દુનિયાનો કોઈપણ વ્યક્તિ ગ્રેવી સાથે ભળેલી વસ્તુને આરામથી ગ્રહણ કરી શકે છે. કારણકે, ગ્રેવી સાથે ભળનાર વસ્તુ મોસ્ટલી એવી હોય છે જે પચવામાં ભારે હોય.
અને ગ્રેવીનાં મસાલા અને તેમાં રહેલા એસીડ દ્રવ્યો દ્વારા પનીર, અન્ય શાકભાજી અથવા નોનવેજનાં ટુકડાઓને પચાવવા માટે અનુકુળ માહોલ ઉભો કરે છે.
ઉપરાંત ગ્રેવી એક પ્રકારે ઓઈલીંગ જેવું કાર્ય પણ કરે છે. જેથી અંતરિયાળ લાળગ્રંથીનો ઘસારો ઓછો થઇ રહે.
ઉપરોક્ત કારણોસર જ ગ્રેવી સાથેનું વ્યંજન ક્યારેય ભારે નથી પડતું. એટલે જ એ ચાલે છે.
ખોરાક પાછળના વિજ્ઞાનને સમજવું ખુબ જરૂરી છે. એ ફક્ત સ્વાદગ્રંથીને વ્હાલ કરવા પુરતું જ નથી.
- કમલ ભરખડા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો