૂઢીવાદી અને અશિક્ષિત જેવા અવગુણ જ રાષ્ટ્રને તોડે છે.

તો મુદ્દાની વાત એ કે, આપણે અસલામતી, ભ્રષ્ટાચાર, જાતિવાદ, અંધશ્રદ્ધા, બેરોજગારી અને બીજા અનેક સામાજિક દૂષણો દેશમાં અનુભવીએ છે અને ફક્ત ટિપ્પણીઓ કરવાથી દુષણો દુર તો નથી જ થવાના!

નીચે તમને પશ્ચિમ જગતનાં, જે તે ક્ષેત્રનાં નામી લોકો દ્વારા કહેવામાં આવેલ સામાજિક દૂષણો ઉપરનાં તેમનાં વિચારો રજુ કરવા માંગું છું, જે નીચે પ્રમાણે છે.

“Power does not corrupt. Fear corrupts... perhaps the fear of a loss of power.” ― John Steinbeck

(પાવર કે તાકાત ભ્રષ્ટાચારી નથી. ડર કરે છે... કદાચ, તાકાત ગુમાવવાનો ડર જવાબદાર છે ભ્રષ્ટાચાર માટે)

“Religion is regarded by the common people as true, by the wise as false, and by rulers as useful.” ― Seneca

(ધર્મ, સામાન્ય માણસ માટે સર્વસ્વ છે, સમજદાર માટે મિથ્યા અને શાશકો માટે ઉપયોગી!)

“A man who has never gone to school may steal a freight car; but if he has a university education, he may steal the whole railroad.” ― Theodore Roosevelt

(એક માણસ જે ક્યારેય શાળામાં ગયો ન હતો એ કાર ચોરી કરી શકે છે; પરંતુ જો તે યુનિવર્સિટી શિક્ષણ ધરાવે છે, તો તે સમગ્ર રેલરોડ ચોરી શકે છે. "- થિયોડોર રૂઝવેલ્ટ)

“No matter how corrupt, greedy, and heartless our government, our corporations, our media, and our religious & charitable institutions may become, the music will still be wonderful.” ― Kurt Vonnegut

("કોઈ પણ પ્રકારની ભ્રષ્ટ, લોભી, અને નિરાશાજનક અમારી સરકાર, અમારા કોર્પોરેશનો, અમારા માધ્યમો, અને અમારા ધાર્મિક અને સખાવતી સંસ્થાઓ બની શકે છે, સંગીત હજુ પણ અદ્ભુત રહેશે." - કર્ટ વોનગેટ)

વાંચ્યા બાદ એવું જ લાગે છે કે, એ લોકો આપણા જેવી જ ટીપ્પણી કેમ આપી રહ્યા છે. આ અતિ-અનુભવી શબ્દોનાં ઘડવૈયાઓ પશ્ચિમ દુનિયાનાં છે. હા એજ સ્વર્ગ જેવી પશ્ચિમ દુનિયા, કે જ્યાં જવાનું અને નાગરિકત્વ મેળવવાનું સપનું લગભગ દરેક વ્યક્તિ જોવે જ છે. હવે મુદ્દા પર આવીએ. એ દરેક મહાનુભાવોએ પોતાનાં અનુભવો પરથી પોતપોતાનાં રાષ્ટ્રને દુષિત કરતા દુષણો પર પ્રચંડ તાકાત સાથે શાબ્દિક પ્રહારો કર્યા છે, અને એ શબ્દોનું વજન એટલું બધું વધારે છે કે, પોતાના રોજીંદા જીવનમાં અનુભવેલ દુષણોની અનુભૂતિ વગર એ વિચારોની ઉત્પત્તિ થવી લગભગ અશક્ય જ છે.

આપણે ભારતીયો હંમેશા એક બાબતે સ્પષ્ટ હોઈએ છીએ કે, પશ્ચિમ જગતનાં મોટા ભાગના દેશોની પ્રામાણિકતા, એની કાર્ય પ્રણાલી, કાર્ય વ્યવસ્થા અને મોટા ભાગે જે દુષણો ભારતભરમાં રસ્તામાં પડેલ કચરાની જેમ દરેક ક્ષેત્રોમાં, વ્યક્તિઓમાં, સરકારી વિભાગોમાં, વ્યવસ્થાઓમાં જોવા મળે છે, એ ૯૦% એમને ત્યાં હોતા નથી! એટલે ભારતીયોએ એવું માની લીધું કે, એમનો સમાજ પહેલેથી જ ઘણો વિકસિત છે જેનું પરિણામ આ ફકરામાં વાંચ્યું એ છે.

શું ખરેખર એવું જ છે? શું એ દરેક રાષ્ટ્રોમાં ક્યારેય હાલનાં ભારત જેવી પરિસ્થતિમાંથી પસાર થયા જ નથી? જો એવું હોત તો મારા સાહેબ તમે ઉપરનાં જે વિચારો વાંચ્યા એ શું એ આપણામાંથી કોઈએ જઈને એમને લખાવનું કહ્યું હતું? જી ના! એ સંપૂર્ણત: પોતાના અનુભવોની શાહીથી સિંચેલાયેલા શબ્દો છે. તમને દરેક શબ્દો પોતીકાં લાગશે. તમને દરેક શબ્દોનાં અર્થમાં હાલનું અને ભૂતકાળનું ભારત નજર આવશે. પણ શું કામ? એ એટલા માટે કે, એ દરેક પશ્ચિમ જગતનાં મોટા ભાગના દેશો/રાષ્ટ્રો હાલની ભારતીય પરિસ્થતિમાંથી પસાર થઇ ચુક્યા છે. દરેકે એ તમામ પ્રકારના દુષણો અને અત્યાચારોના ભોગ બન્યા છે.

એ સમયે, પશ્ચિમ જગતના દરેક વ્યક્તિને આપણી જેમ જ સ્વતંત્રતાની જરૂર હતી, શિક્ષણની જરૂર હતી, દરેક પ્રાથમિક જરૂરિયાતોની જરૂર હતી. ટૂંકમાં એક વિકસિત રાષ્ટ્રનાં ફાઉન્ડેશન માટેની તમામ જરૂરિયાતોની માંગ હતી.

એ જ તો ટર્નીંગ પોઈન્ટ હતો એમનો, જો એ સમયે પશ્ચિમ જગતનાં હાલનાં કોઈપણ વિકસિત દેશના નાગરિકે આપણા ભારતીયોનું પોતાના દેશ માટેના વલણ જેવું વલણ રાખ્યું હોત તો, શું એ વિકસિત થયા હોત? ના જરાય નહી! એ વિકસિત દેશના નાગરિકોએ કપરાંમાં કપરાં સમયમાં પણ કયારેય એવો ઉચ્ચાર સુધ્ધાં નથી કાઢ્યો કે, “આ દેશનું કંઇજ થવાનું નથી! આપના દેશનું ભવિષ્ય જ્યાં સુધી આ દેશદ્રોહી અને ભ્રષ્ટાચારી લોકોના હાથમાં છે ત્યાં સુધી “આપણા” ભારત દેશનું ભવિષ્ય રસ્તે રખડતા જાનવરો જેવું જ રહેવાનું!”

પરંતુ એ ભૂતકાળમાં પશ્ચિમ જગતના ભવિષ્યનાં વિકસિત રાષ્ટ્ર સાથે થઇ રહેલા અત્યાચાર સામે લડવા તેમના જ રાષ્ટ્રનો દરેક નાગરિક હાથ સાથે હાથ મિલાવીને દેશ માટે કુરબાન પણ થવું પડ્યું તો થયા પણ પોતાનાં રાષ્ટ્રોને અત્યાચારોમાંથી મુક્ત કરાવ્યાં અને ભવિષ્યમાં વિકસિત રાષ્ટ્ર થવાની હોડમાં લાગી પડ્યા અને હાલ તેઓ વિક્સીત રાષ્ટ્રોમાં જ છે!

ભારતીયો જે પણ વિકસિત દેશોથી અંજાઈ જાય છે એ વિકસિત દેશોએ પોતાની પ્રગતિ અને વિકાસ પોતાનાં નાગરિકોએ અને સંચાલકોએ સાથે મળીને નક્કી કરી હતી. એક નહિ પણ સુધારાનાં સમય પછી જન્મ લીધેલી દરેક પેઢી પોતાનાં દેશ સાથે વફાદાર અને બની શકે એટલા દુષણોથી દુર રહેવાનાં પ્રણ લીધાં છે. તમે એ પણ જોયું કશે કે કોઈપણ વિકસિત દેશ ધર્મની કે બીજી હલકી રાજનીતિમાં ઇન્વોલ્વ નથી. દરેક વિકસિત દેશના નાગરિકનો ધર્મ એક જ છે અને એ છે, પોતાનો દેશ.

ભારતને જરૂર છે એ પેઢીની, કે જે અંદર અંદર ન લડીને પોતાનાં દેશને વિશ્વ સમક્ષ દરેક ક્ષેત્રોમાં વિકાસશીલ દેશોની હોડમાં પ્રમુખ સ્થાન સાબિત કરાવી શકે. દરેક દુષણો પર પોતે જ પૂર્ણવિરામ મુકે અને આગળ આવતી પોતાની પેઢીને પણ શરૂઆતથી જ એવી કેળવણી આપે કે, જ્યાં દુષણોને આચરવાનું વિચારી જ ન શકે. દેશની શિક્ષણ વ્યવસ્થાને સુધારવાની જરૂર નથી પરંતુ દેશના દરેક નાગરિકોએ શિક્ષણ વ્યવસ્થાને ફક્ત અને ફક્ત પેટનાં ખાડા ભરવામાટેનાં ખીંચા સાધન તરીકેનો ઉપયોગ બંધ કરવો જોઈએ અને એવા તમામ દુષણો પર લડીને નામોનિશાન મિટાવી શકે એવી આત્મીય તાકાતની જરૂર છે.

વ્યક્તિ શિક્ષિત આત્માથી બને છે દિમાગથી નહીં.

એટલે જ મેં કહ્યું હતું કે, કોઈ દૂધનાં ધોયેલા ન હોય પણ દરેક વિકસિત દેશનાં નાગરીકોએ પોતાની પેઢીની પેઢી કુરબાન કરી છે પોતાના દેશને ટોચ પર લઇ જવા માટે! શું આપણે ભારત માટે એ જરૂરી પ્રથમ પેઢી બની ન શકીએ? શું જરૂરી છે દરેક વખતે મજબૂરીનાં માર્યા માર્યા ફરવું? જો આપણે નહિ કરીએ તો આપણી આવનાર પેઢી પણ કશું જ નહિ કરે.

જરૂર છે સ્વાર્થી થવાની. જરૂર છે દેશ પ્રત્યેનાં સ્વાર્થને મોટો કરવાની. જેમ વાલી પોતાના બાળક માટે કઈપણ કરી છુટવાની હિંમત બતાવે છે એજ રીતે આપણા દેશને બાળક સમજી તેને પોષણ અને માવજત આપવાની જરૂર જણાય છે. આપણે જાતે જ એક પ્રણ લઈએ કે એક પછી એક તમામ દુષણોને જડમાંથી કાઢી નાખીશું અને દેશ ને એમ ટીંપે ટીંપે વિકસિત રાષ્ટ્રોની સરખામણીએ લાવી દઈશું.

ચાલો કરીએ ભારતને દરેક ક્ષેત્રોમાં સંપુર્ણ વિકસિત.

જય હિન્દ.

- Kamal Bharakhda

Don't get tied on a single perception

Time, Peoples and Situations are continuously Changing and its the only truth you should know and have faith on it! Its the the only motivational parameter alives in this whole universe! So don't judge anything and strictly don't tied up your self to only a on single perception and opinion.

એક ગોતો તો હજાર મળે છે!

બકો: હવે સુસાઇડ કરી લેવું છે. બકી ક્યાં ભાવ આપે સે હવે...

ચકો: હમ્મ.. કઈ રીતે કરવાનો છે ... સુસાઇડ ? મને કહીં ને કરજે...

બકો: એજ મૂંઝવણમાં છું.

ચકો: hmm તને ખબર છે ડિજિટલ માર્કેટિંગ એટલું સ્માર્ટ થઈ ગયું છે કે તમે ગૂગલમાં કોઈ પણ એક પ્રોડક્ટ્સ બાબતે સર્ચ કરો તો તે રોબોટ્સ તમારી પસંદગીને સમજીને એ દરેક જગ્યાએ એડ તરીકે એજ પ્રોડક્ટ્સને તમારી સામેં લાવ્યાં કરે. અને ફક્ત એક જ કમ્પનીનું નહીં પણ તમારી પસંદગી જેવા તમામ પ્રોડક્ટ્સ અને તેની મોહિતી અને ક્યાંથી મળશે એ તમામ માહિતી પણ.

બકો: વાહ! તો તો મારે દર્દ ન થાય એ પ્રકારના સુસાઇડ આઈડિયા માટે સર્ચ કરવું જોઈએ.

ચકો: હા તો મંડી પયડ. ;)

બકાએ તો સર્ચ માર્યું અને થયું એ કે, એને હવે દિવસમાં 17 વખત મનોચિકિત્સકોના ફોન આવ આવ કરે છે. અને બધાને જવાબ આપવામાં બકો હવે બકીને ભૂલી ગયો છે. અને પેલી મનોચિકિત્સકની ઓફિસથી આવેલ ફોન વાળી હારે જામી ગયું સે. અને હવે સુસાઇડ ગયું તેલ લેવાં.

Hahahah

જીવનમાં પણ આવું જ હોય છે. એકને ગોતો તો હજાર મળે છે.

પુર્ણવિરામ

કમલ

આ જગતની સૌથી મોટી કાલ્પનિક વાત હવે બની વાસ્તવિકતા!

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે ટુંકમાં રોબોટ્સ.

કે જે લગભગ તમામ નિર્ણયો પોતે લે એવી ક્ષમતા તેનામાં હોય છે. તેને એ રીતે પ્રોગ્રામ કરેલ હોય છે કે આજુ બાજુનાં વાતાવરણ અને અન્ય પ્રકારની ગતિવિધિઓને જાણી અને સેન્સ કરી પોતાનાં નિર્ણયો લે છે અને એ જ મુજબ પ્રતિક્રિયાઓ પણ આપે છે!

સરળ ઉદાહરણ આપું તો એવી ગાડી કે જે ડ્રાઇવર વગર પણ ચાલી શકે!

મોટાંભાગની મલ્ટીનેશનલ કમ્પનીઓ અને સંસ્થાઓ જેમકે nasa, google, facebook અને અન્ય વિશાળ કંપનીઓએ પોતાનાં દૈનિક પેચિદા કાર્યો ને સરળ બનાવવા માટે હાલ તેઓએ આ પ્રકારના રોબોટ્સ નો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે.

વિશ્વ પ્રસિદ્ધ ઉદ્યોગ સાહસિક, ઈઓન મસ્ક, કે જેણે હમણાં જ એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે,  " માનવીય સામાજિક પરિસ્થતી માટે આવા રોબોટ્સ કે જેઓ પોતાનાં નિર્ણય પોતે જ લેતા હોય છે એ ભવિષ્યમાં હાનિકારક નીવડી શકે એમ છે. "

એમના આ સ્ટેટમેન્ટ ના લગભગ એક દિવસ પછી જ એવું બન્યું કે, ફેસબુક ની લેબમાં રાખવામાં આવેલ અને એમના જ દ્વારા વિકસાવવામાં આવેલ બે રોબોટ્સને બંધ કરવા માટે એમનો પાવર સપ્લાય કટ કરવો પડ્યો!

આખરે એવું તો શું બન્યું કે ફક્ત કોમ્પ્યુટર જ કહેવાતા રોબોટ્સ ને બંધ થવાનાં નિર્દેશ છતાંય એ બંધ ન થયા!

આ જેટલું વિચિત્ર અને ડરામણુ લાગે છે એ કરતાં પણ વાસ્તવિક પરિસ્થતી કઈંક વધારે જ વિચિત્ર અને નુકશાનકારક છે! હાં!

થયું એમ કે, ફેસબુકના બંને રોબોટ્સ કે જેની મૂળ વાતચીત કરવાની ભાષા અંગ્રેજી રાખવામાં આવેલી હતી, તેઓ એકબીજા સાથે પોતાની જ બનાવેલી અલગ ભાષામાં કયુનિકકેટ એટલે કે સંપર્ક કરવાનું શરૂ કરી દીધું! જી હાં એ રોબોટ્સ એટલા શાતીર સાબિત થયા કે એમને પોતાની જ ભાષા વિકસાવી. અને પરિસ્થતી ત્યાં સુધી પહોંચી ગઈ કે પ્રોગ્રામર દ્વારા આપવામાં આવતા કોઇપણ નિર્દેશને એ અવગણવા લાગ્યું. એટલે આખરે પાવર જ કટ કરવો પડ્યો એવી સ્થતિ આવી ગઈ!

અને એ ભાષા એટલી વિચિત્ર અને સુરક્ષિત કોડ લેન્ગવેજ વાળી હતી કે તેને ડિકોડ કરવું લગભગ અશક્ય લાગતું હતું.

હોલિવુડના ઘણાય મુવીઝ આ જ વિષયો પર બન્યા છે જેને કાલ્પનિક મનાતા હતા જે હવે વાસ્તવિકતા બનીને ઉભી રહી છે.

આગળ શું ભવિષ્ય છે આર્ટિફિશિયલ ઇન્ટેલિઝન્સ નું? શું તેને કન્ટ્રોલ કરી શકાશે? જો તેને કન્ટ્રોલ કરશું તો તે રોબોટ્સ કહેવાશે ખરાં?

ઘણાં પ્રશ્નો છે..પરંતુ આ વાસ્તવિકતા ને સમાચાર તરીકે વહેતી મૂકીને અમેરિકા સાબિત શું કરવા માંગે છે? શું તે આવાં બનાવોનો ઉપયોગ કરવા માંગે છે પોતે જગત જમાદાર બની રહેવાની લાલચ પેઠે? શું તેઓ એ સાવીત કરવા ઈચ્છે છે કે, હવે અમે આ કાલ્પનિકતા ને વાસ્તવિકતામાં બદલી છે?

ઘણી મૂંઝવણ છે. પણ આ બધામાં સ્પષ્ટ એક જ વાત છે કે, આ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ખરેખર આ હદે પહોંચી જ ગયું છે. એટલે હવે તેનો હથિયાર તરીકે કોણ ઉપયોગ કરશે એ જોવુ રહ્યું.

બીજું, અમેરિકામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિઝન્સ વિષય પર ભણતાં અને સંશોધન કરતા વિશેષજ્ઞોમાં ભારતીય અને જાપાનીઝ વધારે છે!

પુર્ણવિરામ.

કમલ ભરખડા.

Lets have a single attitude for all!

You are seeing people wearing Suits and Tie, who'd been came for watching a cricket only, on the ground, in The London.

Are they respecting a next to seated person or a cricket?

Whatever would be the reason... I even enjoy a cricket and those people by observing their lifestyle.

But in the core, it's not only concerned to lifestyle. It's about their commitment and discipline that we should have for our self.. as a single and constant attitude for everyone. Even for other species too!

I'm not saying that, we have to copying them, but atleast we could try to be like them in a positive way for all.

#Lets_have_single_attitude_for_all

Kamal Bharakhda

ચક-દે-ઇન્ડિયા

આ વખતે, “ચક-દે-ઇન્ડિયા” જેવા હેવી શીર્ષક સાથે કોઈ ખેલ-રમતને નહીં પણ ભારતીય ઉદ્યોગ પ્રણાલીને પ્રાણ આપવાનું કાર્ય કરવું છે. લેટ્સ ગો...

“અમદાવાદ” સ્થાપ્યું ત્યારે વત્તા ઓછા પ્રમાણે સ્વચલિત કાપડ ઉદ્યોગ તો ચાલુ જ હતો પરંતુ જેવો મિલ અને કારખાનાઓનો જમાનો આવ્યો ત્યારે અમદાવાદ શહેર ફક્ત ભારતનું જ નહીં પણ વૈશ્વિક કક્ષાએ કોટન(ખાદી) કાપડનું મેન્યુફેક્ચરિંગ(ઉત્પાદન) કેન્દ્ર બન્યું હતું!

રણછોડલાલ છોટાલાલ દ્વારા ઇ.સ.૧૮૬૧નાં આસપાસ અમદાવાદને મળી તેની પહેલી કાપડની મિલ. પછી જોતજોતામાં ઈ.સ.૧૯૦૫ સુધીમાં તો અમદાવાદમાં “૩૩” જેટલી જાયન્ટ મિલો અને મબલખ મેકેનીકલ વર્કશોપોના સહારે સંપૂર્ણ સ્વદેશી પ્રોડક્ટ બની રહી હતી. (સંપૂર્ણ સ્વદેશી પ્રોડક્ટ એટલે, વિચારથી માંડી તેના ઉત્પાદન સુધીની તમામ જરૂરિયાતો દેશમાંથી જ પૂરી થતી હોય) હા, જોકે કાપડના ઉદ્યોગને-અર્જુનને નારાયણ જેવો ગાંધીજીરૂપે પ્રથમ વિશ્વયુદ્ધનાં ગાળામાં સ્વદેશી અભિયાનનો લાભ મળ્યો, જેમાં લોકો એ વિદેશી વસ્તુનો બહિષ્કાર કર્યો હતો અને પોતાની જ જમીનમાં કપાસ જેવા પાકને લણી, ખાદી કાપડ તૈયાર કરવું અને પહેરવું જેવા નિયમો લીધા. અમદાવાદમાં કાપડનું પ્રોડક્શન એ હદે વધી ગયું હતું કે તેને વિશ્વમાં પૂર્વ ભાગનું માન્ચેસ્ટર તરીકે પણ ઓળખવા લાગ્યું હતું. 

મને ક્યારેક વિચાર આવ્યા કરે કે, એ વખતની “રાજકીય વ્યવસ્થા” જાણે કેવી હશે કે, અમદાવાદ તો ઠીક પણ ભારત પાસે એક એવી કોર્પોરેટ વ્યવસ્થા હતી જ્યાંથી ઉત્પાદન થતાં કાપડનો વ્યાપાર ફક્ત ભારતમાં જ નહીં સમગ્ર વિશ્વમાં થતો! ચાલો માની લઈએ કે, એ સમયમાં દેશને અંગ્રેજોની ગુલામીમાંથી સ્વતંત્ર કરવા માટે લોકો દ્વારા એ કરાવવું જરૂરી હતું! તો શું દેશ સ્વતંત્ર થયા બાદ કોઈ લક્ષ્ય જ નથી(?) કે જેના દ્વારા લોકોમા ફરી ક્રાંતિ આવી શકે અથવા દેશ વૈશ્વિક કક્ષાએ નવી સિધ્ધિઓ સર કરે?

તે સમયે કોટન જ નહિ પરંતુ એવીતો કેટલીયે પ્રોડક્ટ્સ ભારતથી એક્સપોર્ટ(નિકાસ) થતી હતી અને ભારતમાં પણ એટલાં જ પાયે ઉપયોગ થતો હતો. ગળી, મરી-મસાલા, લોખંડને કાટ રહિત કરવાની પ્રોસેસ, તાજા-ફળો, ડ્રાય-ફ્રુટ, ચામડા, લાકડા, ઔષધી, કાગળ, આમલી, ગોળ, કેસર, ઘઉં, ચોખા વગેરે વગેરે.

બીજુ એ કે, આ બધા પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરવાં માટે અત્યંત આવશ્યક એવી માહિતી-સંશોધન, રો-મટીરિયલ્સ (કાચો માલ), વિશેષજ્ઞો, કારીગરો, જન-મજુર અને દેશી પદ્ધતિવાળા યંત્રોની વ્યવસ્થા પણ ભારત પોતે જ કરતું હતું! જી હા! ઉત્પાદન હેતુ લાગતા-વળગતા સંશાધનોની વ્યવસ્થા પણ જયારે દેશ પોતે જ પોતાના ઉપખંડમાંથી કરે ત્યારે દેશ ખરા અર્થે સ્વતંત્ર, સમૃદ્ધ અને શક્તિશાળી બને છે.

આ મુદ્દાને વિસ્તૃતપણે સમજવા અમેરિકાનો દાખલો લઇ શકીએ. શરૂઆતમાં અમેરિકાએ તેની સંપૂર્ણપણે તેની શક્તિ ખેતી ઉત્પાદન પર ખર્ચી હતી. આગળ જેમ જેમ દેશમાં વિદેશી વસાહતો વધતી ગઈ એમ ખપત વધતા અમેરિકન સરકારે ઓછી કાર્યક્ષમતા સામે વધારે ઉત્પાદન લઇ શકાય એવાં યંત્રોની શોધ ચાલુ કરી. અને આગળ તો તમને ખબર જ છે શું થયું અને શું નહીં. નાની મોટી એવી ઘણી પ્રોડક્ટ ભારતમાં હશે જ પણ એવી એકપણ પ્રોડક્ટનું ઉત્પાદન ભારત હવે નથી કરી રહ્યું જેના પર ભારતની અર્થવ્યવસ્થા ચાલતી હોય! ભારતને આંતરરાષ્ટ્રીય કક્ષાનો પ્રોડક્ટ બનાવવો જ રહ્યો જેને તે એક્સપોર્ટ કરી સારું એવું માળખું અહિયાં ઉભું કરી શકે.

આજે જાપાન, કોરિયા, જર્મની, ફ્રાંસ અને તમામ વિકસિત દેશો પોતાની જ ટેકનોલોજી અને પોતાના જ સંશાધનોનું ઉત્પાદન કરી વર્લ્ડ ક્લાસ પ્રોડક્ટ્સ માર્કેટમાં આપે છે. ભારતની જેમ ફક્ત ઉત્પાદન કરી અથવા એસેમ્બલ કરીને દેશ ઉંચો ન આવે. લોકોનું શિક્ષણ અને સમજણ એ લેવલ પર લાવવું પડશે જેથી તેઓની ખરીદ શક્તિમાં વધારો થાય, જેથી તેઓ નીતનવીન પ્રોડક્ટ્સ અને સર્વિસીસને આવકાર્ય આપી શકે જેથી તેમની જીવનશૈલીમાં સુધારો આવે. 

હાલમાં ભારતમાં કોઈપણ પ્રોડક્ટ્સનાં ઉત્પાદન માટે આંતરરાષ્ટ્રિય પેટન્ટની જરૂર પડે છે. ઉત્પાદનનું કાર્ય શરુ કરાવવા માટે પણ વિકસિત દેશોને વિશેષજ્ઞોની જરૂરિયાત ઉભી જ રહે છે! તો ઉત્પાદનમાં ભારતની ભાગીદારી શું? ફક્ત મજુરી? શું ભારતના શિક્ષણમાં કે સંશાધનોમાં એ ક્ષમતા જ નથી કે તે પોતાની પેટન્ટ ઉપર કાર્ય કરે અને એક એવો પ્રોડક્ટ ઉભો કરે જે સંપૂર્ણ ભારતીય હોય?

ડો. સી.વી.રામન, ગણિતજ્ઞ રામાનુજન, જગદીશ ચંદ્ર બોઝ, હોમી ભાભા, ચંદ્રશેખર, વિક્રમ સારાભાઇ અને બીજા અનેક ધુરંધરોએ પોતાનું પ્રાથમિક શિક્ષણ ભલે ભારતમાં પૂર્ણ કર્યું હોય પણ પોતાની થીયરી અને પેટન્ટસ માટે એમને યુરોપ અથવા અમેરીકન યુનીવર્સીટીઝનો જ દ્વાર ખખડાવવો પડ્યો હતો. શું ભારત પાસે એ સુવિધા ન હતી? શું ભારત પાસે ખરેખર એ ક્ષમતા નથી કે એ પોતાની સંપૂર્ણ સ્વચલિત સીસ્ટમ ઉભી કરી શકે જેમાંથી દુનિયાના નહીં પણ બ્રહ્માંડનાં દિગ્ગજ તૈયાર થઇ શકે? અહીં વાત સાથે કામ કરવાની નથી અહીં વાત છે સંપૂર્ણપણે “પરાવલંબી” રહેવાની સડી ગયેલી આદત બાબતે. એમ તો અમેરિકનો પણ ઇઝરાયલ, કોરિયન, જાપાનીઝ, ચાઇનીઝ અને યુરોપીયન દિગ્ગજો વગર કૈંજ નથી પણ છતાં તેઓ સંપૂર્ણ પરાવલંબી નથી હોતા. તેઓ સાથે મળીને કાર્ય કરે છે. તો ભારતનો વૈજ્ઞાનિક કેમ નહીં? ભારતીય વિશેષજ્ઞો પોતાનું બેસ્ટ આપે ત્યાં પહેલા તો એમને અમેરિકા અથવા બીજા દેશની સીટીઝનશીપ(નાગરિકત્વ) મળી ચુકી હોય છે.   

ભારતનો દરેક વ્યક્તિ જેટલો ઉત્સાહી; રાજકારણ, સમાજ અને અધ્યાત્મિક ગુણો ને લઈને હોય છે એટલો એ વિજ્ઞાન અને બીજા પ્રગતિદાયક મુદ્દાઓ પ્રત્યે ઓછા જ હોય છે. ગમે તેમ કરી એ માનસિકતામાં ધરખમ ફેરબદલની જરૂર છે.

હાલ તો ભારતમાં શિક્ષણ સંસ્થાઓ ફક્ત ડીગ્લી (ડીગ્રી)  ધારી મજુરો તૈયાર કરે છે પણ વિશેષજ્ઞ નહીં. ભારતમાંથી ઉતીર્ણ થયેલ દરકે વિદ્યાર્થી ફ્રેશર જ હોય છે. જયારે અમેરિકન અને યુરોપીયન યુનિવર્સીટીઝ માંથી ઉતીર્ણ થતા વિદ્યાર્થીઓ એક અનુભવ સાથે બહાર આવે છે. કોઈપણ મલ્ટી લેવલ કોર્પોરેટ કંપની તેમને સ્વીકારવા હંમેશા તત્પર જ રહે છે.

જે પ્રયત્ન કરતા હશે એમને એ ખ્યાલ જ હશે કે, જે ભારતીય વિદ્યાર્થીઓને વિદેશી યુનિવર્સીટીમાં અભ્યાસ કરવો છે એમને અનુસ્નાતકના ભણતર માટે પણ હવે જેતે ક્ષેત્રોનો મીનીમમ ૨ વર્ષનો અનુભવ માંગતા થઇ ચુક્યા છે(!)

ભારતની સૌથી મોટી ખામી એ છે કે, અત્યારે દરેક વ્યક્તિ જે વ્યવસાય કરવા ઈચ્છે છે તે સ્ટોક કરી વેચાણ કરવાનો જ પ્રયત્ન કરશે અથવા ચાઈના અથવા બીજી ઉત્પાદક દેશોમાંથી તૈયાર પાર્ટ્સ મંગાવીને એસેમ્બલીંગ હાઉસ તૈયાર કરશે જેને તેઓ ઉત્પાદન ખાતું એવું નામ આપી રહ્યા છે(!) શું ખરેખર તેને ઉત્પાદન કહીં શકાય?

વિચાર, પ્રોડક્ટ-ડીઝાઇન, કાચો-માલ, કાચા-માલનું ઉત્પાદન, વ્યક્તિ સંશાધન, આઈડિયા મોડલ, કાર્યરત પ્રોટોટાઈપ (મીની કાર્યરત પ્લાન્ટ), પેટન્ટ, વગેરે વગેરે પ્રોસેસો પ્રોડક્ટનાં ડેવલોપમેન્ટમાં સામેલ થાય ત્યારે એક સ્વદેશી કહી શકાય એ કક્ષાનો પ્રોડક્ટ તૈયાર થાય છે. અને આ બધી જ પ્રોસેસમાં સરકારે સાથ આપવાનો હોય છે.

કેન્દ્રીયમંત્રી પીયુષ ગોયલનાં હેઠળ સૌરઊર્જાનો ઉપયોગ કરવા કેન્દ્ર સરકાર ઘણુંખરું મથી રહી છે. દેશને મોટાપાયે કાર્બન-લેસ (પ્રદુષણ રહિત) ઉર્જા મળવાના લક્ષ્ય સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે અને આ પ્રયાસની નોંધ હાલમાં તમામ વિશ્વ લઇ રહ્યું છે, જે દેશ માટે ગૌરવવંતી વાત કહીં શકાય. પણ, સૌરઊર્જાના ફેલાવ માટે ઉપયોગી એવી સોલાર પેનલ(સૂર્ય ઉર્જાને ઈલેક્ટ્રીકલ ઉર્જામાં ફેરવનાર યંત્ર) અને અન્ય સોલાર પ્રોડક્ટ્સ ભારત હાલ અમેરિકાથી ઈમ્પોર્ટ કરે છે!

સરકારને મારો પ્રશ્ન છે કે, શું ભારત સોલાર પેનલનું પ્રોડક્શન અહીં ન કરાવી શકે? અત્યારે સોલાર પેનલને લાગતીવળગતી દરેક પેટન્ટસ હવે ઓપન છે. એટલે કે, કોઈપણ દેશને ઉત્પાદન હેતુ મૂળભૂત તકનીકનો ઉપયોગ યોગ્ય લાઇસન્સ હેઠળ કરી શકે છે. તો ઉત્પાદન કરવા માટે સરકારને શું નડી રહ્યું છે? શું સરકાર પોતે કોઈ પ્રોડક્શનની મથામણમાં ન પડી શકે? શું જરૂરી છે કોઈ પ્રાઇવેટ કોર્પોરેટ સંસ્થા જ પ્રથમ પગલું ભરે? શું સરકાર પ્રોડક્ટનાં ઉત્પાદન હેતુ કોઈ રિસ્ક લેવા સક્ષમ જ નથી? શું સરકાર પાસે જરૂરી એવાં વિશેષજ્ઞો નથી? તો પછી અહીં થી એક્સપોર્ટ થતા બ્રેઈનપાવર કોણ છે?

આજે જો ભારત એ જ સોલાર પ્રોડક્ટનું ઉત્પાદન અહી દેશમાં જ કરવા લાગે તો કેટલો બધો વિકાસ થઇ શકે છે. યુવાન ફ્રેશર્સને રોજી મળી રહેશે અને દેશમાં દરેક વર્ષે ઘેટા-બકરાની જેમ નીકળતા એન્જીનીયરોનો અને અન્ય વિશેષજ્ઞોનો ઉપયોગ કરી શકે છે. અંતે તેઓ માટે પણ ભણતર બાદ તુરંત જ કમાણીના દ્વાર ખુલવા માંડે અને ફ્રેશર્સને પ્રેસર તો આપવું જ પડે. ફ્રેશર્સને અભ્યાસ દરમ્યાન જ હેવી ટાર્ગેટ આપવા પડશે. તો જ એમની દાનત અને એમના નસીબમાં સુધારો આવશે. આ મુજબની સરકારની દ્રષ્ટી હોવી ખુબ જરૂરી છે.

હું સ્વીકારું છું કે, ગ્રાઉન્ડ લેવલ પર આ વાત કરવી જ સરળ હોઈ શકે કાર્ય નહીં! પણ જો ખરેખર અઘરું અને અશક્ય જ હોત તો અમેરિકા અને અન્ય પ્રગતિ પામી ચૂકેલ રાષ્ટ્રો, શું કામ એ કરી શકે છે અને આપણે કેમ નહીં?

લોકો કહેશે રાજનીતિ! અરે, શું રાજનીતિ.....એ રાજનેતા ઓ મારી-તમારી માંગણીઓને નિશાન બનાવીને વોટબેંક ઉભી કરે છે. આજે દેશનાં જ દરેક વ્યક્તિની પ્રાથમિકતા જ જો તેનો ધર્મ હોય તો રાજકારણીઓ બીજો મુદ્દો લાવે જ શુંકામ? એ આપણા સૌને એ જ મુદ્દે ઘસેટીને ફરી એજ કાદવમાં લાવ્યા કરશે.

અનામત, બળાત્કાર, અને બીજા અનેક દુષણો નાથવા માટે ભારતીય યુવાનો અનેક અભિયાનમાં જોડાયાં છે, તેની સામે ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિ અને ફ્રેશર્સને રોજગાર જેવા મુદ્દાઓ માટેના અભિયાનો ઉભા થયા હોય એવાં દાખલાઓ લગભગ નહીંવત છે. જેવી રોજગારની વાતો નીકળે ત્યાં ફરી પાછી અનામતની વાત આવી બેસે છે. પણ એ રીતે તો ગાડું નહીં જ ચાલે!

દેશ જો ભવિષ્યમાં આગળ હશે તો એ યુવાનો ને લીધે જ, જેઓ ભવિષ્યની એ ઝુંબેશો અને અભિયાનોનાં ભાગ હશે જે રોજગાર અને શિક્ષણ માટેના હશે.

ભૂતકાળમાં કદાચ પ્રાચીન ભારતનાં સમૃદ્ધ હોવાનાં કારણો પણ ઉપર જણાવેલ વ્યવસ્થા પર જ નભતી હશે. તો જ કોઈ રાષ્ટ્ર સમૃદ્ધ નીવડે. શું એ વ્યવસ્થા ભારતમાં ફરી પાછી ઉભી થઇ શકે છે?

એવું તો એ સમયમાં શું હતું જે અત્યારે નથી?  ચક-દે-ઇન્ડિયા. ફરી જરૂર છે એક થવાની અને દેશ માટે કઇંક કરવાની.

- કમલ ભરખડા

શાસ્ત્રીય સંગીત, શાળાઓ અને ભારત

કેટલી ભારતીય શાળાઓમાં શાસ્ત્રીય સંગીત શીખવાડવામાં આવે છે?

અને કેટલા ભારતીયો, શાસ્ત્રીય સંગીત વિશે જાણે છે અને તેનો આનંદ લે છે?

જેમ ગણિત વિજ્ઞાન માં રસ હોય કે ન હોય પણ જો શીખ્યાં હોઈએ તો એ વિષયો જીવનભર સાથ આપે છે કોઈપણ ક્ષેત્રે!

એ મુજબ ભારતીય સંગીત એ ભારતીયની માનસિકતાને અનુરૂપ છે. એ જ સંગીત આપણને ફળદ્રુપ રાખવામાં મદદરૂપ નીવડી શકે છે. આપણી માનસિક શક્તિઓ ને વિકસવામાં મદદરૂપ થઇ શકે છે.

કમલ

સાતત્યની ગેરહાજરી, હાલની ગુજરાતી ફિલ્મોમાં!

હાલની ગુજરાતી ફિલ્મો સાતત્ય વગરની હોય છે. ક્યારે રિધમ મૂકી દે, એ ડાયરેક્ટરને પણ કદાચ ખ્યાલ નથી રહેતો. લગભગ પ્રયત્ન અને બનાવટી વધારે લાગે છે.

મને લાગે છે... પ્રોપર ચોખ્ખી ગુજરાતી ભાષાનો ઉપયોગ જ બનાવટીપણું વધુ ઉભું કરે છે.

કોઈપણ વિષય તેની તળપદી સંસ્કૃતિ સિવાય નક્કામો છે. એ જ ભારે પડી રહી છે હાલ ગુજરાતી મૂવીઝ ને.

જુના ગુજરાતી ફિલ્મોમાં સૌરાષ્ટ્રની તળપદી ભાષા હતી.. એટલે જ ચાલી.

Objection Allowd!

કમલ

નોળિયો, સાંપ, ઘર્ષણ અને આયોજન

નોળિયો અને સાંપ
એ બંને ખરા દુશ્મન છે એક બીજાના.
પણ ક્યારે?
જ્યારે એક બીજાની સામે આવે ત્યારે? જ્યારે તેઓ સામ સામે નથી હોતા ત્યારે તે બંને પ્રજાતિ પોતપોતાનામાં જીવનમાં મસ્ત હોય છે.
નોળિયો અને સાંપ કદાચ એકબીજાની સામે આવી જાય એ "બિનઆયોજિત" પણ હોઈ શકે.

એમ જ...આપણાં દેશમાં પણ અલગ અલગ પ્રકારની માનસિકતાઓ પોતપોતાનામાં જીવનમાં મસ્ત જ હોય છે અને આનંદ લેતાં જીવન પસાર જ કરતાં હોય છે. પણ......
એ બધાં નોળિયા અને સાંપની જેમ જ્યારે ભટકાય છે ત્યારે એ "આયોજીત" હોય શકે છે.

એટલે આપણે જનતા એ જ સમજવું જોઈએ કે આપણી તકલીફ સાચી પણ કોઈની યોજનામાં પ્યાદા બનીને ઉપયોગમાં ન આવવું.

કોઈ ગમે એટલું ભરમાવે પણ આપણી ગતિ અને ધ્યાન, આપણી આર્થિક સ્થતી પર જ ટકી રહેવી જોઈએ.

આખરે કોઈપણ દેશ તેની આર્થિક સ્થતીથી જ મજબૂત હોય છે. હે તેની જનતાના હાથમાં હોય છે.

જય હિન્દ.

કમલ

દોઢડાહ્યો

દોઢડાહ્યા કોને કે'વાય એ જોઈએ.

આજે હું જૂનાગઢથી બાંટવા ગામ માટે બસસ્ટેન્ડથી બસમાં બેસ્યો. ત્યાં મારી બાજુમાં એક બકો આવી ને બેઠો! 😶

એ બકા ને પણ બાંટવા જ જવું હતું. અમારી બસ માણાવદર પહોંચ્યા પહેલા, પાછળનાં કોઈ એક ટાયરમાં પંક્ચર થયું એટલે એ બકો બોલ્યો..

*બકો:* હે ભગવાન, આ પંક્ચર થયું સે ને... કોણ જાણે ક્યારેય પહોંચાડશે! નક્કી આ માણાવદર ઉભી રાખીને આખું પંક્ચર કરશે અને આપણાં ટાઇમની પથારી...

*હું:*અરે એવું છે. કેટલી વાર લાગશે?

*બકો:* કલાલ તો પાક્કી!

*હું:*અરે યાર મારે ય મોડું થાય છે.

*બકો:* આ પંક્ચર અત્યારે નો કરે તો હારું! બસમાં પાછળ બે ટાયર હોય સે...એકમાં પંક્ચર થાય એટલે બીજા ઉપર હાલે... એમ ગાડીને ઉભી નો રાખી દેવાય પંક્ચર હાટુ... ડ્રાઇવર નબળો પડે..

*હું:* અરે પણ એમ જોખમતો ખરું જ ને?

*બકો:* કાંઈ નય...એ આખું ગામ એક ટાયર ઉપર હલાવતું અમને તો કાંઈ નથી થયું હજી...

માણાવદર બસસ્ટેન્ડ આવ્યું એટલે બસનાં કન્ડક્ટર એ જાહેરાત કરી કે, *"જેને મોડું થાતું હોય એ નો ચડતાં.. પાછળ પોરબંદર વાળી આવે છે એમાં બેહી જાજો.. બાંટવા માં ગાડીનું પંક્ચર થાહે એટલે ટાઈમ લાગશે."*

*એટલે બકો તરત જ બોલ્યો:* હા બરોબર જ છે. એમ પંક્ચર વાળી ગાડી થોડી ચલાવતી હયશે.... ભલે થાય મોડું પણ જીવના જોખમે નઈ. તમતારે બાંટવા ઉભી રાખીને પંક્ચર કરીને જ ઉપાડજો.

આને કહેવાય દોઢડાહ્યા 😉😉

પુર્ણવિરામ

😂😂😂😂

- કમલ ભરખડા

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો