બંગાળની ખાડીમાં એન્ટી-સાયક્લોન અને ભારતનાં સંચાલકોમાં પ્રાથમિક સમસ્યાઓ માટેનું એન્ટી-વલણ

મથાળાની બંને બાબતોમાં ઘણી સામ્યતા છે. જેમ દેશમાં ગરમીનો પારો ચડતાજ નિષ્ણાંતો પાસે કારણો ગોતાવવાની ફરજ પાડી એવી જ રીતે ભારત દેશનાં આઝાદ થયા પછી વધી રહેલી ગરીબી, ભ્રષ્ટાચાર અને બીજી અનેક પાયાની સમસ્યાઓનું નિરાકરણતો ઠીક પણ જો પ્રામાણિકતાથી કારણો ગોતાવવાની ફરજ પાડવામાં આવી હોત તો એ બધી સમસ્યાઓનાં સમાધાનની બુલેટ ટ્રેન ક્યારનીયે દોડતી થઇ ગઈ હોત.
જ્યાં સુધી કુદરતનો માર નથી પડતો ને ત્યાં સુધી કોઈ જ સરવળતું નથી. શું ભારતની બધીજ સમસ્યાઓ કુદરતી છે ? ના સેજ પણ નહી. જો સમસ્યાઓ કુદરતી હોત તો સેજ પણ સમય લીધા વગર બધી જ સરકારો એ પોતાના કમરતોડ પ્રયાસો હાથ ધર્યા હોત. આ પ્રમાણે સાબિત થાય છે કે, કોકના હાથે કર્યાનાં દેશ ભોગવે.
બંગાળની ખાડીમાં એન્ટી-સાયક્લોન એ કુદરતી સમસ્યા છે. અને એ પરિસ્થતિ વૈશ્વિક કલાઇમેટ ચેન્જની અઘરી સમસ્યાનો એક ભાગ છે. જયારે ભારતની સમસ્યા પણ વૈશ્વિક સમસ્યાનો લગભગ મોટો ભાગ છે. સમસ્યાઓ અને તે પર લેવાતા નિર્ણયો અને હાથમાં આવતા પરિણામોને પારદર્શક બનાવવા જરૂરી છે. જેમ કલાઈમેટ ચેન્જ જેવી સમસ્યાને સુધારવા વ્યક્તિગત કાર્બનનાં ઉત્સર્જન પર કંટ્રોલ આવી શકતો હોત તો આ બાબતે કેમ નહી?
જનતાની પ્રાથમિક સમસ્યાઓ પ્રત્યેનું દરેક સરકારો અને ભારતીય જનતાઓનું એન્ટી-વલણ ધ્યાનમાં લઇને આપણે બધાએ બંધારણીય ફેરફારો કરવા પડે એમ છે.


ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

સામ, દામ, દંડ અને ભેદ

પાક સોબાના

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ