સાચું શું? પ્રાચીન કે મોર્ડન સમય?

આજે એક સાહેબ સાથે ચર્ચા થઈ હતી. તેઓને પ્રાચિન ભારતનાં અથવા સનાતન ધર્મ પર અત્યારના લોકોના અવિશ્વાસને લઇને થોડાં માયુસ મેહસૂસ કરી રહ્યા હતા એવું લાગ્યું. આગળ એમણે કહ્યું કે, જ્યાં સુધી કોઈ વસ્તું હમ્બગ પુરવાર ન થાય ત્યાંર સુધી હું એ વિચારોને છોડી શકું એ પરિસ્થતિમાં નથી.


મારું એમને કહેવું હતું કે,


કોઈ પણ વિચારો હમ્બગ પુરવાર થાય પછી જ તેનું મૂલ્યાંકન ઓછું કરવું એજ નિયમ નથી. ઘણી વખત એમ પણ બને... સમય અનુસાર આંતરરાષ્ટ્રીય કક્ષાએ દેશને જે આધુનિક સમાજવ્યવસ્થાની જરૂરિયાત ઊભી થાય તેનાં માટે જે પ્રાચીન સમયની પ્રથા, નીતિ નિયમો ભલે ઉપયોગી અને અસરકારક રહ્યાં હોય છતાં તેનું સમયની માંગણી પ્રમાણે તેં તમામ પરિબળોનું બિનજરૂરીપણું પણ સાબીત થઈ શકે છે કે હવે એ નીતિ નિયમોની દેશને અને આધુનિક સમાજને જરૂરી નથી.


એક એકદમ સરળ દાખલો આપુ.


પ્રાચિન ભારતની પરંપરાને થાળી સમજો જેમાં રોટલી, શાક, રાયતું અને કચુંબર પીરસવામાં આવ્યુ છે. પરંતુ સમય મુજબ તમે નાસ્તો કરવા બહાર જશો તો એ થાળી તો નહીં જ જમો.


પણ, જો એજ રોટલીમાં પહેલાં થોડું રાયતું લગાડી ઉપર થોડું કચુંબર અને છેલ્લે શાક રાખીને રોટલીનો રોલ વાળીને પીરસ્સો તો આ જ લોકો કે જે એ થાળી જમવા તૈયાર નથી પણ તેઓ આ રોલને " ફ્રેંકી " જેવાં ઉપનામ સાથે હોંશે હોંશે ખાશે...અને ઉપરથી 20 રૂપિયા પણ વધારે આપશે. અંતે તમે જમ્યા તો એજ થાળીને? બરાબર કે નહીં? એવી જ રીતે થાળીના કન્ટેન્ટની જેમ સત્ય નથી બદલાતું પણ તેને સમય અનુસાર લેવાની રીત બદલાય ખરી.


એનો મતલબ એ પણ નથી કે, થાળી આરોગનાર રૂઢીવાદી થયા અને ફ્રેંકી આરોગનાર મોડર્ન થયા. મુળ મુદ્દે બધાય સાચા. બસ ફર્ક એટલો કે કોણ કઈ રીતે પોતાના સત્યને લે છે.


લોકો એ સમય અનુસાર થાળીને બાજુમાં મુકીને ફ્રેંકી સીસ્ટમને અપનાવવી જ રહી. શુકામ થાળીનો બગાડ કરવો.!!! બસ ધ્યેય એજ રહેવો જોઈએ કે સમાનતમ ભાવના વળી સમાજરચનાને લોકોના માનસપટ પર ઉતારી શકીએ.


કમલ ભરખડા

ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

સામ, દામ, દંડ અને ભેદ

પાક સોબાના

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ