વિદ્યાર્થી તરીકે શાળામાં વીધ્યાસ્થ થતી વખતે જે વિષય સૌથી વધારે આળસ લાવતો એ વિષય હતો "ભાષા" અને આજે એ જ ભાષા લાગણીઓનું એકમાત્ર માધ્યમ બની ગયું છે. ખરેખર દુઃખ થાય કે ભાષા જેવાં અત્યંત સંવેદનશીલ અને જીવનભર સાથ આપનાર વિષય ને ગૌણ બનાવી દેવામાં અવાય છે. ભાષા વિષય એટલો શુષ્ક બનાવી દેવામાં આવે છે કે, એ ફક્ત પરીક્ષાના બે દિવસ પહેલા વંચાતો ફક્ત "વિષય" બની ને રહી જાય છે. જો મને-તમને હાલ પણ પોતાની ભાષામાં પોતાની લાગણીઓ વ્યક્ત કરતા અસાહજીકતા અનુભવાતી હોય તો એ આધુનિક શિક્ષણ વ્યવસ્થાની નિષ્ફળતા છે. ચાલો જીવનની કોઈપણ કક્ષા એ ભાષા દ્વારા ભાષાને તેનું ઉતમ સ્થાન આપણે સુપ્રત કરીએ છીએ એજ ભાષાની મહાનતા છે. જેટલી સ્વચ્છ ભાષા એટલા જ સ્વચ્છ આચાર, વિચાર.
#કમલમ