આવું જ થતું હોય છે બાળકો સાથે. બાળક મોટું થાય અને પછી તેની રીત-ભાત, આવડત, સંસ્કાર ઉપર ટીપ્પણીઓ કરીએ તેના કરતા તેમની અંદર બાળપણ થી જ સદગુણોનું મોણ ભેળવવું જરૂરી છે.
પણ મોણ ભેળવવું જ પડે એ જરૂરિયાત નથી. એટલે જ મેં રોટલી નું ઉદાહરણ લીધું. એ નભે છે ઘઉં ક્યાંના છે એના પર. ઘણી વખત બાળક સાંભળી અને જોઇને શીખતા હોય છે એટલે ઘઉં (પરિવાર જનો) પોતાનું માનસિક અને વ્યવહારિક સ્વાસ્થ્ય જાળવી રાખે એ પણ ખુબ જ જરૂરી છે.
સંસ્કાર જો કોઈ દિશમાં આપવા જ પડે તો જ! અને આપવાનું મુલ્ય અને ગુણવત્તા પણ ખુબ જરૂરી થઇ રહે છે.
મૂળ મુદ્દે સમજી ગયા હશો.
પૂર્ણ વિરામ
#કમલમ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો