ભારતીય નાણાનું અવમુલ્યન?

હેમંતકુમાર શાહ નામે સત્જને ભારતીય નાણાનો વૈશ્વિક અવમુલ્યન બાબતે એક સચોટ લેખ પ્રદર્શિત કર્યો. (લીંક નીચે પોસ્ટ કરેલ છે ) જેમાં એમણે કારણો બતાવ્યા કે અવમુલ્યન શેના લીધે થાય છે અને તેને સુધારવાનાં રસ્તા ક્યાં. આગળ એમણે બે રસ્તાઓ બતાવ્યા એક તો ટૂંકા ગાળાના અને લાંબા ગાળાનાં. જો રૂપિયાનું અવમુલ્યન થતાં અટકાવવું હોય તો નિકાસ વધારવી પડે અને આયાત ઘટાડવી પડે એ સિમ્પલ નિયમ છે. પણ ભારત એક એવો દેશ છે ય ખોટી આશાઓ અને નિરાધાર અપેક્ષાઓને આયાતમાં ક્યારેય ઘટાડો લાવવા નથી દેતાં.

ત્યાર બાદ એમણે એક ખુબ જ પ્રભાવશાળી શબ્દ વાપર્યો... કે "વેપાર અથવા વિકાસ". જી હા, વેપાર કદાચ જો જનલક્ષી ન હોય તો એ મુડીવાદી વિચારધારા થઇ જાય છે. હાલ એવું જ છે. આ બાબતો પર મેં થુડું મારું એનાલીસીસ આપ્યું છે જે નીચે મુજબ છે.

હું અત્યારે એક અમેરિકન ટીવી શો Suits જોઈ રહ્યો છું. પણ મારો મારી જાતને જ એક પ્રશ્ન! હું શું કામ જોઈ રહ્યો છું? મારે એ શો જોવા માટે યાતો netflix અથવા એમેજોન પ્રાઈમ પર સબસ્ક્રાઈબ થવું પડશે. અને જો એ નહીં કરું તો ટોરેન્ટ પરથી ડાઉનલોડ કરીને જોઈશ. પણ જોઇશ. શું કામ કારણકે જ ભણતર એ મને એવી શિખામણો આપી છે કે અમેરિકા આમ યુરોપ આમ ઢીકનું આમ અને ફલાણું તેમ.

એક આદિવાસી વ્યક્તિ જયારે જંગલ છોડી ને શહેર કે નજીકની કોઈ નાના નગરમાં આવે તો એ તેને આકર્ષિત કરશે. પણ એ તેની વાસ્તવિકતા નથી. તેની વાસ્તવિકતા છે કે, એણે જે જગ્યા એ જન્મ લીધો છે શું ત્યાં એ વ્યવસ્થા મળી શકે એવી કોઈ શક્યતાઓ છે? જો નહીં તો સાત સારું કેમ ન હોય પણ એ વ્યર્થ છે.

શાહ સાહેબે અહિયાં એક વાત ખરી કીધી કે, વેપાર અથવા વિકાસ. એકદમ પરફેક્ટ. શિક્ષણ જ જયારે વેપાર થઇ ગયું છે ત્યારે બાળકો અને એમના પાલકોને લોભાવવા માર્કેટિંગ વિભાગ ઉભો થશે જ. અને એ આંબા જ બતાવશે. અને આંબા ભારતનાં તો નહીં જ હોય એટલે હાલનું શિક્ષણ એક જ્ઞાનસાગર કે જે આપણી ધરા ને પોષતું હતું એ હવે પશ્ચિમની ધરાને પોષતું બની ગયું છે. એટલે વ્યવહારિક છે કે આપણી ધર પાણી વગર સુકાવવાની છે.

ગાંધીજી એ કહ્યું હતું કે તેઓ જયારે ભારત છોડીને આફ્રિકા જઈ રહ્યા હતા ત્યારે લોકો એ તેમનો વિરોધ કર્યો હતો. ત્યારે લોકોની દ્રષ્ટિ એ હતી કે, બાહ્ય સંસ્કૃતિ સાથે જોડાઈને તમામનો સંઘર્ષ ઓછો થતો હોય તો સારું પણ અહિયાં તો માણસ વધારે સંકુચિત થતો જાય છે. બસ પોતાનું અને પોતાના બે.

એટલે શિક્ષણની જે પદ્ધતિ છે એ જ ખરી ભુલામણી છે. એ જ દ્રષ્ટિભરમ ઉભો કરી રહી છે. એટલે જ વેપારનો વિકાસ થઇ રહ્યો છે અને વેપાર સારી રીતે નવી પેઢી દ્વારા પ્રોડક્ટ તૈયાર કરી રહ્યી છે જે ડોલરમાં જ વેચાઈ જવાની છે.

- કમલ

http://opinionmagazine.co.uk/details/3929/bharatno-rupiyo-vaishvik-bajaarno-veth-majoor--

ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

સામ, દામ, દંડ અને ભેદ

પાક સોબાના

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ