ઇશ્વર

ઈશ્વરને હંમેશા થર્ડ પાર્ટી માનવું જરૂરી નથી. ઈશ્વરીય તત્વ કોઈ  બાહ્ય કે આંતરિક ફોર્સ તો બિલકુલ નથી. એક પ્રકારનાં સ્ટેટ ઓફ માઈન્ડને ઈશ્વરીય અનુભૂતિ કહી શકાય છે.

દરેક વ્યક્તિ ને ખ્યાલ છે neurones એટલે કે ચેતના કોષો જેવું આપણા શરીરમાં કઇંક કાર્યરત છે. આપણી તમામ કાર્ય કુશાળતાઓ એ ચેતના કોષોને આભારી છે. જ્યાં સુધી વૈજ્ઞાનિકો એ એને જોઈ શકે એવી પ્રણાલી ન વિકસાવી ત્યાં સુધી એમને પણ વિશ્વાસ ન હતો.

એવી જ રીતે ક્રિએટીવીટી એટલે રચનાત્મકતા એ વ્યક્તિ દ્વારા લેવાયેલ સૂક્ષ્મ સંકલ્પ છે જે તેના ચેતના કોષો કે મગજના એ ભાગને એ રીતે એક્ટિવેટ કરે છે કે જેનાથી મગજ નો એ ક્રિએટિવ ભાગ કે જેને આપણે ઈશ્વરીય તત્વ જણાવ્યું છે એ કામે લાગી જાય છે.

દરેક ને ખ્યાલ છે કે રચનાત્મક થવા માટે માહોલની જરૂરિયાત પડે છે. પરંતુ એ એટલા માટે કે દરેક વખતે મગજનાં એ ભાગને એક્ટિવેટ કરવા માટે એ મહોલનાં કીક ની જરૂર પડે છે. હવે અમુક લોકો કુદરતી રીતે હર હંમેશ એજ સ્ટેટ ઓફ માઈન્ડમાં જીવતા હોય છે. પછી આગળ જતા એ લૌકિક માહોલ એમના માટે જરૂરી નથી રહેતો.

એટલે જ એ સ્ટેટ ઓફ માઈન્ડ એટલું બધું વિશાળ અને રસથી ભરપૂર છે કે તેના અનુભવીને એ એક પ્રકારનો અનેરો પ્રગાઢ આનંદ અપાવી જાય છે જે આ લૌકિક જીવનનાં સાધનો નથી અપાવી શકતાં. એટલે જ વ્યક્તિ તેને એક ઈશ્વરીય અનુભૂતિ તરીકે ઓળખાવે છે.

એટલે જ તો એ આનંદનો રસ માણતા જ રહે એટલે એક વ્યક્તિ સાધુ કે સંત બનવાની તરફ પ્રયાણ કરે છે અને એ રસનાં સતત પાનને લીધે તેના બાહ્ય વ્યક્તિત્વમાં એટલો ફેર નજર પડે છે કે જે તેમને બીજા સામાન્ય વ્યક્તિવાદથી અલગ તારે છે.

ઈશ્વર એ એક સુગંધ છે. જેમ દરેક વખતે સારી સુગંધથી આપણે ફૂલને ઓળખી લઈએ છીએ એ જ રીતે લોકો એ અલગ પ્રકારની અનુભૂતિને એક સુગંધ રૂપી ગણી ભગવાન કે ઈશ્વર જેવું સંબોધન આપી બેસે છે.

ૐ તત્ત સત

- કમલ

ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

પાક સોબાના

સામ, દામ, દંડ અને ભેદ

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ