બસ યેહી પૂન્ય હૈ ઔર યેહી પાપ હૈ...!

" હાં હૈ મેરે દોસ્ત, અચ્છે ઔર બુરે, પાપ ઔર પૂણ્ય કી સબસે બડી કસૌટી યહી હૈ કિ, કિસિકા દિલ ના દુખાના ઔર કિસિકે જજ્બાતો ઔર ભાવનાઓકો ઠેસ ના પોહચાના..! બસ યેહી પૂન્ય હૈ ઔર પાપ હૈ...!

ઉપર પ્રસ્તુત ડાયલોગ છે ૧૯૪૯માં, પ્રેમ અને વ્યવહારૂ જીવનમાં આવતી અડચણો પર બનેલી ફિલ્મ "બરસાત" નો.

આ સત્ય વચન અને સંવાદના ઘડતરનુ કામ સ્વ.રાજ કપૂર દ્વારા થયુ છે. સત્યને કોઇના પણ પુરાવાની અથવા સાક્ષત્વની જરૂર નથી પડી કે ન પડશે કે ન પડવાની. પ્રસ્તુત સંવાદથી એજ સત્ય બતાવવા માંગે છે સ્વ.રાજ કપૂર.

વાત એમ છેેે કે, થોડા સમય પેહલાજ આ ફિલ્મ જોતો હતો પણ આ ભવ્ય સંવાદે ઓછા શબ્દોમાં પણ ઘણુ સમજાવી ગયુ. ફિલ્મ વિષે વધારે ડિટેઈલમાં જાવાનીતો જરૂર નથી પણ આ સંવાદ રચાયો છે બે મિત્રો વચ્ચે એટલે કે રાજ કપૂર અને એમના રિયલ લાઈફના મામા અને એ ફિલ્મમાં એમના મિત્ર તરીકે અદાકારી ભજવતા પ્રેમનાથ.

ચિત્રપટઃ

પ્રેમનાથ એના પાત્ર અનુસાર ખેતરમાં ગીતો ગાતી એક સુંદર કન્યાને જોઈ ગયો, તો એના મુળ સ્વભાવનુસાર એને પામવાના પ્રયત્ન કરવા ગયો અને એ પણ રાજની અનુમતી વગર (ત્યારે એ અદાકારા એક મશહુર ગીત જે ગાતી હોય છે એના શબ્દો છે " હંવા મે ઉડતા જાએ ઓજી મોરા લાલ દુપ્પટા મલમલકાજી મોરા લાલ દુપ્પટા મલમલકા...) એ કન્યા પ્રેમનાથની નિયત સમજી ગઈ એટલે એ એના પતિ ને બુમ પાડે છે અને એના પતિ ના હાથમાં કુલ્હાડી જોઈને પ્રેમનાથ ઉભી પૂછડિએ દોટ લગાવે છે રાજ કપૂર પાસે... પણ આ પછી કુદરતી હાસ્ય સર્જાય એ કુદરતી છે અને એજ સમયે પ્રેમનાથ ના હાવભાનુ વર્ણન મારે તમને કરવાની જરાય જરૂર નથી જણાતી, પણ આટલુ થયા પછી બન્નેના વચ્ચે થયેલા સંવાદો એ મને આ પોસ્ટ લખવા પર મજબુર કર્યો. જે ખરેખર ગંભીર સત્યને ખુબજ સરળતાથી સમજાવી જાય છે.

સંવાદઃ

રાજઃ અરે હુવા ક્યાથા વહાં પે (પ્રેમનાથની ઠેકડી ઉડાડતા) ... ક્યું લડકી નહીં માની... અરેરેરે... શરિફ હોગી બિચારી...!

પ્રેમનાથઃ મેં ફિરસે કહેદેતા હું (ગુસ્સામાં..) મેરે સામને યે શરિફ ઔર બદમાશ જૈસે શબ્દ નાહિં નિકાલોતો બેહતર હૈ..! (રાજ મિઠી મુસ્કાન આપે છે..!) અચ્છા તુમ યે યકિનિ તૌર પે બતા સક્તે હો કિ પાપ ક્યા હૈ ઔર પૂન્ય ક્યા હૈ ? એક બાત જો હમારે દેશ ઔર મઝહબ મે પાપ માના જાતા હૈ ઔર વોહિ બાત દુસરે દેશ ઔર મઝહબમે ક્યું પાપ નહિં માના જાતા હૈ ? ક્યાં તુમ અચ્છે ઔર બુરેકા એક ઐસા તરાજુ બતા સકતે હો જો હર એક દેશ, ધર્મ ઔર હર એક ઈન્સાન કે ઉપર લાગુ હોતા હોં ? હૈ કોઇ ઐસી કસૌટી ?

રાજઃ હાં હૈ મેરે દોસ્ત, અચ્છે ઔર બુરે, પાપ ઔર પૂણ્ય કી સબસે બડી કસૌટી યહી હૈ કિ, કિસિકા દિલ ના દુખાના ઔર કિસિકે જજ્બાતો ઔર ભાવનાઓકો ઠેસ ના પોહચાના..! બસ યેહી પૂન્ય હૈ ઔર પાપ હૈ...!

મિત્રો ખરેખર આ ટુંકા સંવાદે તમારા પણ ઘણા પ્રશ્નો ના ઉત્તર આપી દિધા હસેજ..! સલામ છે.. સ્વ. રાજ કપૂરને કે જેમણે આવી સંવેદનશિલ મુંજવણને અતિસમજદારી પૂર્વક રજુ કરવા બદલ...!

છેલ્લે છેલ્લે...

જે જોતુ હોય છે એ આપવાની પણ તૈયારી રાખવી પડે છે આ સંસારમાં...! "

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો