The powerful thing about Time is it is changing?

The powerful thing about Time is it is changing.

Well, ask me, it doesn't. The time/status/reputation of a man doesn't change if he is doing the same thing every second.

When you gradually take calculated risks it shapes your routine and it keep changing your life. In the same way, it all depends on the word "calculated" risk. It totally depends on whether you want to take risks through your awareness, alertly, mindfully, or less, or completely off with those qualities!!

Time never changes automatically! it's completely dependent.

દુઃખ રે...

કળા/આર્ટ ખરેખર રસજરતા જીવનનું સત્ય છે. ક્યારે કોઈ વાજિંત્ર બની જાય અને આપોઆપ તરંગ ઉઠવા લાગે! મહેફિલને ધ્યાનમાં રાખી ને કદાચ પ્રેમ નીકળે છે પણ ખુદ ને ધ્યાનમાં રાખી ને મનોભાવના વહી પડે છે. મહેફિલમાં નીકળેલું છે એ શું? પોતાને જોઇને નીકળેલું શું? મને નથી ખબર, પણ ક્યારેક કારણ વગર પણ લાગણીઓનું વહેણ ઉદ્ગ્મવા લાગે છે. ત્યારે તેને રોકી શકે એ કોઈ હોય તો હું જ. અને વહેવા દે ઈશ્વર...

એક રચના લખી છે. બધા ને નથી આપતો મારી ટીકીટ, જેણે આપું છું તેઓ ભૂલી જાય છે કે, આ ગાડી છે જ એમની.

દુઃખ રે જોયા રે મેં તો જાજા જોયા રે...
નથી રે જોયું તો મારું સુખ તારી આંખમાં

અઢળક સોનું છે તારી લાગણીનું રે...
નથી રે સચવાયું તારાથી તણખલું મારા સ્નેહનું

મિટ માંડી જોયા કરું, હું તો તારા આગમનનું રે...
નથી રે જોયું તે તો ઘર્ષણ મારી જાતનું તારા માટેનું

પોરાવ્યું છે મારું પરમબિંદુ તારી માળામાં રે...
નથી રે હું તો રેશો દોરાનો તારી માળાનો તારી નજરે...

મૂકી રે દીધા છે મેં તો હવે પ્રયત્નો સઘળાં રે...
નથી રે જોવાણી મારી સમાધી તારા અનુભવમાં

દુઃખ રે...

#કમલમ

જો આવા મિત્ર ન હોય તો..

જિંદગી હોય તોય શું ને ન હોય તોય શું?

મિત્રની મરજી હોય તોય શું ને ન હોય તોય શું

જાટકી ને નાં પાડવાની પરવાનગી લેવી પડે તો મિત્ર શું...

મારા મહોલ્લામાં મિત્રની બેઠક બદલી જાય તો મિત્ર શું...

પોળનાં ખાંચામાં મલકાતી હરણી સુધી વાત ન પહોંચાડી તો મિત્ર શું

કાલે આપી દઈશ કહીને આજે હિસાબ પૂરો કરે તો મિત્ર શું...

વાતોનાં વડાં કરી ભવિષ્યની ચિંતા ન કરી તો મિત્ર શું...

હું તો નક્કામો છું અને મારા વગર એ કામનો શું...

પાતળી સંધ્યામાં ટેરેસ પર બેસી ગીતો ન ગાયાં તો મિત્ર શું...

આ જીવનની ધારમાં આ બાજુ લટક્યો છું ને મને પકડી ન રાખે તો મિત્ર શું...

જો આવા મિત્ર ન હોય તો..જિંદગી હોય તોય શું ને ન હોય તોય શું?

#કમલમ

ત્રણ પેઢી

ઘણાં વર્ષો પહેલા હું અને મારો મિત્ર આધ્યાત્મિક ચર્ચામાં સરી પડ્યા હતા. અને મને એટલું યાદ છે કે, અમે લગ્ન બાબતે વાત કરી રહ્યા હતા અને લગ્નનું બ્રહ્માંડીય સ્તર પર માનવીય મુદ્દે કેટલું મહત્વ છે. અને મિત્ર એ કહ્યુ કે, બાળકને જન્મ આપવો એ અત્યંત કુદરતી વ્યવસ્થા છે. જયારે લાખો વર્ષ પહેલા સહેજ પણ જ્ઞાન ન હતું ત્યારે પણ એ ભાવ હતો અને હજી પણ દરેક મોટા પ્રાણીઓથી નાના જીવ જંતુ સુધી એ બાળક ને જન્મ આપવનો ભાવ જોઈ શકાય છે.

મેં પછી એ આખા વિષય ને બ્રહ્માંડમાંથી કાઢી ને સાંસારિક મુદ્દે લાવ્યો અને પ્રશ્ન પૂછ્યો કે, હું, મારા પિતાજી અને મારો દીકરો, એમ આ ત્રણ પેઢી એટલે શું?

મારા મિત્ર એ સારો જવાબ આપ્યો કે, પિતા એ ભૂતકાળ, બાળક એ ભવિષ્ય....

અને મેં તુરંત જ નાં કહ્યું અને સુધારી મારો અભિપ્રાય આપ્યો કે,

બાળક જે છે એ મારું ભૂતકાળ છે. અને મારા પિતાજી છે એ મારું ભવિષ્ય છે. કઈ રીતે?

બાળક મારું ભૂતકાળ એ રીતે કે, હું પોતે જયારે મારા બાળકની ઉમરમાં હતો ત્યારે હું જે જે વસ્તુઓથી કે વ્યવસ્થાથી વાંછિત હતો તેને મારા બાળકને આપી હું એ સુધારી શકું છું. અને તેનું ભવિષ્ય મજબુત કરી શકું છું. જયારે મારા પિતાજી મારું ભવિષ્ય એટલે કે, જો હું મારા જીવનમાં કોઈ બદલાવ નહીં લાવું તો ત્રીસ વર્ષ પછી મારું જીવન મારા પિતાજી ને જે હાલમાં છે એવું જ હશે. એટલે એ રીતે બાળક મારું ભૂતકાળ છે અને એને બદલવાની ચાવી મારા હાથમાં છે. અને મારા પિતાજી મારું જ ભવિષ્ય બતાવે છે.

તમને યોગ્ય લાગે તો તમરો અભિપ્રાય ચોક્કસ આપશોજી.

#કમલમ

એવું શું છે જે બાળકનાં કુતુહલ ને તર્ક માં બદલે છે?



એવું શું છે જે બાળકનાં કુતુહલ ને તર્ક માં બદલે છે? એ જ કુતુહલ છે જે આગળ જતાં તર્કના દરવાજા ખોલે છે. અને અંતે એજ તર્ક અનુભવ તરફ ખેંચી જાય છે અને પામેલ અનુભૂતિઓ જ વ્યક્તિનું કેરેક્ટર ઉભું કરે છે. જે આગળ જતા કોઈને ગાંધી બનાવે છે તો કોઈને ભગતસિંહ તો કોઈને આતંકવાદી તો કોઈને સામાન્ય વ્યક્તિ તો કોઈને અત્યાચારી તો કોઈને શુરવીર તો કોઈને પ્રેમાળ તો કોઈને શુષ્ક.

તત્વમસિ મલ્ટીથેરાપી, આપે ખુબ જ સરસ વાત કરી તમે આ પોસ્ટ સાથે. આ પરથી હું એ તારણ પર આવી શકું છું કે, બાળકના નિર્દોષ કુતુહલને જે રીતે વાળો એ રીતે વળે છે. અને એ જ બાળકનું ઘડતર સાબિત થાય છે. ક્યારે બાપ, ક્યારે મિત્ર, ક્યારે શિક્ષક, તો ક્યારે દંડાધિકારી તો ક્યારે શું બની રહીએ એક પેરેન્ટ્સ તરીકે એ પણ અભ્યાસ માંગી લે તેવો વિષય છે. જેમ ૩ વર્ષે બાળક ને સ્કુલમાં ધકેલી દેવામાં આવે છે તેમ નવા માત-પિતા બનતા પાર્ટનરોની પણ શિક્ષણ વિધિ હોવી જરૂરી છે.

#kamalam

साक्षी

जो कहे भी तो खुदसे
जो ना कहे भी तो किससे?

वो परिंदा है जो लौटकर आता है
वो फिर बात हो, याद हो, या जात हो

जो साक्षी है इन सब का
वो खड़ा है 'धर्म' की तरह
जिसे न तो कोई छू सका है
न कोई छू सकेगा

#Kamalam

શ્રીમદ્ ભગવદ્ ગીતા: અધ્યાય ૧, શ્લોક 3

ॐ श्री परमात्मने नमः |

'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''

શ્રીમદ્ ભગવદ્ ગીતા: અધ્યાય ૧, શ્લોક 3

'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''

पश्यैतां पाण्डुपुत्राणामाचार्य महतीं चमूम् ।

व्यूढां द्रुपदपुत्रेण तव शिष्येण धीमता ।। 3।।

'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''

paśhyaitāṁ pāṇḍu-putrāṇām āchārya mahatīṁ chamūm

vyūḍhāṁ drupada-putreṇa tava śhiṣhyeṇa dhīmatā

'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''

પશ્યૈતાં પાણ્ડુપુત્રાણામાચાર્ય મહતીં ચમૂમ્ ।

વ્યૂઢાં દ્રુપદપુત્રેણ તવ શિષ્યેણ ધીમતા ॥ ૩॥

'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''

દુર્યોધન બોલ્યો: આદરણીય આચાર્ય! પાંડુ પુત્રોની વિશાળ સેનાનું અવલોકન કરો, જેની વ્યૂહરચના આપના પ્રશિક્ષિત બુદ્ધિમાન શિષ્ય દ્રુપદના પુત્રે નિપુણતાપૂર્વક યુદ્ધ કરવા માટે ગોઠવી છે.

'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''

શ્લોક ભાવ: આ સાથે દુર્યોધન તેનાં ગુરુ દ્રોણાચાર્ય ને મહેણું મારે છે. કારણ?

દુર્યોધન એક કુશળ રાજનીતિજ્ઞ તરીકે પોતાના સેનાપતિ ગુરુ દ્રોણાચાર્ય દ્વારા અતીતમાં થયેલી ભૂલો તરફ અંગુલીનિર્દેશ કરવા માંગતો હતો. દ્રોણાચાર્યને એકવાર રાજા દ્રુપદ સાથે કોઈ બાબતે રાજનૈતિક વિવાદ થયો હતો. આ વિવાદના કારણે ક્રોધિત થઈને દ્રુપદે પ્રતિશોધની ભાવનાથી યજ્ઞ કર્યો અને વરદાન પ્રાપ્ત કર્યું કે તેને પુત્ર પ્રાપ્ત થશે, જે દ્રોણાચાર્યનો વધ કરવા માટે સમર્થ હશે. આ વરદાનના ફળસ્વરૂપે તેને ધૃષ્ટદ્યુમ્ન નામનો પુત્ર થયો.

યદ્યપિ દ્રોણાચાર્ય ધૃષ્ટદ્યુમ્નના જન્મનો આશય જાણતા હતા છતાં પણ જયારે દ્રુપદે પોતાના પુત્ર ધૃષ્ટદ્યુમ્નને યુદ્ધ કૌશલ્યની વિદ્યા પ્રદાન કરવા માટે દ્રોણાચાર્યને સોંપ્યો ત્યારે ઉદાર હૃદયે દ્રોણાચાર્યએ ધૃષ્ટદ્યુમ્નને યુદ્ધ કૌશલ્યની વિદ્યામાં નિપુણ બનાવવામાં કોઈ સંકોચ ના રાખ્યો. હવે ધૃષ્ટદ્યુમ્ન પાંડવોના પક્ષે તેમની સેનાના મહાનાયકના રૂપે હતો, જેણે સમગ્ર સેનાની વ્યૂહરચના તૈયાર કરી હતી. આ રીતે દુર્યોધન તેના ગુરુને સંકેત આપવા માંગતો હતો કે અતીતમાં તેમણે કરેલી ઉદારતાને કારણે વર્તમાનમાં સંકટનો સામનો કરવો પડી રહ્યો છે અને હવે આગળ પાંડવો સાથે યુદ્ધ કરવામાં કોઈપણ ઉદારતા દર્શાવવી જોઈએ નહિ.

#kamalam

'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''

|| श्री कृष्णं वन्दे जगतगुरू ||

શ્રીમદ્ ભગવદ્ ગીતા: અધ્યાય ૧, શ્લોક ૨

ॐ श्री परमात्मने नमः |

'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''

શ્રીમદ્ ભગવદ્ ગીતા: અધ્યાય ૧, શ્લોક ૨

'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''

सञ्जय उवाच ।

दृष्ट्वा तु पाण्डवानीकं व्यूढं दुर्योधनस्तदा ।

आचार्यमुपसङ्गम्य राजा वचनमब्रवीत् ।। 2।।

'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''

સંજય ઉવાચ ।

દૃષ્ટ્વા તુ પાણ્ડવાનીકં વ્યૂઢં દુર્યોધનસ્તદા ।

આચાર્યમુપસન્ગમ્ય રાજા વચનમબ્રવીત્ ॥ ૨॥

'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''

સંજય બોલ્યા: પાંડુપુત્રોની સેનાને વ્યૂહરચનામાં ગોઠવાયેલી જોઈને, રાજા દુર્યોધન પોતાના ગુરુ પાસે ગયો અને આ પ્રમાણે વચનો કહ્યાં.

'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''

શ્લોક ભાવ: આ શ્રીમદ્ ભગવદ્ ગીતાજીનાં પ્રથમ અધ્યાયનો બીજો શ્લોક છે. પ્રથમ શ્લોકમાં ધુતરાષ્ટ્ર એ સંજય પાસે કુરુક્ષેત્રમાં શું ચાલી રહ્યું છે તેની ભીતિ માંગી. વેદવ્યાસ દ્વારા સંજયને દિવ્ય-દ્રષ્ટિ આપવામાં આવી ત્યારે તેનો ભાવ એજ હતો કે, દ્રષ્ટિહીન (અર્થાત્ મતિહીન) ધુતરાષ્ટ્ર સુધી યુદ્ધનાં સમાચાર મળતા રહે.

સમાચાર મેળવવાં જ ધુતરાષ્ટ્રની મંશા ન હતી. ધુતરાષ્ટ્ર એ જયારે ક્રુરુક્ષેત્રને ધર્મક્ષેત્ર ગણાવ્યું, ત્યારે તેના મનમાં એક ભય હતો કે મારા પુત્રો કૌરવો, જો અતિ પવિત્ર ધરતી કુરુક્ષેત્ર પર યુદ્ધ હેતુ ડગલા માંડશે ત્યારે તેમનું હૃદય પરિવર્તન તો નથી થઈ રહ્યું ને? કે કૌરવો કદાચ તેમના ભાઈઓ સાથે યુદ્ધ કરવાનું ટાળી ને સમાધાનનો રસ્તો તો નથી સ્વીકારી રહ્યાં ને? કારણકે ધુતરાષ્ટ્રને એ ભય હતો કે, પાંડવો કદાચ યુદ્ધ વિજય પર્યંત તથા સમાધાન પર્યંત કૌરવો સાથે ભૂતકાળમાં થયેલ તમામ અન્યાયિક ઘટનાઓનો વેળ વાળશે અને તેમજ કૌરવવંશની તેજસ્વીતા સમાપ્ત થઇ જશે.

એ પ્રથમ શ્લોકથી જ ભગવાને માનવીય જીવનનું અત્યંત ગુઢ સત્ય સમજાવી દીધું કે, ભૂતકાળમાં કરેલા કર્મો તમારા વર્તમાનનાં નિર્ણયોને પણ અસર કરે છે અને તેથી જ એજ ભૂતકાળ તમારા ભવિષ્યને સંપૂર્ણ ખંડિત કરે છે. આથી ભૂતકાળને સ્વીકારી વર્તમાનમાં એવા નિર્ણયો લેવા જે ચક્રની જેમ ફરી-ફરી ને સામે ન આવે.

દ્વિતીય શ્લોક એટલે કે આ શ્લોકમાં સંજય ધુતરાષ્ટ્રની જીજ્ઞાસાનો અંત લાવવાનો પ્રયત્ન કરે છે અને દિવ્યદ્રષ્ટિથી કુરુક્ષેત્ર તરફ ઝાંખી કરે છે તો એમને દુર્યોધનની મનોવ્યથા નજરે ચડે છે. દુર્યોધને આ યુદ્ધ શરુ થતા પહેલાં એ તમામ પ્રયત્નો કર્યા હતા કે પાંડવોનો પક્ષ કૌરવોનાં પક્ષ કરતા વામણો જ રહે. પરંતુ જયારે યુદ્ધની ધરાં પર દુર્યોધને તેની સગી આંખોથી પાંડવોની વિશાળ અને ક્રમબંધ સેનાને જોવે છે ત્યારે તે આંતરિક અસ્તવ્યસ્ત થઇ જાય છે અને તે તેના ગુરુ દ્રોણાચાર્ય તરફ હવે યુદ્ધનીતિ શું હોવી જોઈએ તે સમજવાં જાય છે. પરંતુ દુર્યોધનતો તેની ગભરાટનાં સમાધાન હેતુ જ ગુરુ પાસે ગયાં હોય છે.

#kamalam

'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''

|| श्री कृष्णं वन्दे जगतगुरू ||

શ્રીમદ્ ભગવદ્ ગીતા: અધ્યાય ૧, શ્લોક ૧

શ્રીમદ્ ભગવદ્ ગીતાજીનાં શ્લોકોનું શ્રવણ, મનન અને નીધીધ્યાસન આરંભ કર્યું છે. ખરેખર, એક એક શબ્દ અવર્ણનિય ઉર્જા સ્ત્રોત છે.

'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
ॐ अथ प्रथमोध्याय: |
'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
अर्जून विषादयोगः |
'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
धृतराष्ट्र उवाच |
धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेता युयुत्सवः |
मामकाः पाण्डवाश्चैव किमकुर्वत सञ्जय ||1||
'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
ધૃતરાષ્ટ્ર ઉવાચ ।
ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવઃ ।
મામકાઃ પાણ્ડવાશ્ચૈવ કિમકુર્વત સંજય॥ ૧॥

'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
ધૃતરાષ્ટ્ર બોલ્યા: હે સંજય, કુરુક્ષેત્રની પવિત્ર ભૂમિ પર યુદ્ધ કરવાની ઈચ્છાથી એકત્ર થયેલા મારા તથા પાંડુના પુત્રોએ શું કર્યું?

|| श्री कृष्णं वन्दे जगतगुरू ||

Escaping considered bad in our society!

Escaping considered bad in our society!


Morally it is true that escaping isn’t a solution but we and our limited mind does not have capabilities to convince ourselves that taking medicine is not escaping but an act to become determined better to face things more better approaches


That’s the solution to escaping mindset


Then comes Shri Krishna who suggests when you consider false responsibilities for yourself, because of uncontrollable senses, you become ill and need medication.


Understanding of what is coming to your way is mere obstacle or challenge.


Obstacles resolve with less involvement
The same issue considered as an challenge then it can take whole your energy which can be used to betterment of yourself


#Kamalam

ઓર્ગેનિક

- એજન્સી લેવાની છે ભૈલું, કૈંક આઈડિયા દે જેથી વેચાણ વધે

~ એકદમ સિમ્પલ છે આજકાલ તો દરેક વસ્તુની આગળ "ઓર્ગેનિક" (Organic) લગાડી દેવાનું, એટલે અડધા ગાંડા, આખા ગાંડા થાહે તારી વસ્તુ લેવાં..

- એવું?

~ હા,

...

બે દિવસ પછી

...

અમારે ત્યાં `ઓર્ગેનિક પીવીસી પાઈપ` મળશે.... એવું બોર્ડ વાંચ્યું...

પૂર્ણવિરામ

તા.ક. આ જોક એકદમ ઓર્ગેનિક છે. એટલે વોલ પર માઠું લગાડી યુરીયા ન નાખવું

#કમલમ

કળાનું સ્તર?

શુભ પ્રભાત

કલા અને કલાકારનું અપમાન તેની કલાનાં સ્તરથી નક્કી થાય છે. એમ જ તેના ગુણગાન અને પ્રશંશા પણ તેના સ્તરથી જ નક્કી થયેલ હોય છે. હવે સ્તર નક્કી કરે કોણ? બિલકુલ આપણે જ. પરંતુ ખરેખર તો કલાકાર પોતે જ તેનું સ્તર નક્કી કરવામાં મદદરૂપ બને છે.

ઈશ્વર પ્રત્યેનો પ્રેમ જ અને ઈશ્વરને સામગ્રી રૂપે ધરાયેલ કળા જ આખરે પ્રસાદ રૂપે એક અમુલ્ય આહ્લાદ બને છે.

બી.આર.ચોપડાં જી અને રામાનંદ સાગર જી એ એમની આધ્યાત્મિક મનોભાવનાનાં સ્થાનથી જ મહાન એવી महाभारत, रामायण તથા कृष्णा જેવાં ધારાવાહિકોને પદાર્પિત કર્યા હતા. જેણે ભારતનાં ઈતિહાસ ને એ સ્તરે લઇ ગયા કે તેને કોઈ આંબી શકે તેમ નથી. પ્રયત્ન કરવાવાળાને હાલ પ્રસાદી મળી જ રહી છે.

છતાં આ અહેવાલ લખવા પાછળનો મૂળ ઉદ્દેશ એ હતો કે, આજે જ સવારે મહાભારતનો એક સંવાદ મને એટલો સ્પર્શી ગયો કે તેને સંભવ બનાવનારા તમામ વ્યક્તિત્વ માટે એક આભાર પ્રગટ કરવાની ઈચ્છા થઇ ગઈ.

શ્રી કૃષ્ણ, વિદુરજી અને વિદુરાણીજી (વિદુરજીના પત્ની) વચ્ચે એક અત્યંત સાધારણ કહી શકાય એવો સંવાદ પરંતુ અંતે વિદુરજી સંવાદ જયારે સમાપ્ત કરે છે એ આખા સંવાદને આધ્યાત્મિક સત્ય એટલે કે બ્રહ્મ સત્યની ઝાંખી કરવી આપે છે. તો આ રહ્યો સંવાદ.

અતિથી બનેલા ભગવાન 'શ્રી કૃષ્ણ' યજમાન વિદુરજીને ત્યાં ભોજન ગ્રહણ કરી રહ્યા છે. અને...

श्री कृष्णा:
वाह! सरसोँ का ऐसा स्वादिष्ट साग तो मैंने कभी खाया ही नहीं था! और फिर ये मकई की रोटी! काकी श्री, ये सब खा कर तो मैं धन्य हो गया!

विदुरजी:
सुन रही हो! तुम्हारे साग को खा कर "कौन" धन्य हो रहा है!

श्री कृष्णा:
सच कहे रहा हूँ काका श्री, राजभवन के पकवान खा-खा कर मन उब गया था! अब कभी हस्तिनापुर आना हुआ तो आप ही का अतिथि बनूंगा!

विदुरजी:
तब तो इस घर के भाग ही खुलेंगे वासुदेव!

विदुरानीजी (श्री कृष्णा से):
वचन भूल तो नहीं जाइएगा?

विदुरजी (हँसकर):
इन्हें भूलना ही तो नहीं आता भाग्यवान! 🙏🙏

પૂર્ણવિરામ

#કમલમ

ચાલુ

ચકો: ચકી તને કેવી લાગે છે?

બકો: છોડને એને ભાઈ. ચાલુ છે.

ચકો: તને કોઈ અનુભવ થયો એનો?

બકો: ના, ના, આ તો લાલ્યો કે'તો તો!

ચકો: ok. આઈસ્ક્રીમ ખાઇશ...!

બકો: હાલો,
.
.
પાંચેક મિનીટ પછી...
.
.
બકો: ભાઈ, એકટીવાની લાઈટ ચાલુ છે. બંધ નથી કરી?

ચકો: ના, ના, ગાડી તો બંધ જ છે.

બકો: આહ, ઓકે, ત્યાંથી લાઈટનું રીફ્લેક્શન આવે છે એટલે...

ચકો: હવે સમજ્યો? કોઈ વસ્તુ "ચાલુ" છે કે નહીં એ ફક્ત નજરિયાની વાત છે.


પૂર્ણવિરામ

#કમલમ

કર્મયોગની અનુભૂતિ

તમે કોઈપણ અવસ્થામાં હો પણ જો કૈંક મન દઈને શીખી રહ્યા હોવ તો તમે ક્યાંક ને ક્યાંક શ્રી કૃષ્ણનાં નિષ્કામ કર્મ અથવા કર્મયોગ તરફ જઈ રહ્યા છો. ક્યારેય અનુભવ્યું છે કે, જયારે ખરેખર તમે મન લગાડીને કોઈ જ્ઞાન પામી રહ્યા હોવ ત્યારે એ જ્ઞાનનું તમે શું કરશો અને એ કેવી રીતે તમને મદદમાં આવશે એની ચિંતા હોતી જ નથી. હા, શીખવાની શરૂઆતમાં કદાચ આ વિચારો હોય પરંતુ જેમ જેમ તમારું ધ્યાન શીખવામાં સંપૂર્ણપણે લાગી ગયું હોય ત્યારે તમે આવેલ જ્ઞાનના સંદર્ભે એકદમ નિશ્ચિંત થઇ જાવ છો અને એટલે જ એ પડાવ પાર કરી લીધા પછી જયારે તમે તમારા જ્ઞાનનો પ્રયોગ કરવાનો પ્રયત્ન કરો છો ત્યારે તમે સંપૂર્ણતઃ સફળતા મેળવો છો.

બસ એજ છે કર્મ યોગ...!

#કમલમ

ગુજરાતી ભાષા લુપ્ત થશે....

ગુજરાતી ભાષા લુપ્ત થશે તેની શરૂઆત ગુજરાતીઓના મોઢેથી કહેવતો બોલવાનું બંધ થશે ત્યારથી થશે!

આજે તૃપ્તિ માસી સાથે વાત કરતો હતો ત્યારે જ એમણે એક પાવરફુલ કહેવત કીધી તી કે, "દુઃખનું ઓસડ દહાડા". જેને એ કહેવત ન સમજાય એ પોતાના વડીલો ને ગોતી સમજી લેજો.

પણ કહેવતો એ એવી અમુલ્ય ભેટ છે કે જે ફક્ત અમુક શબ્દો કે એક વાક્યમાં પરિસ્થિતિની ઊંડી સમજણ આપી જાય છે.

હવેનાં યુવાનોમાં કહેવતો લગભગ બોલાતી નથી જે ભાષાનાં લુપ્ત થવા તરફનું પ્રથમ પગથીયું સમજવું.

અસ્તુ

તા.ક. ગુજરાતી હોવું અને ગુજરાતી બોલવું એનાથી સાબિત થાય છે કે, તમે ભાષા સાથે ફક્ત "સબંધ"માં જ છો. પરંતુ જયારે એજ ગુજરાતી પોતાનાં વક્તવ્યમાં કહેવતોનો ઉપયોગ કરે છે ત્યારે જણાય છે કે એ વ્યક્તિ તેની ભાષા સાથે ફક્ત "સબંધ"માં જ નથી પરંતુ તેના "પ્રેમ"માં પણ છે.

#કમલમ

શું તમારા કરેલ કાર્યની કોઈ ગણતરી નહીં કરે?

તમને જયારે લાગે કે, "ત્યાં" તમારા કરેલ કાર્યની કોઈ ગણતરી નહીં કરે, ત્યાં અને ત્યારે જ કરેલ દરેક નાનામાં નાનું કાર્ય તમારું ઘડતર કરશે અને આધુનિક સમયની વાત કરીએ તો સફળતા અપાવશે. બે ઉદાહરણ આપું.

એક વિદ્યાર્થી જયારે ભણતર પૂર્ણ કરી ને નવી નવી જોબ પર લાગે છે ત્યારે તેને લગભગ એવી જ અનુભૂતિ થાય છે કે, એવડી મોટી કમ્પનીમાં મારા જેવા ફ્રેશરને કોઈ જોશે અને શું ગણશે? જયારે એવું નથી હોતું. જયારે તમરા પર નજર નથી હોતી ત્યારે જ સમય હોય છે પોતાના કાર્યમાં જીણવટ લાવવાનો જે આગળ જતાં તમને "સફળતા" અપાવે છે.

એજ રીતે, આપણે અત્યારે એવું વિચારીએ કે, પરમ બ્રહ્મ નારાયણનું નામ અત્યારે લઈને શું મતલબ છે? જયારે એવું નથી. અત્યારે લીધલ નામ અને કરેલ બ્રહ્મ-ભક્તિ જ અંતિમ ચરણ સુધી પહોંચવાનો રસ્તો સરળ બનાવે છે.

#કમલમ

ભાષા, શિક્ષણ અને વિદ્યાર્થી

વિદ્યાર્થી તરીકે શાળામાં વીધ્યાસ્થ થતી વખતે જે વિષય સૌથી વધારે આળસ લાવતો એ વિષય હતો "ભાષા" અને આજે એ જ ભાષા લાગણીઓનું એકમાત્ર માધ્યમ બની ગયું છે. ખરેખર દુઃખ થાય કે ભાષા જેવાં અત્યંત સંવેદનશીલ અને જીવનભર સાથ આપનાર વિષય ને ગૌણ બનાવી દેવામાં અવાય છે. ભાષા વિષય એટલો શુષ્ક બનાવી દેવામાં આવે છે કે, એ ફક્ત પરીક્ષાના બે દિવસ પહેલા વંચાતો ફક્ત "વિષય" બની ને રહી જાય છે. જો મને-તમને હાલ પણ પોતાની ભાષામાં પોતાની લાગણીઓ વ્યક્ત કરતા અસાહજીકતા અનુભવાતી હોય તો એ આધુનિક શિક્ષણ વ્યવસ્થાની નિષ્ફળતા છે. ચાલો જીવનની કોઈપણ કક્ષા એ ભાષા દ્વારા ભાષાને તેનું ઉતમ સ્થાન આપણે સુપ્રત કરીએ છીએ એજ ભાષાની મહાનતા છે. જેટલી સ્વચ્છ ભાષા એટલા જ સ્વચ્છ આચાર, વિચાર.

હા, ઘણાં વંદનીય, પૂજનીય શિક્ષકગણો છે જે હજી પણ ભાષા ને એક સુંદર સ્વપ્નની જેમ વિધ્યસ્થ થઇ રહેલ બાળકો ને ભાષા જેવી સુંદર ભેટ આપતા રહે છે. એ તમામ ને વંદન.

#કમલમ

તું

તે ભલે ને દુનિયા જોઈ હોય, પણ શું તે કોઈ એક ની દુનિયા જોઈ છે?
તું ભલે ને શક્તિશાળી હોય, પણ શું તું કોઈની શક્તિ બન્યો છે?
તું ભલે ને બુદ્ધિશાળી હોય, પણ શું તું કોઈને સમજી શક્યો છે?
તું ભલે ને નિર્મોહી હોય, પણ શું તું ક્યારેય કોઈનો મોહ બન્યો છે?
તું ભલે ને શિવ હોય, પણ શું તે ક્યારેય આધશક્તિ ને અનુભવી છે?
તું ભલે ને પૂર્ણ હોય, પણ તે ક્યારેય બ્રહ્મ ને અનુભવ્યું છે?

#કમલમ

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો