અઘરું ચિંતન જો સમસ્યાનું સરળ સમાધાન ન અપાવે તો એ વાહિયાત ચિંતન કરતા બીજું કશું જ ન કહેવાય. આવું વિધાન કેમ આપવું પડ્યું? કારણકે ભોગવવું પડ્યું એટલે!
કોઈપણ વ્યક્તિનાં જીવનમાં બે પ્રકારનો સમય હોય છે. એક એવો સમય કે જયારે તેને કોઈ જ ઈમરજન્સી નથી હોતી. અને બીજો એવો સમય કે જયારે તમામ પ્રકારની ઈમરજન્સી એકસાથે આવીને ઉભી ને ઉભી જ હોય છે. હવે તમે ગમે તેટલું ભણ્યાં હોવ કે, અનુભવ લીધો હોય પણ જયારે ઈમરજન્સીનો સમય ચાલતો હોય છે ત્યારે કરવામાં આવતું અઘરું ચિંતન કામ નથી આવતું ઉપરાંત માનસિક અનર્થ નોતરે છે. અને જયારે ઈમરજન્સી નથી હોતી ત્યારે "ન" કરવામાં આવેલું અઘરું ચિંતન પણ અંતે અનર્થ નોતરે છે.
એટલે જ કહેવાય છે કે, પાણી આવે એ પહેલા પાળ બાંધવી. બની શકે પાણી ક્યારે આવે એની ખબર ન પણ હોય પરંતુ જયારે જીવનમાં સમય હોય ત્યારે તે સમયનો સદુપયોગ કરી ચિંતન કરી એવા કાર્યો કરવા કે જયારે ઈમરજન્સી આવે ત્યારે તે અનુભવો એક મજબુત સુવિધા બનીને ઉભી રહે. સુવિધા એટલે જરૂરી નથી કે મટીરીયલ સુખ સુવિધાઓ. પરંતુ એવા કાર્યો જેમકે વ્યાયામ, ભણતર, અનુભવ, નેટવર્ક, અને ભક્તિ અને સેવા કાર્ય.
જો હાલ તમને લાગતું હોય કે અઘરા ચિંતનની જરૂર નથી તો હાલ જ એ સમય છે.
જય શ્રી કૃષ્ણ
#કમલમ
આ ઓટલો એટલે દુનિયા, કે જે ઘણી સમજણ આપે છે અને જે સમયસર ન સમજે તેનો ઓટલો તુટવો જ રહ્યો. એક શ્રોતા બનીને ઓટલા પર બેસ્યો છું એટલે કહેવા માટે ઘણું બધુ છે.
અઘરું ચિંતન

આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)
"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.
જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો
-
ગુજરાતનું ગૌરવ, વ્યક્તિશ્રેષ્ઠ શ્રી શાહબુદ્ધિન રાઠોડ સાહેબ હવે ગર્વથી કહેશે કે, "આયા થી કોઈ એ જાન કાઢવી નહીં...આ રોડ આપડો છે અન...
-
તમે આ ક્યારેકતો આ કહેવત સાંભળી જ હશે કે, “ દીવા તળે અંધારું “. એજ રીતે શિક્ષણ દીવો છે અને દીવામાંથી નીકળતો પ્રકાશ એ આપણા સમાજમાં દેખાતી ...
-
માર્કેટનાં ખૂણા ઉપર દેહવ્યાપાર માટે ઉભી રહેલી સ્ત્રીને જોઈને 'ચકો' માથું ઝુકાવી ચાલવા માંડ્યો... બકો: (મંદ મંદ હસીને) કેમ લ્યા કેમ ...
-
કોઈપણ વ્યક્તિ ને આ ચાર પ્રકારની તકલીફનો સામનો કરવો પડે છે. જયારે કોઈ વ્યક્તિ તમને પોતાનો વિરોધી માનતો હોય ત્યારે એ વ્યક્તિ તમારી સાથે આ ચાર...
-
સમજોતા એક્સપ્રેસ એટલે ફક્ત ટ્રેન જ નથી ઉપરાંત તે બે પાડોશી દેશો વચ્ચેનાં ભાવનાત્મક જોડાણની અનુભૂત પણ છે. એક ટી.વી. શો પ્રોગ્રામમાં ભારત અન...
-
પાક સોબાના દુનિયાના બહેતરીન શુઝ (જૂતાં) બનાવનાર માંથી એક છે. તેઓ અવ્વલ દર્જાનાં કારીગર તો છે પણ તેમના દ્વારા બનાવેલા જૂતાં ખુબ કીમતી ગણાય છે...
-
પ્રિય, ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી, રમેશ મહેતા, પી. ખરસાણી, અસરાની, કિરણ કુમાર, સ્નેહલતા, અરુણા ઈરાની, રીટા ભાદુરી મહાનુભ...
-
મા ફ કરજો, મેં શીર્ષક દ્રારા કટાક્ષ મુકવાનો પ્રયત્ન કર્યો છે. ભારત દેશ મહાન હતો, પણ અત્યારે નથી. કારણ? યે દેશ થા વીર જવા...
-
દુધાળા પશુઓ અને ભારત - કમલ ભરખડા ગાય ભેંસ બકરી આ બધા પાલતું દુધાળા પશુઓ છે પણ છતાય "ગાય", આ શબ્દ હિંદુઓ માટે અથવા દરેક ભારતીયો ...
-
હિન્દુત્વ (સનાતન ધર્મ) પહેલા ધર્મ નહીં હોય પણ કદાચ એ એક ડોમેઈન લેસ મીકેનીઝમ/સિસ્ટમ(તંત્ર) હશે. ( મતલબ કે, તમામ વિચારસરણીનો સમન...